SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ભગવદ્દગીતા શકતું જ નથી. વ્યવહાર અને પરમાર્થ ઉભય એક જ માર્ગ છે, જે પ્રથમ નીચે થઈ પછી ઊંચે જાય છે. શિખરે ચઢીને જતાં ઉભય ભાર્ગ એક રેખારૂપ થઈ રહે છે; ભેદ એટલો જ છે કે નીચેથી જે જે વસ્તુઓનું દર્શન ન થતું હોય તેનું ઉચ્ચ પ્રદેશ ઉપરથી દર્શન થાય છે, અને સર્વનું પ્રાપ્તવ્ય સ્થાન જે શિખર–પરમાત્મવસ્તુ–તે આ ઊંચા માર્ગને આશ્રય લેવાથી જ પ્રાપ્ત થાય છે. સાથે એટલું સ્મરણમાં રાખવાનું છે કે માર્ગે ચાલવું એ ચાલવા માટે નથી પણ શિખરે પહોંચવા માટે છે. અને રસ્તામાં ઊંચે ચઢાવ આવે વા આડા ફરવું પડે છે તેથી જરા પણ સંકોચ ખાવાનો નથી. લોકબુદ્ધિમાં જે કાંઈ સત્ય મનાતું હોય એ સર્વને ખોટું ઠરાવવા માટે તત્ત્વજ્ઞાન નથી. તેમ એણે લેકબુદ્ધિના ગુલામ થઈ રહેવાનું પણ નથી. લોકબુદ્ધિનું અન્તર્ગત પરમતત્ત્વ પકડી એ તત્ત્વનું પૂર્ણ સ્વરૂપ સમજી લઈ, તદનુસાર જે જે લોકવિચારે ભ્રમાત્મક લાગે છે તે દૂર કરવા, અને પિતાનું સામ્રાજ્ય સ્થાપવું એ જ એનું કામ છે. વેદાન્ત ઠીક બતાવે છે કે “ઘટ છે “પટ છે ઈત્યાદિ જે કહેવામાં આવે છે ત્યાં એ કથને સશે ભ્રમાત્મક નથી; ઘટ પટ આદિમાં જે સદંશનું સ્કુરણ થાય છે એ બ્રહ્મને પ્રકાશ છે, અને એ લેશભાર પણ મિથ્યા નથી. બ્રહ્મની સર્વાત્મકતાના વિરોધી જે ઘટપટાદિ ભાવો એ જ મિથ્થા છે, અને એ ભાવોને બ્રહ્મમાં લય અનુભવાય ત્યારે જ સમ્યગ જ્ઞાન થયું કહેવાય. એ જ રીતે પ્રકૃતિમાં પણ લૌકિક સદ્ધર્તનને તદ્દન ઉથલાવી પાડવું એ તત્ત્વજ્ઞાનને આશય નથી. એ સદવર્તનનું સારાપણું શેમાં રહેલું છે એ તારવી કાઢવું, અને તે તે વર્તનમાં સ્વતઃ કાંઈ પણ સારા ખોટાપણું નથી એમ બતાવી જેના ઉપર એમના સારા ટાપણાને આધાર છે એ તત્ત્વ ઉપર જિજ્ઞાસુનું ધ્યાન ખેંચવું, એ ઘેરણે જ એને વિચાર કરવા કહેવું, અને એ રીતે વિચારતાં જે પ્રતિકૂલ દેખાય તેને ક્રમેક્રમે અસ્તિત્વહીનમાત્ર માયારૂપ અનુભવતાં શીખવવું, જેથી પરિણામે એકરસ બ્રહ્મની સમતા જ અંતર્ બહિર્ સર્વત્ર વિલસી રહે, એ તત્ત્વજ્ઞાનને ખરે ઉદ્દેશ છે. એ જ કર્મગ અને એ જ “જ્ઞાનયોગ છે. એની પ્રાપ્તિમાં મુખ્ય અન્તરાય–સમસ્ત ગીતા રચાવામાં બીજભૂત સ્થિતિ–આત્મસ્વરૂપનું જ્ઞાન છે. આત્મા એ આગીઆના ચળકાટ જેવો ક્ષણિક પદાર્થ નથી, તેમ સમુદ્ર કાંઠે પડેલા અસંખ્ય શંખલાઓ પેઠે વિશ્વને એક અવાન્તર પદાર્થ પણ નથી. કાલ પણ જેના વિના અસિદ્ધ
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy