SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મલાભ કે સ્વરૂપસિદ્ધિને આનંદ આવે છે. અર્થાત એમને મને નીતિને પાયો અધ્યાત્મ છે. પાશ્ચાત્ય નીતિશાસ્ત્રનો મોટામાં મોટો પ્રશ્ન માણસની સ્વતંત્ર ઇચ્છાશક્તિ, બીજી રીતે કહીએ તે માણસનું કર્તવ અને ઈશ્વરનું કારયિતત્વ, તેને પણ તેઓ વેદાન્તદષ્ટિએ ખુલાસે કરે છે, કે જીવદષ્ટિએ છવ પિતે સ્વતંત્ર ઈચ્છાશક્તિવાળો છે, પણ ઈશ્વરસૃષ્ટિમાં ઈશ્વરનું જ કારયિત્વ છે, અને છતાં ઈશ્વર જીવના પાપપુણ્યને કર્તા નથી. ઈશ્વર બધુ કરતે છતે કર્મથી નિર્લિપ્ત છે. ૨૭ ર૭., મૂળ શબ્દ આ પ્રમાણે છે: “જીવને ઉપાધિકૃત કર્તવ્ય છે, પણ કારચિતૃત્વ તો ઈશ્વરનું જ છે.” (પૃ. ૨૮૮) આગળ જતાં પૃ. ૨૯૬મે કહે છે: શાકર વેદાન્તીઓમાના, કેટલાક માયા અને અવિદ્યા એમ બે ભેદ પાડીને માયા પ્રભુની ગણે છે અને અવિદ્યા જીવની ગણે છે–એટલે માયામાં લપટાવા-પી અવિદ્યામાં છવ પિતે જ કારણ રહે છે, અને ઈશ્વરને માથે એને દેષ ચઢતે નથી ” માયામાં લપટાવામાં જીવ પોતે જ કારણ રહે છે, એને અર્થે જ એ કે એમાં જીવનું સ્વતંત્રકતૃત્વ છે. પૃ, ૨૫મે કહે છે: “વિદ્યારણ્યમુનિ પણ ઈશ્વરસૃષ્ટિ અને જીવસૃષ્ટિ એવા સૃષ્ટિના બે ભેદ પાડીને કહે છે કે જ્ઞાને કરીને જીવસૃષ્ટિને નાશ કરી શકાય છે, ઈશ્વરસૃષ્ટિને નાશ કરી શકાતું નથી, અને કરવાની જરૂર પણ નથી.” અર્થાત જ્ઞાનથી જીવસૃષ્ટિ વિલય પામતા જીવનું કર્તુત્વ રહેતુ નથી, માત્ર ઈશ્વરનું કારચિતૃત્વ રહે છે. તેમના જ શબ્દોમાં કહીએ તો “એકનું કર્તુત્વ બીજાના કારયિતૃત્વમા વિલીન થઈ જાય છે અને આ રીતે જીવના કર્તત્વને ઈશ્વરના કારયિતૃત્વમાં સમાવેશ થઈ. છેવટનું કર્તવ ઈશ્વરનું જ રહે છે.” (પૃ ૨૮૯) " . ' અહીં એક બાબતનો ખુલાસે અથવા સ્પષ્ટતા કરવાની જરૂર છે એમ મને જણાય છે. ઉપર જણાવેલ ઈશ્વરકત્વના સમર્થનમાં કહે છે: “જેમ અમુક મહાનિયમોથી જડ સૃષ્ટિ બધાએલી છે તેમ અમુક મહાનિચમેથી જીવનું કર્તૃત્વ પણ બંધાએલું છે–એ કતૃત્વ પરમાત્માના મહાનિયમોને ઉથાપીને બનેલું નથી ઉદાહરણ તરીકે એક આ નિયમ સુપ્રસિદ્ધ છે કે જેમ આપણે ખેટાં કર્મો કરીએ છીએ તેમ તેમ આપણામાં ખાટી લાલચા–રાગદ્વેષાદિ સામે ટક્કર ઝીલવાનું સામર્થ્ય ઘટે છે; તેમ જ જેમ જેમ આપણે સત્કર્મો કરીએ છીએ તેમ તેમ આપણે ઊદવેપથ-ઉત્સર્પિણી મતિ–સરળ થાય છે. હવે કહે કે આ નિયમે આપણે પિતે રચ્યા છે ? ના જ આપણી બહાર કઈક શક્તિ છે જેણે રચી મૂકેલા નિયમોને અન્યથા કરીને કાઈ પણ કરી શકવાનું આપણું સ્વાતંત્ર્ય નથી. એ શક્તિને લઇ, પરમાત્માનુ કત્વ સર્વત્ર–જ્યાં આપણું કર્તુત્વ ભારે છે ત્યાં પણ સિદ્ધ છે.” હવે છવભાવ ટળતા અહંકાર સાથે વકતૃત્વ પણું લય પામે અને માત્ર
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy