SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ ક્ષય કરી દે છે તે ક્ષયિક સમ્યક્ત્વી થાય છે. ક્ષાયિક સમ્યફ કદી છૂટતું નથી. ક્ષપશમ સમ્યફમાં સમ્યકત્વ મોહનીયના ઉદયથી મલિનતા થાય છે. આ શ્રેણિમાં આ જીવ મહાત્મા કે અંતરાત્મા થઈ જાય છે, આત્માને આત્મારપ જાણે છે. સંસારમેંકર્મનું નાટક સમજે છે. અતીન્દ્રિય સુખને પ્રેમી થઈ જાય છે. ગૃહવાસમાં રહેતાં, અસિ, મણિ, કૃષિ, વાણિજ્ય, શિલ્પ કે વિદ્યાકર્મથી આજીવિકા કરે છે, રાજ્યપ્રબન્ધ કરે છે, અન્યાયી શત્રુના દમનને અર્થે યુદ્ધ પણ કરે છે. તે વ્રતોને નિયમરૂપે પાલતો નથી, માટે એને અવિરત કહે છે. તથાપિ એનાં ચાર લક્ષણ હોય છે. (૧) પ્રશમ–શાંતભાવ, (૨) સંગ-ધર્માનુરાગ-સંસારથી વૈરાગ,(૩) અનુકંપાદિયા (૪) આસ્તિકય-આત્મા અને પરલેકમાં વિશ્વાસ. આ શ્રેણિવાળાને એ લેસ્યાઓ હોઈ શકે છે. સર્વે સંજ્ઞી પંચેન્દ્રિય તિયચ, મનુષ્ય, દેવ, નારકી આ આ ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકે છે. આ દશા મેક્ષમાર્ગનું પ્રવેશ દ્વાર છે. એ પ્રવેશભૂમિકા છે. આ ગુણસ્થાનને કાળ ક્ષાયિક કે ક્ષપશમની અપેક્ષાએ ઘણે છે. (૫) દેશવિરત-જ્યારે સમ્યફવી જીવને અપ્રત્યાખ્યાનાવરણ કષાયને ઉદય હેતું નથી અને પ્રત્યાખ્યાનાવરણ કષાયને ક્ષપશમ કે મદ ઉદય હેાય છે ત્યારે શ્રાવકનાં વ્રતને પાળે છે. એક દેશ હિંસા, અસત્ય, ચેરી, કુશીલ અને પરિગ્રહથી વિરક્ત રહે છે. પાંચ અણુવ્રત તથા સાત શીલને પાળતાં સાધુપદની જ ભાવના ભાવે છે. આ ચારિત્રનું વર્ણન આગળ કરાશે. આ ગુણસ્થાનમાં રહેતાં શ્રાવક ગૃહકાર્યને કરે છે અને ધીરે-ધીરે ચારિત્રની ઉન્નતિ કરતાં કરતાં સાધુપદમાં પહોંચે છે. એને કાળ છેડામાં શેડે અંતમુહૂર્ત અને વધારેમાં વધારે જીવનપર્યત છે. આ શ્રેણિને પંચેન્દ્રિય સંજ્ઞી પશુ તથા મનુષ્ય ધારણ કરી શકે છે. છઠ્ઠાથી માંડી નીચે જણાવેલાં બધાં ગુણસ્થાન મનુષ્યને જ હોય છે. (૯) પ્રમતવિરત: જ્યારે પ્રત્યાખ્યાનાવરણ કષાયને ઉપ
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy