SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ વામનાવતાર ૧૭ ત્યાગવૃત્તિ ધર્મમાં ન પરિણમે એમાં એની ધર્મ પ્રતિકારણુતા અસિદ્ધ થતી નથી. સ્વાથૅત્યાગ ધર્મભાવનાનું ખીજ છે એમ કહી શકાય, સ્વાથૅત્યાગ એટલે સ્વ કરતાં અધિક પ્રદેશમાં આત્માની વિશાલતા અનુભવવી; અને આ અનુભવનું ખીજાં નામ ધર્માચરણ છે. ધર્મના નિદાનવિષે—અથવા ઉપર સ્થાપેલા સિદ્ધાન્ત લક્ષમાં રાખીને ખેાલીએ તા, ધર્મની સહજતા વિષે આટલું વિવેચન બહુ છે. આપણે અત્રે એટલુ જોયું કે ધર્મના પાયે સત્ય ઉપર છે, એ પાયેા કૃત્રિમ નથી પણ સહજ છે, અને એના આવિર્ભાવમાં મુખ્ય હેતુ સ્વાëત્યાગ છે. હવે એના વિકાસક્રમ ઉપર આવીએક ૨. ધર્મના વિકાસક્રમ સર્વે દેશમાં એક જ પ્રકારના જોવામાં આવતા નથી. કેટલેક ઠેકાણે એક અધિક પગથિયું ષ્ટિગાચર થાય છે તો કેટલેક ઠેકાણે અમુક પગથિયાના અભાવ જ જણાય છે. ક્વચિત્ મલિનતામાંથી ક્રમેક્રમે શુદ્ધિ થતી જોવામાં આવે છે, તેા ક્વચિત્ શુદ્ધિમાંથી અધપાત થઈ મલિનતા ઉત્પન્ન થતી નજરે પડે છે, પરંતુ આ સ્થળે આપણે કાઈ પણ ધર્મનાં ઐતિહાસિક પગલાં તપાસવા ઇચ્છા નથી. એટલે આ અડચણુ આપણને બહુ નડશે નહિ. આપણે તે મનુષ્યને સ્વાર્થે ત્યાગ વધતા આવે, અને ક્રમેક્રમે ધર્મભાવના તદ્દનુસાર વૃદ્ધિ પામતી આવે તે એ ઉભયનું સ્વરૂપ કેવુ બંધાતું આવે છે, એટલુ જ નક્કી કરવા યત્ન કરવાના છે. આ નિર્ણય ઉપરની આખ્યાયિકામાં કરવામાં આવ્યા છે. અને એમાં નીચે મુજબ ક્રમનું દર્શન થાય છેઃ-~~~ (૧) ક્વચિત્ ક્વચિત્ સ્વાથૅત્યાગ, ( ૨ ) સર્વત્ર સ્વાર્થત્યાગના સંકલ્પ, (૩) ઐહિકપઢાના ત્યાગ, (પરંતુ તે સાથે) સ્વર્ગ (૪) સ્વાત્યાગ સગુણબ્રહ્મરૂપ બ્રહ્મલેાક ધ્યાતાધ્યેયના ભેદ (૫) ધ્યાતા---ચેયની એકરસતા ઃ આત્મત્યાગ પરમાત્મ તુષ્ટિ:=ત્રક્ષનિર્વાન (૧) પૂર્વે સૂચવાઈ ગયું છે કે સ્વાથૅત્યાગ પરમાત્મદર્શન માટે જરૂરનું પગલું છે, જ ગલીમાં જંગલી મનુષ્ય પણ પેાતાની માનેલી એવી એકાદ ચીજ પેાતાના દેવને અર્પવી આવશ્યક ગણે છે. પૃથ્વી ઉપર કાઈ પણ
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy