SearchBrowseAboutContactDonate
Page Preview
Page 720
Loading...
Download File
Download File
Page Text
________________ - શંકરજયન્તી છે. વિષ્ણુનું માહામ્ય છે, વેદસંહિતાના સમયનું છે. પણ લાંબા વખત સુધી એની ભક્તિ મન્દ પડી જવાથી, એ જ્યારે ફરી ઊભી થઈ ત્યારે, ઈતિહાસના જ્ઞાનને અભાવે, જૂના શૈવ સંપ્રદાયીઓને નવી લાગી— અને તેથી એમણે પિતાના સંપ્રદાયને “માર્ત–સ્મૃતિને અનુસરનારે – ભા, અને હામા પક્ષને પાખંડી કહ્યો તે જ પ્રમાણે વૈષ્ણએ પણ વેદ યજુર્વેદ ભૂલી જઈ શિવસંપ્રદાયવાળાઓને ભૂત-પિશાચના ઉપાસકે ગણ્યા ! આ સર્વ તામિલ દેશની લઢાઈ, અને તે પણ જૂના વખતની, તે વર્તમાન સમયમાં આપણું દેશમાં આપણે શા માટે હેરવી જોઈએ? શંકરાચાર્યની ગાદીએ બેસનારનું કર્તવ્ય આ બેમાંથી એકે પંથ સાથે ન જોડાતાં– શુદ્ધ શાંકરસિધ્ધાન્ત જેની રૂપરેખા મેં આપના આગળ દેરી બતાવી–તે જગતમાં પ્રચલિત કરવાનું છે. હું શંકરાચાર્યનું ખાસ નામ લઉં છું તેનું કારણ એ છે કે આ વિષયમાં સર્વ આચાર્યો પૈકી આદ્ય શંકરાચાર્ય જે ઉદાર સિદ્ધાન્ત પ્રતિપાદન કર્યો છે તે બીજા કેઈ આચાર્ય કર્યો નથી, અને તેથી એમની ગાદીએ બેસનાર માથે અન્ય આચાર્યો કરતાં આ બાબતમાં અધિક કર્તવ્ય રહે છે. * અત્યારે આપણા સર્વ આચાર્યોનું કર્તવ્ય છે કે એમણે પરસ્પરના કલહ છોડી દઈ એકઠા મળી આવા સઘળા એક બીજાની વર્તમાન આચાર્યોનું નિન્દાના ભાગે પુરાણેમાંથી દૂર કરવા. જનસમાજના કર્તવ્ય અમુક ભાગે તે અમારે જ સંપ્રદાય પાળ જોઈએ એ આગ્રહ પણ તેઓને નિરાધાર છે, અને તે પણ એમણે એકત્ર મળી છેડી દેવો જોઈએ. આ વિવિધ સંપ્રદાયો બરાબર રીતે ચલાવવામાં આવે તો તે અનિષ્ટ નથી. આપણા ધર્મની એ ખાસ ખૂબી છે કે આ સંપ્રદાયે કાંઈ જ કારણથી લઢાઈ ઉત્પન્ન થઈને પડયા નથી–પણ એની પાછળ ધર્મ અને તત્ત્વજ્ઞાનના ઊંડા મતભેદ રહેલા હોય છે. કોઈનું માનસિક બંધારણ એવું હોય કે તેને ભક્તિ જ બહુ ગમે–તેને અધિકાર શંકરાચાર્ય કરતાં વલ્લભાચાર્યના સંપ્રદાય માટે છે. કેઈકનું માનસિક * આ અને આ પછીને આચાર્યોને લગતે ભાગ કાળસંકેચને લીધે ભાષણ વખતે અસ્પષ્ટ રહી ગયેલે તે અત્રે સ્પષ્ટ કર્યો છે. ક ઉલટું પિતાના માનસિક બંધારણમાં ભક્તિને આવેશ બહુ દેખાય તો તે દબાવવા માટે શકરાચાર્યના જ્ઞાનનું સેવન કરવું જોઈએ. એમ આ પ્રતિપાદન ઉપર એક આક્ષેપ કરવામાં આવ્યો છે. પણ સંપૂર્ણ સત્યનો આ
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy