SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ભાષા તેજસ્વી બની, એમના વક્તવ્યને ધાર ચડી, તેથી ધણા સ્વધર્મપક્ષપાતી વર્ગ તેમની સાથે ધસડાયેા. પણ તેથી જ આટલે લાંમે ગાળે જોતાં વાંચનારને લાગે કે તેમણે ખધું એકસરખું પ્રમાણબહુ ગંભીર યુક્તિપુરસર નથી લખ્યું. ખેાટી દલીલ પણ ચાલી જતી હેાય તે। ચલાવવામાં તે કદી ખેંચાતા નથી. સિદ્ધાન્તસારમાં૧૪ તેઓ કહે છે વેદમાને જરાપણ ફેરફાર થયા વિના, અમુક ઉચ્ચાર સહિત અનત યુગા સુધી જાળવી રાખવા, જે પ્રયત્ન બ્રાહ્મણોએ કર્યાં છે, તે ઉપરથી ખરેખર, તેનું અતાદિવ અને નિત્યત્વ સ્વતઃસિદ્ધ થાય . એ વખતે તે હજી ટિળકનેા વેદની ઉત્પત્તિ ઇ.સ. પૂર્વે ચાર ક્રે સાડા ચાર હજાર વર્ષ હાવાને તર્ક ઉપસ્થિત થયા નહાતા, અને તેઓ પાતે વેદકાલના પ્રાચીનત્વ સંબંધી ગમે તે માનતા હાય તેપણુ બ્રાહ્મણીએ વેદ ‘અનંત ’ યુગા સુધી જાળવી રાખ્યા છે એમ કહેવાય ? અને એટલા ઉપરથી વેદનું અનાદિત્ય અને નિત્યત્વ સિદ્ધ થઈ શકે? અને જો બ્રાહ્મણાના પઠન ઉપરથી એ સિદ્ધ થતું હોય તો પછી તે રવતઃસિદ્ધ શી રીતે થાય? આમ એમની દાર્શનિક ચર્ચામાં કાઈ વાર ખાટી દલીલેા આવી જાય છે. અને ત્યારે જાણે એમને ઉત્તમ તેલ લઈ સ્થિર પ્રકાશમાન દીવા કરવા નહેાતા પણ ગમે તે વસ્તુઓ ફેંકીને મેાટા ભડકા કરવા હતા એમ જણાય છે! આથી જ 'ભદ્રંભદ્ર'માં ઘણી જગાએ સનાતન ધર્મની દલીલેના ઉપહાસને અવકાશ મળ્યેા છે. આ વાત આનંદશંકરભાઈના લક્ષ અહાર રહી નથી જણાતી. તેઓ મણિલાલને વિશે કહે છેઃ . ' tr " . . આ અદ્વૈતભાવના——જે · વેદાન્ત' નામે ઓળખાય છે તે—કેવલ શુષ્ક તનલ ’૩૫ ત હતાં, ‘પ્રેમ' (Love) અને કતૅવ્ય ' (Duty) ના મનેાહર સ્તમ્ભ ઉપર ચાએલી ભન્ય ઇમારત છે. ૮ પ્રેમજીવન અભેદસિઁ ' અભ્યાસ’ પ્રાચીન અને અર્વાચીન વેદાન્ત ' શ્રીમદ્ ભગવદ્ગીતાના વેદાન્ત' ઇત્યાદિ અનેકાનેક લેખા આ સિદ્ધાન્તના પ્રતિપાદક છે. છતાં રા. રા. મણિલાલ પેતે શુષ્ક તાલના પણ સારા અભ્યાસી હતા, એ એમનાં “ શ્રીમદ્ ભગવદ્ગીતા ' વૃત્તિપ્રભાકર' વગેરે જોતાં સ્પષ્ટ પ્રતીત થાય છે, ૧૫ ' " . આ ગ્રન્થા સિવાય પણ એવા તૌ ધણી જગાએ મળી આવે છે. એ જ વકીલાતની ધગશથી અને કંઈક થિયેાસેથ્રીની પદ્ધતિના અનુકરણથી તેએ મનગમતા પુરાવે ગમે ત્યાંથી લઈ આવે છે. સિહાન્તસારમાં વિષ્ણુનું વાહન ગરુડ શા માટેએની ચર્ચામાં તેઓ કહે છે કે મિસરમાં ગરુડ એ અનન્તનું રૂપ છે.”૧૨ ૩૪. પૃ. ૬ઠ્ઠ ૧૫. સુદર્શનગદાવલિ રૃ. ૧૧ ૧૬. સિદ્ધાન્તસાર પૃ. ૩૪૨.
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy