SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ “ શ્રી : રાળ મમ ' —આ એ શ્લાકમાં મનુજસંસ્કૃતિના ઇતિહાસનું તત્ત્વજ્ઞાન અર્ક સર્વે રહેસ્ય ભર્યું છે. મનુષ્યજાતિના ઇતિહાસમાં એનાં રાજ્યા, મહારાજ્યા, અતિરાજ્યાની ઉત્પત્તિ સ્થિતિ અને લય ૐવાં થાય છે, શાં કારણુથી થાય છે, એની પાછળ પરમાત્માના વા શુભ અને ભવ્ય હેતુ રહેલા છે એ આ શ્લાકમાં સૂચિત થાય છે. “ સાધુએ ” જે આ વિશ્વનું પરમ પ્રયેાજન સિદ્ધ કરવાને જન્મેલા છે એમનું રક્ષણ કરવું એ ભગવાનનેા મૂળ ઉદ્દેશ છે. એ ઉદ્દેશને અંગે એમને દુષ્કૃતા”ના—દુષ્કર્મ કરનારાઓના વિનાશ કરવા પડે છેઃ ખેતરમાંથી સારા પાક ઊતારવા માટે કંટકેાહરણ કરવું પડે છે—ગાખરૂ ઊખેડી નાંખવા પડે છે—તે રીતે, અને વસ્તુતઃ દુષ્કર્મકારીઓને દેખાતા વિનાશ એ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ જ છે. “ દુષ્કૃત્ ” કહેવામાં ગૂઢ સૂચના એ છે કે મનુષ્ય ખેાટાં કર્મો કરે છે ત્યારે પણુ, એનું આત્મસ્વરૂપ વિચારીએ તેા એ “ દુરાત્મા ” હાતા નથી; આ ઉપર જ શુદ્ધિ અને ક્ષમાના સિદ્ધાન્ત બંધાએલા છે. આત્મા હમેશાં શુદ્ધ-મુદ્દ–મુતવભાવ જ હોય છે, અને એના ઉપર પાપનાં આવરણુરૂપ મેલ લાગી જાય છે તાપણ તે મેલ કાને કાઈ કાળે ખસેડી શકાય છે અને તે વારે આત્માની સ્વાભાવિક શુદ્ધિ પ્રકટી આવે છે. રાવણુ–શિશુપાલાઠેિ મૂળમાં વિષ્લેાકના જ વાસી છે અને અન્તે એમનુ સ્થાન પાપાકમાં નહિ પણ વિષ્ણુલેાકમાં જ છે. પરંતુ સાધુઓનું રક્ષણ, અને દુષ્કર્મકારીના વિનાશ એ બંને ક્રિયાઓ જગતમાં ધર્મ સારી રીતે સ્થપાય તે માટે ધર્મ સ્થાપનાર્થાય '—છે. આમ અવતારનુ ત્રીજું કર્તવ્ય, જે બીજી બે ક્રિયાઓના ઉદ્દેશ છે—એ બતાવ્યું. ૧૯૬ .. પરમાત્માના અવતાર શકય છે ?———એ અવતારમાં સામાન્ય બુદ્ધિને જે વાંધા નડે છે, તે એ કે એમાં પરમાત્માને નીચે ઊતારી પાડવામાં આવે છે એમ એને લાગે છે. વસ્તુતઃ તેમ નથી. પરમાત્માને “ નૈતિ નૈતિ” (Transcendent) ની સાથે “ સર્જ સરિયત્ ન્ના ” (Immanent) એમ સૃષ્ટિમાં ઊતારવાથી એને “ ઊતારી પાડવામાં ” આવતા હોય તા જ પૂર્વોક્ત અવતારવાદમાં એને ઊતારી પાડવામાં આવે છે એમ કહેવાય. જે સ્થિતિ ખાદ્ય સૃષ્ટિની છે તે જ આન્તર જીવાત્માની છે, ઉભયમાં સમાન રીતે પરમાત્માના દર્શનની આવશ્યકતા છે. પરમાત્માને બાહ્ય સૃષ્ટિમાં અને આન્તર જીવાત્મામાં ઊતારવાથી એનું સ્વર્ગ ખાલી નથી પડતુંઃ ઐહિક થવાથી એ પર મટી નથી જતા, એ છઠ્ઠુ અને પર બંનેમાં ભરપૂર ભર્યાં રહે છે. એટલે થાય છે તે કેવળ એટલું જ કે સૃષ્ટિ પરમાત્માની મૂર્તિ રૂપેસમઝાતાં સૃષ્ટિ જેમ એની ભૌતિકતામાંથી નીકળી ઊંચે ચઢે છે—જેમ કે
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy