SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪: જે જિનભાવમા (પરમશાંત-ઉપશભાવ)ને ભાવે છે તે જીવ ઉત્તમ મુક્તિસુખને પામે છે. જે સુખ કલ્યાણરૂપ છે, અજર છે, અમર છે,' અનુપમ છે; ઉત્તમ છે, શ્રેષ્ઠ છે, પ્રશંસનીય છે, શુદ્દ છે, મહાન છે. (૬) શ્રી કુંદકુંદસ્વામી મેાક્ષપાહુડમાં કહે છે ઃ~~ मयमायकोहरहिओ लोहेण विवज्जिओ य जो जीवो । णिम्मलसहावजुत्तो सो पावइ उत्तमं सोक्खं || ४५|| જે જીવ મદ, માયા, ક્રોધ, લેાભથી રહિત છે, નિર્મળ સ્વભાવથી યુક્ત છે તે ઉત્તમ સહગુખને પામે છે. वेरगपती साहू परदव्यपरम्मुहो य जो होदि । संसारसुहविरशे सगसुद्धसुहेसु अणुरत्तो ॥ १०१ ॥ જે સાધુ વૈરાગ્યવાન છે, પરત્ર્યથી પરાંગમુખ છે, સૌંસારનાં સુખથી વિરક્ત છે. તે જ પાતાના આત્મિક શુદ્ધ સહજસુખમાં લીન હાય છે (૭) શ્રી વટ્ટકરસ્વામી-મૂલાચાર-દિશાનુપ્રેક્ષામાં દર્શાવે છેઃ— उवसम दया य खंती वड्ढइ वेरग्गदा य जह जह से 1 तह तह य मोक्ससोक्खं अक्खीणं भावियं होइ ||६३ || જેમ જેમ શાંતભાવ, દયા, ક્ષમા, વૈરાગ્ય વમાન થાય છે તેમ તેમ અવિનાશી સહજ મેક્ષ સુખની ભાવના વધુ માન થાય છે, અધિક અધિક સુખ અનુભવમાં આવે છે. उवसमखयमित्सं वा बोधि लढूण भवियपुंडरिओ । तवसंजमसंजुत्तो अक्खयसोक्खं तदा लहदि ॥ ७० ॥ જે ભવ્ય ઉપશમ, જ્ઞાયિક કે ક્ષયાપશમ સમ્યક્ત્વને પ્રાપ્ત કરી તપ, સયમ પાળશે તે તે અક્ષય સહજસુખને પામશે. (૮) શ્રી વકૅરસ્વામી—મૂલાચાર, અણુગારભાવનામાં લખે છેઃ—
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy