SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ “ હારી ”. જીવ-બ્રાને સંબન્ધ સિદ્ધ કરવા માટે નથી, પણ એ સંમન્ય સમજાવવા માટે છે. આ રીતે જોતાં પૂર્વોક્ત સર્વ દૃષ્ટાન્તમાંથી સમજવાની વાત એક જ છે કે બ્રહ્મ અજ્ઞાને કરી અન્યથા ( છવરૂપે ) ભાસે છે, પણ અન્યથા શબ્દના પ્રયાગથી પણુ એમ સમજવાનું નથી કે કાઈ અન્ય બ્રહ્માથી જુદા—પદાર્થે છે. અન્યથા ભાસે છે—એટલે કે અન્યથા નથી અને છતાં ભાસે છે; આમ નથી કહીને ભાસે છે. કહેવાથી દ્વૈતાપત્તિ થતી નથી. પૃથ્વી સ્થિર નથી અને છતાં સ્થિર ભાસે છે એમ કહેવાથી એ સ્થિર થઈ જતી નથી; સૂર્ય પૃથ્વીની આસપાસ ક્રૂરતા નથી અને છતાં કરતા ભાસે છે એમ કહેવાથી તે કરતા થતા નથી—એ રીતે. તાત્પર્ય એટલું જ છે કે લેાકેામાં અનાદિ કાળથી ચાલતી આવેલી સમજણ ખેાટી છે—અનાદિ કાળથી આપણે ‘જીવ’ ‘જીવ' એવા અધ્યારેાપ ( બ્રહ્મમાં આરેાપ ) કરતા આવ્યા છીએ, એ અધ્યારેાપને જ્ઞાનવડે અપવાદ' કરવાના છે—એ અધ્યારાપ તે અધ્યારાપ છે, અર્થાત્ ખાટા છે એમ સમજવાનું છે, અને જે નથી તે ભાસે છે એમ કહેવાથી દ્વૈત પ્રાપ્ત થતું નથી; પણ ઉલટું, પહેલી ‘હારી” ને અન્તે બતાવ્યું હતું તેમ, પિત (ભાસે ) અને સત્ (છે) સાથે અદ્વૈત પ્રતિપાદિત થાય છે. " આમ, દ્વૈતવાદ—વિશિષ્ટાદ્વૈતવાદ-અને કેવલાદ્વૈતવાદ એમ ત્રણ ભૂમિકાના પ્રાસાદમનુષ્યની ધાર્મિક બુદ્ધિએ રચેલે છે. એની ત્રીજી ભૂમિકાએ ચઢી બ્રહ્માનન્દસ્વામી કહે છે કે આ ‘તન' રૂપી ગલીઓમાં શ્રીકૃષ્ણ પરમાત્મા પુદ્ધિ રૂપી ‘વૃષમાનજિચોરી ’—રાધિકા સાથે હારી” ખેલી રહ્યો છે. પાંચ ઇન્દ્રિયા રૂપી ‘સખી' પાંચ વિષયેા રૂપી રંગ ભરી ભરીને ‘રાધિકા ' ને આપે છે; અને ‘ રાધિકા ' એ ર્ગ લઈ ને શ્યામ' ઉપર નાંખે છે; એથી એનું સઘળુ શરીર ભીજાઈ જાય છે-અને એ ભીજાવામાં પેતે આનન્દ માને છે. એ આનન્દમાં એ ‘ રાધિકા ' ના વેષ ધરે છે, એટલે કે પરમાત્મા બુદ્ધિ સાથે તન્મયતા પામે છે. અને એમ ચેાતરક્ · અવિદ્યા ' । ‘જ્ઞાન' મચી રહેતાં મુદ્દિના વૈષધારી પરમાત્મા સ્વરૂપનું ભાન ભૂલી ખેસે છે. એમ સંસારવનમાં રમતાં રમતાં ઘણા કાળ વીતી ગયા, પણ તેની એને ખબર પડી નહિ. આખરે જ્યારે કાઈ સત્ ગુરુ મળ્યો ત્યારે એને ‘સખીએ’ના સંગ છૂટયા, અને એ સ્વ-સ્વરૂપભૂત યજ્ઞાનન્દ પામ્યા. અત્રે એટલું સમજવા જેવું છે કે રાધિકા ' એ સાત્ત્વિક મુદ્દિનું રૂપક છે; અર્થાત્ પંચેન્દ્રિયના વિષયે પણ સાત્ત્વિકબુદ્ધિપુરઃસર ભાગવવામાં આવે તે જ પરિણામે જ્ઞાન ઉપચ્છ બ્રહ્માનન્દ પ્રાપ્ત >
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy