SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાને ઉપાય બની શકશે નહિ. નિશ્ચય નયથી કપડું સ્વભાવથી. ત અને રૂનું બનેલું છે તેથી કત સ્વચ્છ છે. અર્થાત નિશ્ચયનયથી જતાં તે મેલું કપડુ–સ્વચ્છ દેખાય છે કારણ કે કપડું તે એવું અને એટલું જ છે. મેલ તે ઉપરથી લાગેલે ધૂમાડે છે. લાગેલી ધૂળ છે, કે લાગેલે પરસે છે, કપડાને સ્વભાવ ભિન્ન છે, મેલને સ્વભાવ ભિન્ન છે. મેલ છે તે કપડું નથી, કપડું છે તે મેલ નથી. તેથી ખરી રીતે–ભૂલમાં સ્વભાવમાં કપડું ત–વચ્છ છે. એ પ્રકારે કપડાને જેવું તે નિશ્ચય નયની દ્રષ્ટિ છે. વ્યવહાર નથી કપડું મેલું છે કારણ કે મલે સ્વચ્છતાને ઢાંકી દીધી છે કપડું મેલું દેખાય છે. મેલના સાગથી મલીનતા કપડામાં આવી રહી છે, ૫ડાની વર્તમાન અવસ્થા વિભાવરૂપ છે, અશુદ્ધ છે. બને દષ્ટિ અપક્ષાથી બને ભિન્ન વાતને જેવી ચોગ્ય છે. નિશ્ચય નયથી કપડું સ્વચ્છ છે એ સ્વભાવની દૃષ્ટિ પણ ચોગ્ય છે. વ્યવહાર નથી કપડું મેલું છે એ વિભાવની દષ્ટિ પણ યોગ્ય છે. જે કઈ માત્ર એક જ દષ્ટિને માને બીજી દષ્ટિને સર્વથા ન માને તે તે મેલાં કપડાંનું યથાર્થજ્ઞાનથશે નહિ. અને કપડું કયારે પણ સાફ કરી શકાશે નહિ. જો કેઈ નિશ્ચયનયને પક્ષ ગ્રહી એમ જ માને કે આ કપડું સ્વચ્છ જ છે. ઉજળું જ છે, આ મેલું જ નથી, તે એવું માનવાવાળે સ્વચ્છ કરવાનો પ્રયત્ન કરશે નહિ. એ જ પ્રકારે જે કઈ વ્યવહાર નયને પક્ષ ગ્રહી એમ જ માને કે આ કપડું મેલું જ છે, મેલું જ રહેવાને એને સ્વભાવ છે તો એવું માનવાવાળા પણ કે વખત કપડું સ્વચ્છ કરશે નહિ. એ બે દષ્ટિમાંથી એક જ દષ્ટિએ જેનાર-માનનારે કયારેય પણ કપડું સ્વચ્છ કરી શકતા નથી. જે ઈ બંને દૃષ્ટિથી કપડાને જોશે કે આ કપડું સ્વભાવથી તે સ્વચ્છ છે, પરંતુ વર્તમાનમાં એની સ્વચ્છતાને મેલે ઢાંકી દીધી છે. મેલ તે ક્ય નથી, કપડું તે મેલ નથી, બને જુદા જુદા સ્વભાવવાળા છે. ત્યારે અવશ્ય મેલને કાઈ મસાલાના સાધનથી ધોઈ શકાય છે એવું
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy