SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ છતાં તે સહજસુખને ભૂલી જાય છે અને ભ્રમથી ઇનિા વિષમાં શોધ કરે છે કે આથી કંઈક સુખ મળશે. સુખ આત્માને ગુણ છે. જેમ આત્માના ચારિત્ર ગુણનું પરિસુમન સ્વભાવ અને વિભાવ એમ બે પ્રકારે છે તેમ સુખ ગુણનું પરિણમન પણ સ્વમાન અને વિભાવ એમ બે પ્રકારે છે. વીતરાગરૂપ થવું એ ચારિત્રગુણનું સ્વભાવ પરિણમન છે, કષાયરૂપ થવું એ વિભાવ પરિણમન છે. આ વિભાવ પરિણમનના પણ બે ભેદ. છે. એક શુભ ભાવ પરિણમન, બીજુ અશુભ ભાવ પરિણમન. જ્યારે મદ કષાયને રંગ હોય છે ત્યારે શુભ ભાવ કહેવાય છે, જ્યારે તીવ્ર કષાયને રંગ હોય છે ત્યારે અશુભ ભાવ કહેવાય છે. આત્મામાં સ્ત્રિ. ગુણ ન હોત તે શુભ ભાવ કે અશુભ ભાવરૂપ પરિણમન પણ થઈ શકત નહિ. તે પ્રકારે સહજસુખનુ સ્વભાવ પરિણમન ત્યારે થાય છે કે જ્યારે આત્મા આત્મા પ્રત્યે ઉપયોગવંત હોય છે, આત્મામાં. તલીન હેય છે. તેનું વિભાવ પરિણમન સાંસારિક સુખ કે સાંસારિક દુખનો અનુભવ છે. જ્યારે સાતા વેદનીય અને રતિ કષાયને ઉદય હોય છે ત્યારે સાંસારિક સુખરૂપ પરિણમન હોય છે. જ્યારે અસાતા. વેદનીય અને અરતિકષાયને ઉદય હોય છે ત્યારે સાંસારિક દુઃખરૂપ પરિણમન હેાય છે. જે આત્મામાં સુખગુણ ન હેત તે ઈદ્રિય સુખ કે દુખનું ભાન પણ હેત નહિ. કારણકે ઇન્દ્રિય સુખદુઃખ તે કક્ષાથના ઉદયના મેળથી મિશ્રિત સહસુખનું વિભાવ પરિણમન છે. કષાયથી મિશ્રિત હોવાથી સાચા સુખનો સ્વાદ ન આવતાં કષાયને જ વાદ આવે છે. કોઈ વખત પ્રીતિરૂપ, કોઈ વખત અપ્રીતિરૂપ કે ઠેષરૂપ સ્વાદ આવે છે. , જેમ મીઠમાં ભેળવેલ પાણી પીવાથી પાણીનો સ્વાદ ન આવતાં માંડીને સ્વાદ આવશે ખટાશ નાખેલું પાણી પીવાથી પાણુને. સ્વાદ ન આવતાં ખટાશને સ્વાદ આવશે પાણીમાં લીમડાનાં પાંદડાં
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy