SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦ શ્રી મહાભારતનું ઉપદેશરહસ્ય માધુપુરાવાઈ રહેલા હાય? આ પ્રશ્ન ઉપર મનન કરતાં, એક પમ ગંભીર ઉપદેશ પ્રતીત થાય છે; એ ઉપદેશ તે મહાભારતનું રહસ્યભૂત સૂત્ર છે—એ સૂત્ર બે તત્તુઓનું વણાએલું છે, અને એ છે તન્દુઓને સ્વરૂપનિર્દેશ કરવાના આજના યત્ન છે. ? મહાભારતની વાર્તામાંથી નીકળતા એક સામાન્ય ઉપદેશ શા ?એમ પ્રશ્ન થતાની સાથે જ એક ઉત્તર તા મહાભારતકારના પેાતાના જ શબ્દોમાં આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે; અને તે એ કેઃ— તતો ધર્મઃ થતો ધર્મસ્તતો નથ: ’ થતા 46 જ્યાં કૃષ્ણ ત્યાં ધર્મ, જ્યાં ધર્મ ત્યાં જય ! સંસારમાં પરમાત્માના અવતાર છે એમ સમજી, પરમાત્માને ઓળખી એની સહાયતા પામવી, અને એના સારથિપણાથી ચાલતા આ જીવનરૂપી રથમાં આઢ થઈ આસુરી સંપત્ સામે લઢવું, એ ધર્મ—અને જ્યાં આ પ્રકારના ધર્મ ત્યાં જ જય. પરમાત્મા આ સંસારમાં દેખાય છે તેટલા જ નથીઃ સંસારમાં તે એનું માત્ર એક પગલું જ પડેલું છે. બલ્કે આ સંસાર એ જ એનું એક પગલું, યાને ચરણુારવિન્દ છે—અને અખિલ અનન્ત પુરુષ તે એ કરતાં ઘણુંા અધિક છે, આમ છતાં જેએ એને સંસારની પેલી પાર રહેલા સમજે છે, અને એ રીતે સંસારથી આવૃત થતા માને છે, અને એમ શંકા ઉઠાવે છે હું ૮ પરમાત્માને વળી અવતાર ક્રેવે? ’—તેએ પર્માત્માની અનન્તતા વીસરી જાય છે, અને સમજતા નથી કે પરમાત્માના અવતાર તા આ વિશ્વમાં નિત્ય નિરન્તર બન્યા જ રહે છે. પરમાત્માના અવતાર' એટલે પરમાત્મા પેાતે આકાશમાંથી નીચે પૃથ્વી ઉપર ઊતરી આવે છે કે પેાતે આકાશમાં ખેડા રહી અહી એક બીજી સ્વરૂપ ધારણ કરી માણસ તે છે એમ સમજવાનું નથી; પણ પરમાત્માના ‘અવતાર' તે પરમાત્માનું પેાતાનુ જ જગતના અનુગ્રહાર્ચે થતું પ્રાકટ્ય છે. અને તેથી પરમાત્માને જગતની પાર શેાધવા જવું પડે એમ નથી; તથા એ આપણી મહાર—મ્હારી હામે તમે ઊભા છે. એમ—એક બીજો પુરુષ છે એમ પણ નથીઃ જગતમાં એ પ્રકટ થાય છે અને આપણા સર્વની અન્તમાં નિકટ રહેલા છે, અને તેથી જ~~ મીરાં ભક્તિ કરત હૈ પ્રકટકી, નાથ તુમ જાનત હ્રી સખ ટકી. 86 ܕܪ એ પ્રાકટ્ય ‘અસત્’ભાથી ‘સત્’માં જવા, ‘તમસ્’માંથી ‘જ્યૂડિત'માં જવા, જીવાત્માને તેમ જ જગને આવશ્યક છે. યદ્યપિ એ પ્રાકટ્ય નિત્ય નિરંતર થયાં જ કરે છે, તથાપિ જૅમ અન્ધકારમાં દીપ
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy