SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ જય–ભારત-મહાભારત ૫૪૫ પાસ એટલું બધું બીજું વસ્તુ ગૂંથાયું છે કે સમસ્ત મળીને જે વસ્તુ અને છે એને જ ભારતનું મૂળ વસ્તુ કહેવું જોઈએ. પણ પહેલાં નિર્દેશેલા મૂળ વસ્તુથી આને પૃથક્ પાડવા માટે આપણે એને ગ્રન્થવસ્તુ કહીશું, આ વિવિધ આછા—ઘેરા રંગથી રંગ્યા અસંખ્ય સૂત્રાત્મક પટ જેવા વસ્તુથી, મહાભારત, ફિદેાસીના શાહનામા કે ગુણાત્મ્યની બૃહત્કથા ( વિદ્યમાનરૂપે, સંસ્કૃત કથાસરિત્સાગર )ના વર્ગમાં મૂકાય એવા એક રસિક વાર્તાગ્રન્થ બનત. પણ એ કરતાં મહાભારત જે ઊંચુ સ્થાન ભાગવે છે એ શાથી ? એના કાવ્યરસથી જ ! એટલું જ હાત તા એની સાથે હામરનું ઇલિયા હરીફાઈ કરી શકત. ખરેખર, મહાભારતના અદ્ભુત ગૌરવનાત્ર પૂર્વોક્ત ગ્રન્થવસ્તુથી કે એ વસ્તુને દીપાવનાર ઉચ્ચ કવિત્વશક્તિથી ખુલાસેા થતા નથી. એ ગૈારવ તા, પૂર્વીક્ત ગુણાને લેાપ્યા વિના, મહાભારતમાં જે આર્ય દ્રવિડ સંસ્કૃતિની ચિત્રાવલિ રચવામાં આવી છે, તથા અખિલ ગ્રન્થમાંથી “ચત્તો ધર્મસ્તતો નચા” એવા જે ગંભીર ગૈારવભર્યાં સૂર નીકળી રહ્યો છે, એનાથી જ પ્રાપ્ત થયું છે. ચેાગ્ય પ્રશંસાથી કહેવામાં આવ્યું છે કે “ વિજ્ઞાન્તિતચત્ર-ચત્રાસ્તિ ન સત્ વિત” “ જે અહીં છે તે જ ખીજે છે, અને જે અહીં નથી તે કયાંય નથી. 99 આમ મહાભારતમાં મૂળ કથા, આનુષ'ગિક કથાવિસ્તાર, આ– દ્રાવિડ સંસ્કૃતિના આચારવિચાર, અને સના કલશરૂપ મનુષ્યના પરમધનુ નિરૂપણુ એ તત્ત્વા આપણે પૃથક્ પૃથક્ પાડીને જોઈ શકીએ છીએ. આ સર્વ તત્ત્વા મૂળથી જ ભિન્ન ભિન્ન હતાં અને કાળક્રમે એક પછી એક ઊમેરાતાં ગયાં એ વર્તમાન વિદ્વાનાની કલ્પના સર્વેથા ખરી નથી. કારણકે કવિકૃતિ હંમેશાં એકસૂત્રી જ હાય છે એમ નથી, મૂળ કવિ અનેક સૂત્રો વણીને એક મહાકાવ્યરૂપ પટ રચે છે, અને આપણા દેશના સંપ્રદાયાનુસાર યુદ્ધના વર્ણન સાથે અનેક ધાર્મિક ઉપદેશા કરવાના પ્રસંગા ઉત્પન્ન કરવા એ અસ્વાભાવિક નથી. તેમ અત્યારે આપણે જે મહાભારત જોઇએ છીએ એ રૂપે એ મૂળથી જ હતું એ માન્યતા પણ પૂર્ણાંશે સ્વીકારાય એવી નથી. કારણકે વિદ્યમાન મહાભારતના જુદા જુદા ભાગમાં એવું જોવામાં આવે છે કે કેટલાક ભાગ ઇ. સ. પછીના તેમ કેટલેાક બહુ પુરાણા છે એમ બે સ્વરૂપ માન્યા શિવાય ચાલતું નથી. એક × ખેાટી વ્યુત્પત્તિથી તથાપિ ખરા ગુણ પ્રકટ કરતાં પ્રશસ્તિકાર કહે છેઃ महत्त्वाद् भारषत्वाच्च महाभारतमुच्यते tr 33
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy