SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાર્થના ૬૦૧ સ્થિતિ અત્યારે ઇંગ્લડ ફ્રાન્સ વગેરે દેશોમાં અક્ષરશઃ સત્ય થઈ રહી છે. તેથી હર્ષની મદિરા પીવા ઈગ્લેંડ કે હિન્દુસ્થાન બેઠું છે એમ કેઈને બ્રાતિ મા થાઓ. અમે તે શાન્તિસૂક્ત જપવા બેઠા છીએ, અને એ અમે અહીં બેસીને જપી શકીએ છીએ એટલો જ અમારે , આનન્દ છે. શાન્તિસૂક્ત આ કે सर्वेऽत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखमाप्नुयात् ॥ . ૩૪ શનિન, નિત્તા, રાતિઃ | [વસન્ત, ભાદ્રપદ, ૧૯૭૫] - રા - - - - - - - પ્રાર્થના વર્તમાન પાશ્ચાત્ય વિદ્યાથી સંસ્કારાએલા જ સેવાને માને છે, પ્રાર્થનાને માનતા નથીઃ જગતમાં રહી નહાનાં હોટાં કર્તવ્યો કરવા એ જ પ્રભુનું ખરું આરાધન છે, ભગવદ્ગીતાને શબ્દ લઈને બોલીએ તે “કાગ' એ જ મનુષ્ય અને પ્રભુ વચ્ચેનો પોગ” યાને જોડાણ, ગાંઠણ છે–એમ તેઓની માન્યતા છે. ખરેખર, આ કર્મ કરવામાં જે “ગ” અનુભવાતે હોય, એટલે કે જગતનાં કર્તવ્યો કરવાની સાથે એ ક્રિયામાં પ્રભુને સંસ્પર્શ થતો લાગતો હોય,–અર્થાત, કમને જ “ગ” માની લેવો એમ નહિ પણ કર્મમાં વેગ અનુભવ એટલું સ્વીકારાય–તે આ સિદ્ધાન્ત સામે કાંઈ કહેવાનું નથી. પણ આ સિદ્ધાન્તનું સ્વરૂપ કેટલીકવાર એની યોગ્ય મર્યાદાની બહાર ખેંચી જવામાં આવે છે. તે એવી રીતે કે એમાં સેવાધર્મનું પ્રતિપાદન કરવાની સાથે પ્રાર્થનાધર્મને નિષેધ કરવામાં આવે છે. ગયા શતકના ધર્મસંબધી પાશ્ચાત્ય સાહિત્યમાં પ્રાર્થના સામે આ • એક મહાટી દલીલ થતી વાંચીએ છીએ કે “પ્રાર્થનાથી શું થઈ શકે ?' સાયન્સે આ૫ણુ સમક્ષ એવું જગત ખુલ્લું કર્યું છે કે જે કાર્યકારણુભાવની સાંકળથી દઢ જકડાએલું છે, બલકે જે એ સાંકળરૂપ જ છે, અને જેમાં એક રેખ માત્ર પણ ન્યૂનાધિકતા કે અન્યથાભાવ કરવાનું સામર્થ્ય નથી. બનારસ હિન્દુ યુનિહસિટિમાં વિદ્યાર્થીઓને ધાર્મિક વિષય ઉપર નાના ન્હાના ઉપદેશ અપાય છે. એમાંના એક અંગ્રેજી ઉપદેશ ઉપરથી. ૭૬
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy