SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ જે જે ત્યાગવા પર પૌગલિક રામદેવદિ રિયાભાવ વર્તે છે સિ ત્યાગી દીધું છે. તેને ક્યાંથી ગ્રહણગ્ય કઈ રહ્યું નહિ અને ત્યાગવા યોગ્ય કાંઈ બાકી રહ્યું નહિ, તે હવે નવીન શુ કાર્ય કરવાનું બાકી રહ્યું પરિગ્રહરૂપ સગો ત્યાગ કર્યો; શરીરાદિનું મમત્વ ત્યાગ્યું અને વચનના વિકલ્પો ત્યાગ્યા; મનના સંકલ્પ-વિકલ્પને ત્યાગ્યા, ઇકિય જનિત બુદ્ધિના નિર્ણયો તજીને નિજ આત્માને પર વસ્તુના ત્યાગથી શુદ્ધ કર્યો તે શુદ્ધાત્મા પુનઃ જન્મ ધારણ કેમ કરશે? અર્થાત એ પુનઃ સ સારમાં આવતા નથી. કરમ ચક્રમે ફિરત જગવાસી છંવ, વહૈ રહ્યો બહિરમુખ વ્યાપત વિષમતા, અંતર સુમતિ આઈ વિમલ બડાઈ પાઈ. પુદ્ગલસે પ્રીતિ ટૂટી છૂટી માયા મમતા શુદ્ધને નિવાસ કરે અનુભૌ અભ્યાસ લઈને, ભ્રમભાવ છાંડ દીને ભીને ચિત્ત સમતા, અનાદિ અનંત અવિકલપ અચલ એસે, પદ અવલંબિ અવેલેકે રામ રમતા. , - ત્રણે લોકમાં કર્મરાજાનાં ચક્ર ફરે છે તેમાં આ જંગવાસી જીવ પણ કરી રહ્યો છે અને તેથી એની દષ્ટિ બહિર્મુખ-અંતર આત્માને ભૂલી દેહાદિક વિષયભોગો પ્રત્યે આસક્ત થઈ રહી છે અને ઇષ્ટ વિચગ અને અનિષ્ટ સાગથી એનાં પરિણામ આકુળવ્યાકુલ રહેવાથી વિષમભાવ અશુદ્ધતા એનામાં વ્યાપી ગઈ છે. જ્યારે એને અંતરમાં સમ્યફમતિ આવે છે. અને આત્મસ્વરૂપની નિર્મળ પ્રભુતાને પ્રાપ્ત થાય છે ત્યારે દેહાદિ પુદ્ગલ પર્યાની પ્રીતિ તૂટી જાય છે અને માયા અને મમતા મૂકાય છે; શુદ્ધ નયથી જેવુ આત્મસ્વરૂપ છે તેવા આત્મસ્વરૂપમાં ઉપયોગ સ્થિર થાય છે, આત્મા
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy