SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ • શાંકર સિદ્ધાન્ત અને વેગ ૩% શંકરાચાર્ય દરેક વસ્તુને એવી સંપૂર્ણ રીતે સમજતા હતા કે કેટલાક હઠયોગ કરતાં કરતાં ચિત્તની એકાગ્રતા પામી જાય છે એ વાત એમની જાણ બહાર નહોતી. પણ હઠાગ એ ખરે માર્ગ નથી, અને તેથી એવા લોકોને પ્રિય થઈ પડેલા હઠાગ સાથે રાજગ જેવાને એમને ઉપદેશ કરે છે–એવી સમજણથી કે તે દહાડે રાજગ હઠયોગને એની મેળે હઠાવી. દેશે. ઉદા. દરેક શિક્ષક સારી પેઠે જાણે છે કે કેટલીકવાર ગેખણપટ્ટીથી પણ કેટલાક વિદ્યાર્થી પોતાનું કામ કરી લે છે, અને એ ટેવ એમની એવી સુદઢ હોય છે કે એમને એકદમ એ છોડી દે કહેવાથી છૂટતી નથી. તેથી પ્રથમ એમને એ વિષય સમજીને ગેખો એમ ઉપદેશ દેવામાં આવે છે–પણ એકવાર એમને સમજણને મહિમા સમજાય છે કે તુરત ગેખણપટ્ટી એની મેળે ખશી જાય છે. આથી શું એમ સમજવાનું છે કે ગોખણપટ્ટીને શિક્ષકે લેશભાર પણ અનુમોદન આપે છે? એમાં ઉપદેશનું તાત્પર્ય “સમજી પદમાં છે, “ગેખો' પદમાં નથી. (૩) શંકરાચાર્યને રાજગમાં જ “સ્વરસ’ હતું એ આ “અપરક્ષાનુભૂતિ” ઉપરાંત બીજા ઘણા ગ્રન્થોથી જણાય છે. શ્રીમદભગવદ્દગીતા ઉપરના ભાષ્યમાં રા. વઘે ઉલ્લેખેલા “પાન વા” વાળા શ્લોકની નીચે લખતાં શંકરાચાર્ય “થેઢા સ્થાનો પરાજસ્થાનના વિરત યાતિ” વગેરે કહેલું છે તેમા “સત્ત' શબ્દ લક્ષમાં રાખવાને છે–એનું તાત્પર્ય, હઠયોગ કે જે સમ્યગ્દર્શનનું અન્તરંગ સાધન થઈ શકતું જ નથી તેને આ ધ્યાનયોગથી 'વ્યવચ્છેદ કરવાનું છે. આગળ જતાં– "समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः। संप्रेक्ष्य नासिकाग्रं स्वं दिशथानवलोकयन् ॥" भ. गी.* એ શ્લોકના ભાષ્યમાં પોતે કહે છે – "स्वं नासिकाग्रं संप्रेक्ष्य सम्यक्प्रेक्षणं दर्शनं कृत्वेवेतीवशद्वो लुप्तो द्रष्टव्यः । न हि स्वनासिकायसं प्रेक्षणमिह विधित्सितं कि એટલું ધ્યાનમાં રાખવું કે પ્રાચીન ગ્રન્થામાં હઠયોગને વિધિ છે કે નહિ એ પ્રશ્ન નથી; શંકરાચાર્ય હઠાગને નિષેધીને રાજયોગને વિધિ કરે છે કે કેમ એ જ પ્રશ્ન છે. અને સ્પષ્ટ રીતે હઠયોગના વિધિવાળાં પ્રાચીન વાકયે પણ રાજગમાં જ્યારે એ ઘટા, ત્યારે એમનુ સ્વારસ્ય હઠાગની વિરુદ્ધ છે એમ ઝીણું દૃષ્ટિએ જોતા જણાયા વિના રહેતું નથી.
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy