SearchBrowseAboutContactDonate
Page Preview
Page 782
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વધર્મપરિષદ ૭૨૫ છે. પણ એમાં લક્ષ્યમાં રાખવાનું માત્ર એટલું જ છે કે આ વિશિષ્ટ અધિકાર જગતમાં વિરલ છે. ભવભૂતિએ કહ્યું છે કે એક જ રસ નિમિત્ત ભેદે ફરી ભિન્ન ભિન્ન રૂપમાં પ્રકટ થાય છે, જેમ એક જ જળ આવર્ત બુદબુદ તરગ ઈત્યાદિ વિકાર ધારણ કરે છે. આ જ સ્થિતિ આપણા પ્રકૃત વિચારને પણ લાગુ પડે છે. એક જ અલોકિક ધર્મ નિમિત્તભેદથી અનેક રૂપ ધારણ કરે છે. અતવ નમ્રભાવથી આપણે પરમાત્માને સ્તવીશું કે – દિનાનાથrsi नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव ॥" તથાપિ–“હિમા vs સત્યાદિ મુણા તર પુષ#gણ સત્યમય ઘ "x [વસન્ત, ચિત્ર, સં. ૧૯૮૩] ૪ વાચકની માહિતી માટે અત્રે જણાવ્યું કે આ જાતની–સર્વ ધર્મની પરિષઢ્યાં જેવી વિચાર કરવાની યોજના હોવી જોઈએ તેવી ત્યાં બિલકુલ ન હતી. ગુરુકુલના એક વિદ્વાનને બૌદ્ધ ધર્મ ઉપર, એક બહારના વિદ્વાનને જન ધર્મ ઉપર, એક મુસલમાન ભાઈને ઈસ્લામ ધર્મ ઉપર અને ગુસ્કુલના એક તીવ્ર બુદ્ધિવાળા સ્નાતકને આર્યસમાજના સિદ્ધાન્ત ઉપર એટલા જ લેખ હતા. શ્રોતાજનોનું મંડળ હોટે ભાગે અજ્ઞાન પંજાબી સ્ત્રીઓ અને પુરુષનું હતું. એમનામાં સત્ય ધર્મની જિજ્ઞાસા ઘણું હતી, પરંતુ આવી પરિષમાં જેવી ચર્ચા થવી જોઈએ તેવી ચર્ચા થાય અને એ સમજે એવું તેઓનું જ્ઞાન જણાતું ન હતું. તેથી મહે તે પરિસ્થિતિ સમઝીને જ મહારા લેખના આરંભના બે અને અન્તને એક એમ ત્રણ જ પેરેગ્રાફ વાંચ્યા અને કેટલુંક મહએથી પ્રસંગચિત કહી નાંખ્યું. લેખમાં બૌદ્ધ અને જૈન ધર્મના લેખ તે વ્યર્થ જ ગયા. તે પછી ઇસ્લામ ધર્મને લેખ વાંચનાર મુસ્લિમ ભાઈ ઉદાર હૃદયના હતા અને તેથી એમણે આ મંડળમાં ભાગ લીધો હતો, વેદ ધર્મનાં પણ એમણે વખાણ કર્યા હતાં; પણ સર્વ ધર્મનું શિખર ઈસ્લામ છે એમ બતાવવાને એમને પ્રબળ પ્રયત્ન હતે. આર્યસમાજી લેખમાં ઈસ્લામનું ખંડન હતું, અને તેથી મુસલમાન ભાઈએ ફરિયાદ કરી કે ઇસ્લામને લેખ પહેલે વંચાવી લઈ પછી આર્યન
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy