SearchBrowseAboutContactDonate
Page Preview
Page 756
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસાધર્મ વાય ઉપર ઢાંકપીછોડે નાંખવાને અપ્રામાણિક માર્ગ લેવાનું કાંઈ જ કારણ નથી; વસ્તુતઃ એ એ વાકયો તે તે સમયની વસ્તુસ્થિતિના માત્ર અનુવાદ રૂપ છે–અર્થાત પ્રચલિત આચાર એ નોંધે છે, પણ એ આચાર સારે છે કેમ એ પ્રશ્ન જ્યાં ઊઠે છે ત્યાં–ઔપનિષદ, ભાગવત, પંચમહાયજ્ઞાદિક ધર્મ–જૈન ધર્મની પેઠે જ એક અહિસાને જ વિધિ કરે છે. અને જે વિધિ તે જ આપણું કર્તવ્ય; અનુવાદ તે પ્રાકૃત સ્થિતિને પણ હેય. સગૃહસ્થો, આ અહિંસાધર્મને આપણું દેશને ઈતિહાસ આપવામાં મેં આપને ઘણે વખત , પણ તેમ કરવામાં ભારે મુખ્ય હેતુ કેવલ વ્યાવહારિક જ છે, અને તે એ સૂચવવાનો કે એ ધર્મ બ્રાહ્મણ અને જૈન બંનેને છે—જેનેએ એ સંપૂર્ણ જીવનમાં ઉતાર્યો છે, તે બ્રાહ્મ એ એને ધર્મભાવના તરીકે માન્ય કર્યો છે, જે કે તેઓ એને સંપૂર્ણ અમલમાં લાવી શક્યા નથી. તે હવે બ્રાહ્મણોની ફરજ છે કે તેઓએ જૈને સાથે મળી એ ધર્મને જીવનમાં સંપૂર્ણ સ્વીકાર કરવો જોઈએ. હવે હું આ વિષયની કેટલીક વ્યવહારૂ બાજુ ઉપર આવું છું: દશેરાને દિવસે પુરકારે, તેમ જ માનતા વગેરે બીજે અનેક પ્રસંગે દેવીનાં મન્દિરેમાં, પશુહિસા થાય છે તે અટકાવવાના વ્યવહારૂ સૂચનાઓ શાનિથી અને ઉપદેશથી પ્રયત્ન કરવા જોઈએ? કારણ કે આપણું વિશુદ્ધ ધર્મ ઉપર હિંસા કલંક રૂપ છે. દસેસને દિવસે પાડે (મહિષ) મારવાથી દેવીએ કરેલો મહિષાસુરનો વધ આપણે અનુભવીશું નહિએ વધનો સાક્ષાત્કાર ત્યારે જ થશે કે જ્યારે અજ્ઞાનરૂપી પાડે–જે યમરાજ(મૃત્યુ) નું વાહન કહેવાય છે તે પાડાને વધ કરીશું. દેવી આગળ નિર્દોષમાં નિર્દોષ પ્રાણું અસંખ્ય બિચારાં બકરાંઓને રેંસીશુ તેથી આપણું કલ્યાણ થવાનું નથી. ખરી અજા” તે “સામે સ્ટોહિતશુકgs’ એ વેતાશ્વતર શ્રુતિમાં વર્ણવેલી અનાદિસિદ્ધ સત્ત્વ રજસ્ અને તમસૂની બનેલી પ્રકૃતિ છે–એને વિદારવી, અને એના સંબન્ધથી અવિદ્યોહિત અનાદિસિદ્ધ ચૈતન્ય અજ' રૂપ જે જીવ બને છે તેને નાશ કરવો–એ જ ખરૂ બલિદાન છે. પણ આજકાલ–જે કે પૂર્વે પણ તેમ ન હતું એમ નહિ–કતલખાનામાં અસંખ્ય પ્રાણુઓને વધ થાય છે ત્યાં પૂત યજ્ઞહિસા અટકાવવાથી જ સન્તોષ માન્ય કેમ ચાલશે ? એ યજ્ઞહિસા અને એ કતલખાનાં અટકાવવા જરૂરનાં છે, પણ એને ખરે માર્ગ મારા નમ્ર મત પ્રમાણે દેશી રાજ્યોને
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy