SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ દિવ્યપ્રભાત અને જી . ચર્મચક્ષુ દિવસ લૌકિક છે, અહી શકાય પણ પદાથ ગાય છેઃ “જાગીને જોઉ તે જગત દીસે નહી, ઊધમાં અટપટા ભોગ ભાસે.” . અત્રે જાગીને એ ઉકિત માત્ર ભૌતિક જાગ્રદેવસ્થાને-પ્રભાતને જ લાગૂ છે એમ નથી. ચર્મચક્ષને જેમ રાત્રિદિવસ છે, તેમ આત્માને પણ છે. ભેદ એટલો છે કે ચર્મચક્ષુનાં રાત્રિદિવસ લૌકિક છે, અર્થાત ઈન્દ્રિયથી ગ્રહાય છે; આત્માનાં અલૌકિક છે, અર્થાત આત્માથી જ ગ્રહી શકાય છે. વ્યવહારતિમિરથી ઘેરાએલો આત્મા, ચર્મચક્ષુએ જેતે, ઈન્દ્રિયગ્રાહ્ય બ્રહ્માંડ વિના અન્ય કાંઈ દેખતો જ નથી. કેમકે એની દૃષ્ટિ વ્યવહારતિમિરથી દૂષિત છે. ઈન્દ્રિયથી પદાર્થનું સ્થૂલ સ્વરૂપ ગ્રહણ થાય છે; અન્વયવ્યતિરેકથી જુદા જુદા પદાર્થોને પરસ્પર કાર્યકારણુરૂપ સંબન્ધ ગ્રહણ થાય છે; પણ પદાર્થનું અંતસ્તત્વએનું આત્મસ્વરૂ૫–એ તો આત્મામાં દિવ્ય ચૈતન્યના પ્રાદુર્ભાવ સિવાય અન્ય માર્ગો ગ્રહી શકાતું જ નથી. જગતના ખરા કવિઓ, તત્ત્વચિતકે, ધર્મપ્રવર્તિકે, મહાન ભૌતિક પદાર્થશાસ્ત્રીઓ–જેમાં કાંઈ પણ અસાધારણુતા જોવામાં આવે છે તે સર્વમાં દિવ્ય ચૈતન્યના અંશની કલ્પના વિના એમની મહત્તાને ખુલાસો થઈ શકતો નથી. અખિલ ઈન્દ્રિયગ્રાહ્ય બ્રહ્માંડ જે “લોક” શબ્દથી વાચ્ય છે તેથી પર જે અલૌકિક તે “દિવ્ય'; જે માત્ર આ પૃથ્વીના જ નહિ પણ ભૌતિક પદાર્થ માત્રના નિયમથી અતીત છે તે રાતદિવસ વણિફવૃત્તિથી સંસારને નિર્વાહ કરનારા પ્રાકૃત જનેના અનુભવને દિવ્યતાનો અભાવ સાધવા આગળ ધરવામાં આવે, તે એ સાધનપદ્ધતિ અત્રે અગ્રાહ્ય છે, કારણ કે એવા જનોને અનુભવ આ વિષયમાં નકામો છે. દિવ્ય ધામ ચર્મચક્ષુથી ગ્રહી શકાતું નથી માટે તે નથી એમ કહેવું તે શબ્દ આંખે દેખી શકાતું નથી માટે નથી એમ કહેવા કરતાં અધિક આદરને પાત્ર નથી. અનાદિ કાળથી મનુષ્યજ્ઞાનના લૌકિક અને અલૌકિક (દિવ્ય) એવા વિભાગ પડયા છે, અને એ નિર્મલ હેય એ અસંભવિત છે. અને માર્ગે રહી શકતે આત્મામાં આ રીતે અલૌકિકતા એ માત્ર કલ્પિત પદાર્થ નથી એમ સિદ્ધ થાય છે. તે હવે વિચારવાને બીજો પ્રશ્ન એ છે કે લૌકિક અને અલૌકિક વચ્ચે પરસ્પર સંબંધ શું છે? ઉભય એક જ જ્ઞાતા સાથે સંબંધ ધરાવે છે, જ્ઞાનવિષય છે, અને સમુદિત થઈ “વિશ્વ–શબદવા છે, એટલા ઉપરથી એમને પરસ્પર સંબંધ તે સિદ્ધ જ છે. માત્ર જોવાનું એટલું જ રહે છે કે એ સંબંધ કેવા પ્રકારનો છે? બંને સત છે, માત્ર એમના સત્ત્વ (અસ્તિત્વ)ના પ્રકાર જુદા છે એ એક ઉત્તર છે; બંને સત નથી, અલૌકિક સત છે, લૌકિક અસત છે, અને એક બાધ કરી બીજું ઉદય પામે છે એ બીજે ઉત્તર છે.
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy