SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ પ શાન્તિપા સારૂં નદીએ ગયા હતા ત્યાં એમણે વૃક્ષ ઉપર ક્રાંચ પક્ષીની એક જોડ દીઠી, એ જોઈ રહ્યા છે. એટલામાં એક શિકારીએ પક્ષીને માણ માર્યું, અને એમાંથી એક પક્ષી જમીન ઉપર પડયુ. પડયુ` કે તુ વાલ્મીકિ મુનિ હૃદયમાંથી એલી ઊઠા (સર્જનાનાં હૃદય ધણાં કામળ હેાય છે ): મા નિષાદ્ ! પ્રતિષ્ઠાં વામઃ શાશ્વતીઃ સમઃ । यत्कौश्चमिथुनादेकमवधीः काममोहितम् ॥ " “ હૈ નિષાદ ! તુ બહુ વર્ષ નહિ જીવે; કારણ કે, પ્રેમથી વળગેલા એવા એક પક્ષીનેા તે” વધ કર્યાં.” લૌકિક ભાષામાં અનુભ્ છન્દી આ પહેલવહેલા ઉદ્ગાર થયા દેખી બ્રહ્મા વાલ્મીકિની પાસે આવ્યા; અને માલ્યા: “ પ્રત્તિવુદ્ઘોડલ વાન ાળિ, તવું વ્રુદિ રામતમ્ ''-પૂર્વોક્ત શ્લોક રામ સીતાનેા વિયેાગ પાડનાર રાવણુ ઉપર શાપરૂપ જે રામાયણની કથા છે એનું ખીજ થઈ ગયું. ચિત્તક્ષેાભથી હૃદય દ્રીભૂત થાય છે એમાંથી કાવ્યના આવિર્ભાવ થયા એમ કહેવું ઠીક છે, અને એ પણ ઠીક છે કે આ બ્રહ્માંડમાં એક જીવના વિનાશ પણ કટલે કરુણુરસજનક છે, બ્રહ્માંડની મધુરી વીણાના તાર એથી કેટલા મેસરા થઈ જાય છે એ સત્ય જો ખરાખર સમઝવામાં આવે, અને તે અનુભવમાં પડી જાય, તે। એથી વધીને કાઈ જ્ઞાન નથી. પણ દાંત અને પઝામાં રુધિરે ખરડી એવી પ્રકૃતિ'ના ઉત્સંગમાં પડેલા અમે પામર જીવ એવા કાઠા હૈયાના થઈ ગયા છીએ કે ઉપર કહેલા કરુણરસદ્વારા જે બ્રહ્મરસને અનુભવ થઈ શકે છે તે કરવાને લાયક અમે રહ્યા જ નથી. કેટલાક વિદ્વાન એમ કહે છે કે રામાયણમાં આયે લેાકાએ ઇસ્યુ નામ અનાર્યે લેાકના પરાભવ કર્યાં એ વાતનું વર્ણન છે, એ કારણથી એ ગ્રન્થ આર્ય હિન્દુ લાકના ધર્મગ્રન્થ બની ગયા છે. અસ્તુ. એ રીતે કવિપ્રતિભાદ્વારા એક ન્હાના પ્રસંગ પણ મ્હાટા કાવ્યરૂપ વૃક્ષમા પરિણત થઈ શકે છે. પણ જોવું જોઇએ કે “ સિયાવર રામચન્દ્રની નય ” ( તુલસીદાસ ) એ કાંઈ એક સિપાહીની જયધેાષણા નથી—જેવી કાઈ એક ફ્રેંચ અગર અંગ્રેજ દુશ્મન સામે કરે એ પ્રકારની: પણ એ તેા એક પ્રભુના નામને જય ઉચ્ચારી છે. આ વસ્તુસ્થિતિનું શુ કારણ ? કારણ એ કે આ મહાકાવ્યમાં અધ્યાત્મદૃષ્ટિએ જોતાં એક મ્હારું સત્ય પ્રતીત થાય છે. એ સત્ય એક રાક્ષસી સંપન્ દેખાતી રાવણ જેવી પ્રચંડ અને - સંસ્કૃતમાં દ્રિ-અર્ધીઃ મારવું; અને કેદ કર્યું.
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy