SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ . ( આહારક –ાઈ દિધારી મુનિના મસ્તકથી આહારક શરીર બહુ સુંદર પુરુષાકાર નીકળે છે, તેની સાથે આત્મા ફેલાઈને જ્યાં કેવલી કે શ્રુતકેવલી હેય છે ત્યાં સુધી જાય છે, દર્શન કરીને પાછું આવે છે, તેથી મુનિના સંશય મટી જાય છે. (૭) કેવલ –ઈ અરિહંત કેવલનું આયુષ્ય અલ્પ હોય છે, અને બીજે કર્મોની સ્થિતિ અધિક હોય છે, ત્યારે આયુની બરાબર બધાં કર્મોની સ્થિતિ કરવા માટે આત્માના પ્રદેશોલેકવ્યાપી થઈ જાય છે. () સંસારી છે–સામાન્ય રીતે સંસારી જીવના બે ભેદ છે. સ્થાવર, રસ. એકેન્દ્રિય પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ વનસ્પતિકાયના ધારક પ્રાણિયોને સ્થાવર કહે છે. તથા બે ઈધ્યિથી પચેડ્યિા પર્યત પ્રાણિયોને ત્રસ કહે છે. વિશેષમાં ચૌદ ભેદ પ્રસિદ્ધ છે, જેને જીવસમાસ કહે છે. જીવોના સમાન જાતીય સમૂહને સમાસ કહે છે. ચૌદ છવસમાસ –૧ એકેન્દ્રિય સૂક્ષ્મ એવાં પ્રાણી આખા લેકમાં ભર્યા છે કે જે કોઈને બાધક નથી, તેમ કેઈથી બાધા પામતા નથી, સ્વયમરે છે. ૨-એકેન્દ્રિય ખાદર જે બાધા પામે છે અને બાધક છે. ૩-%ીદ્રિય, ૪–ત્રીયિ, ૫-ચતુરિન્દ્રિય, ક–પંચેન્દ્રિય અસંસી (મન વગરના) ૭ પચેન્દ્રિય સંસી, એ સાત સમૂહ કે સમાસ પર્યાપ્ત તથા અપર્યાપ્ત એમ બે પ્રકારના હેય છે. એવી રીતે ચૌદ છવસમાસ છે, પર્યાપ્ત અપર્યાપ્ત–જ્યારે આ જીવ પેઈ યોનિમાં પહોંચે છે ત્યારે ત્યાં જે પુદ્ગલેને ગ્રહે છે તેમાં આહાર, શરીર, ઈન્દ્રિય શ્વાસોચ્છવાસ, ભાષા, મન બનવાની શક્તિ અંતર્મુહૂર્તમાં (૪૮ મિનિટની અંદર)થઈ જાય છે તેને પર્યાપ્ત કહે છે. જેને આ શક્તિની પૂર્ણતા અવશ્ય થવાની છે, પરંતુ જ્યાં સુધી શરીર બનવાની શક્તિ પૂર્ણ નથી થઈ શક્તી ત્યાં સુધી તેને નિત્યપર્યાપ્ત કહે છે. જે છમાંથી કઈ પર્યાપ્તિ પૂર્ણ કરી શકતા નથી અને એક શ્વાસ(નાડીનું ધબકવું)ના અઢારમા ભાગમાં મરી જાય છે તેને ધ્યપર્યાપ્ત કહે છે. છ પર્યાપ્તિ
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy