SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ _પથી આ વાતથી વાયા. લોકો જયાં સુધી આ કમેન ઓષધ આ અથવા મિશ્રમ કહે છે. જે કર્મના ઉદયથી સમ્યગ્દર્શન રહે, કોઈ દેલ મલ કે અતિચાર લાગે તેને સમ્યફવાહનીય કહે છે, ચારિત્ર મેહનીય કર્મમાં ચાર અનંતાનુબંધી કષાય કર્મ છે, જેના ઉદયથી દીર્ઘકાળ સ્થાયી કઠિનતાથી મટે તેવાં ક્યાય પરિણામ થાય છે. જેમ પત્થરમાં કોતરેલી લીટી કઠિનતાથી મટે છે, તેવા અનંતાનુબ ધી કષાય (ક્રોધ, માન, માયા, લેભ) છે. અનાદિ મિથ્યાદષ્ટિ જીવ જેને અત્યાર સુધી સમ્યક્ત્વ થયું નથી, તેના સમ્યગ્દર્શન ગુણને મિથ્યાત્વકર્મ અને ચાર અનતાનુબંધી કષાયોએ ઢાંકી રાખ્યો છે. જ્યાં સુધી તે ઉદયમાંથી ખસે નહિ, ત્યાં સુધી સમ્યગ્દર્શનગુણ પ્રગટ થઈ શકતો નથી. આ કર્મોના આક્રમણને હઠાવવા માટે વ્યવહાર સમ્યગ્દર્શનનું સેવન જરૂરી છે. જેમ ઔષધ ખાવાથી રોગ જાય છે, તેમ વ્યવહાર સમ્યગ્દર્શનના સેવનથી નિશ્ચય સમ્યગ્દર્શનને પ્રકાશ થાય છે અને સિધ્યા રોગ જાય છે. જેમ રોગીને આ વાત જાણવાની જરૂર છે કે હું મૂળમાં કે છું, રોગ કયા કારણથી થયા છે અને રોગને દૂર કરવાને છે ઉપાય છે. તેવી રીતે આ સંસારી જીવને આ વાત જાણવાની જરૂર છે કે પોતે મૂળમાં કે છે, શાથી તે અશુદ્ધ થઈ રહ્યો છે અને તેને શુદ્ધ થવાને શું ઉપાય છે. જેમ નૌકામાં પાણી આવતું હોય તે એ વાત જાણવાની જરૂર છે કે શા કારણથી નૌકામાં પાણી ભરાય છે અને કેવી રીતે નૌકાને છિદ્ધરહિત અને પાણીરહિત કરવામાં આવે, કે જેથી તે સમુદ્રને પાર પામી શકે, તેવી રીતે આ સંસારી જીવને આ વાત જાણવાની જરૂર છે કે તેને પુણ્ય પાપકર્મને બંધ શાથી થાય છે, નવા બંધને રોકવાને અને જૂના બંધને કાપવાને શું ઉપાય છે કે જેથી તે કર્મ રહિત થઈ જાય. જ્યાં સુધી એવું જ્ઞાન નથી હોતું કે આ કપડું શા કારણથી મેલું છે અને તે મેલને ધોવાને કયા પદાર્થોની જરૂર છે, ત્યાં સુધી તે કપડું શુદ્ધ
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy