SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ આપણા ધર્મ નિરુપયેાગી અને અર્થરહિત અનાવી દે છે, અને “પ” ની ખોટી કલ્પના હૃદય આગળ ઊભી કરી એ મૃગતૃષ્ણા પાછળ મનુષ્યને દોડાવે છે, અને એ રીતે એના આ લેાક પણ બગાડી મૂકે છે, એવા મિથ્યા આરેાપ એ ધર્મ ઉપર કેટલીક વાર લાવવામાં આવે છે. પણ જરા વિચાર કરતાં જણાશે કે પૃથ્વી ઉપર પ્રવર્તતા સર્વ ધર્મોંમાં બ્રાહ્મધર્મ જ એવે છે કે જે આ લેાક અને પરલેાક અને ઉપર યેાગ્ય દૃષ્ટિ રાખે છે. . > શિષ્ય ગુરુ પાસે ભણવા જાય ત્યારથી એને અન્ય ખામતાની સાથે ‘કુશલ' અને ‘ ભૂતિ ' (આખાદી)ની ખામતમાં પ્રમાદી ન રહેવા ઉપદેશ દેવામાં આવેછે, અને તે સાથે સર્વ પ્રવૃત્તિઓનું પરમ ઉદ્દેશ્યસ્થાન પરમાત્મા છે એ વાતનું પણ સ્મરણ રખાવવામાં આવે છે. હવે ખીજા ધર્મોં તરફ નજર ફેરવા. બૌધë× આ જગત્ દુઃખમય અને તત્ત્વશૂન્ય ગણી તિરસ્કારી કાઢયું, સર્વત્ર સંન્યાસ વિસ્તારી મૂકયા, અને પરિણામે સર્વે વ્યાવહારિક વ્યવસ્થા શિથિલ અને અસ્તવ્યસ્ત કરી નાંખી. ક્રિશ્ચયન ધર્મ વ્યાવહારિક પ્રવૃત્તિઓને અનુકૂલ છે એમ વર્તમાનકાળની ક્રિશ્ચયન પ્રજાઓની વર્તણુક ઉપરથી કેટલાકને લાગતું હશે, પણ ખરું જોતાં એ પ્રજાએમાં એ ગુણુ રામ અને ગ્રીસમાંથી ઊતર્યાં છે. ક્રાઇસ્ટના મુખ્ય ઉપદેશ તા જગતના વ્યવહારની દરકાર ન કરતાં પરમેશ્વર ઉપર પ્રેમ અને વિશ્વાસ રાખી રહેવાના છે. સર્મન આફ ધ માઉન્ટ' માં એ કહે છે કે મનુષ્યે ખાવાપીવાની કે એઢવાપહેરવાની વસ્તુ માટે ક્કિર કરવાની નથી, કારણ કે વૃક્ષેા અને પંખીએ એની કયાં કિર રાખે છે? છતાં એમને સર્વે મળી રહે છે. આ સિદ્ધાન્તને અનુસરી રામન થાલિક પન્થમાં સંન્યાસની રીતિ ચાલી છે, પણ તે ગ્રેટેસ્ટન્ટાએ સ્વીકારી - कुशलान्न प्रमदितव्यं भूत्यै न प्रमदितव्यम् " - तै. उ. × ગૌતમ બુદ્ધના પેાતાના આશય જુદા હતા, પણ આપણે તે જે ધર્મે બૌદ્ધ ધર્મને નામે પાછળથી ફેલાયા તેની જ વાત કરીએ છીએ. મૂળ બૌદ્ધ ધર્મ વસ્તુતઃ બ્રાહ્મધર્મને અંગે જ ઉત્પન્ન થયા હતા; અને એક વખતે વિસ્તરેલા અમુક ધામિઁક કચરાના નાશ કરવાના એ યત્ન હતા, અને એ યત્ન ઘણે ભાગે (તેમન્ત પણ થયા હતા. માટે વિશાળ અર્થમાં લેતાં આપણા બ્રાહ્મધર્મમાં બૌદ્ધધર્મના પણ સમાવેશ થાય છે. પણ શ્રાદ્દાધર્મના પ્રતિપક્ષી ગણાવાને એ જેટલે દરજ્જે દાવા કરે, તેટલે દરજ્જે એને બ્રાહ્મધર્મથી જુદી ગણી ચર્ચા કરી છે,
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy