SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ, નિયમ એક જ રિ પ૯૦ ૪ થી ઓગસ્ટની પ્રાર્થના શકતે નથી એમાં કોઈ શંકા છે? બેશક, આ વિશ્વમાં નિયમ પ્રવર્તે છે અને એ નિયમમાં મનુષ્યથી ફેરફાર થઈ શકતો નથી એ સાચું છે. પણ એ નિયમ સર્વ કલ્યાણનિધાન પ્રભુને કરેલો છે; અને એ નિયમ છે કે મનુષ્ય ફેરવી શકતું નથી તે પણ એ નિયમનો લાભ લઈ શકે છે, એના પ્રકટીકરણનું સ્થાન એકને બદલે બીજું કરી શકે છે. જળ અને અગ્નિના સંયોગથી વરાળ ઉત્પન્ન થાય છે એ પ્રકૃતિને નિશ્ચલ નિયમ છે, પણ એ વરાળને એજીનમાં ભરી ગાડી ચલાવવી એમાં મનુષ્યની બુદ્ધિને અને એની કર્તવશક્તિને અવકાશ છે, અને તે થકી વિશ્વના નિયમનો ભંગ થતું નથી, પણુ એ નિયમનું પ્રકટીકરણ અને વિશેષ ઉદાહરણ થાય છે. આ જ રીતે અત્યારે આપણે જે પ્રાર્થના કરવા ઈચ્છીએ છીએ તે પ્રભુના નિશ્ચલ નિયમ ફેરવવા માટે નથી, પણ એ જ નિયમને લાભ લેવા માટે છે, એ નિયમ આપણામાં પ્રકટ કરવા સારું છે. હવે પ્રભુના એ નિયમ શા શા છે એ જોઈએઃ એક જ વાક્યમાં સર્વ નિયમ સમાવીએ – ધવિહી તેનુ વારિક મરતમ—ધર્મથી અવિરુદ્ધ એવી જેટલી ઈચ્છા તે પ્રભુનું રૂપ છે, અન્ય નહિ. એને જ પ્રકૃત સમયમાં વિશેષરૂપે તપાસીએ તે તે આ પ્રમાણે જણાય છે. એક તે અત્યારે, નેહાના ન્હાનાં રા પણ મહેતાં રાજ્યોને હાથે રક્ષણને પાત્ર છે એ સિદ્ધાન્ત જોરથી પ્રતિપાદન થતો આવે છે. બેજિયમ સવિયા રૂમાનિયા અત્યારે લુપ્તપ્રાય થઈ ગયાં છે અને એની મૂળ સ્વતન્ત્રતામાં આપણે ફરી રેપવાં છે, અને તેમ કરવાના પ્રયત્નમાં ન્હાનાં રાજ્યની સ્વતંત્રતા પણ પવિત્ર છે એ સિદ્ધાન્ત આપણું બ્રિટિશ સામ્રાજ્યની ધ્વજામાં ફરકે છે. બીજુ દેહમાં સર્વ અવયવ સમાન છે, સમાન યોગક્ષેમને પાત્ર છે, અને સર્વની એકત્ર સંઘટનામાં જ દેહનું જીવન છે એ ન્યાયે–બ્રિટિશ સામ્રાજ્યનાં જુદાં જુદાં અવયવે પણ અત્યારે એકતાથી કામ કરવા તત્પર થઈ ગયાં છે, સમાનતાનું તત્ત્વ સમજવા લાગ્યાં છે, અને નાધિક ભાવને સ્થાને બધુભાવનું સામ્રાજ્ય સ્વીકારવા ચાલ્યાં છે. આપણું સામ્રાજ્યની નીતિમાં આ બે મહાન સત્ય-એક બાહ્ય સંબન્ધનું (External Policy )નું અને બીજું આન્તર સંબન્ધનુ (Internal Policy) નું–જે મનુષ્યજાતિની ઉન્નતિ પ્રભએ સ્થાપેલા નિલ નિયમને ભાગ છે તે આપણું રાજ્યનીતિમાં તમન્ત કરવા પ્રભુ આપણને મતિ અને સામર્થ્ય આપો. પણ એમ કહેવામાં આવશે કે આપણું શત્રુઓ પણ આ જ પ્રમાણે પ્રભુની પ્રાર્થના કરતા હશે તે છે કરતા હોય તે એ કરતાં વધારે મંગળ શું? તેઓ પણ પ્રભુની સિહાન, પ્રથમ મુળ વત
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy