SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ થર પુરુષાર્થ , કાઢીશું નહિ. દિવસે દિવસે આપણું લોકે એશઆરામી થતા જાય છે એમ આપણે કેટલેક સ્થળેથી ફરિયાદ સાંભળીએ છીએ. પરંતુ આ ફરિયાદ અમને તે ગેરવ્યાજબી લાગે છે. આપણી પ્રજા ગઈ એક બે સદ્દીમાં એવી નિર્ધન થઈ ગઈ હતી કે સાદાઈ અને કરકસર વિના જીવન અશક્ય હતું—અને એ સાદાઈ અને કરકસર હજી તાજાં હોવાથી જરા પણ સુખ ભોગવવા તરફ કેઈ સ્થળે ઈચ્છા જોવામાં આવે છે તે આપણે એને એશઆરામીનું ચિહુન ધારી ભડકી ઉઠીએ છીએ! અને જાણે આપણુ દેશે તો પ્રાચીન સમયથી બાવા અને સંન્યાસી રહેવાનું જ વ્રત લીધુ હોયની એવી અજ્ઞાન સમજણ આપણે ધરાવીએ છીએ! પણ વસ્તુતઃ બ્રાહ્મણુઆદિ અમુક વર્ગ માટે યોજાએલાં વચનને સર્વ દેશની વાસ્તવિક સ્થિતિનું વર્ણન માની લઈ પ્રાચીન ગ્રન્થમાં સુપગનાં જે અસંખ્ય ચિત્રો વાંચવામાં આવે છે એના ઉપર હડતાળ મારવી એ વાજબી નથી. (૩) ધર્મ અર્થ અને કામ સાથે, તથા અર્થને ધર્મ અને કામ સાથે સંબધે આપણે જે. હવે “કામને ધર્મ તથા અર્થ સાથે સમન્વય કરીએ. ઉપલા વિવેચનથી કદાચ કોઈને એમ લાગ્યું હશે કે અમે ઉડાઉપણુના ને એશઆરામના જીવનનું પ્રતિપ્રાદન કરીએ છીએ. તે એ બ્રાન્તિ હવેના વિવેચનથી દૂર થશે. “કામ” એટલે કે સુખની ઇચ્છા સાથે હમેશાં ધમ જોડવો તથા “અર્થ જેડ. ધર્મથી વિમુક્ત સુખની ઇચ્છા એ પુરુપાર્થ મનાવી ન જ જોઈએ; એવી સુખની ઇચ્છા વસ્તુતઃ દરેક વ્યક્તિના જીવનમાં પ્રવર્તક હોતી નથી એટલું જ નહિ, (ધર્મને વાસ્તુ ઘણુ મનુષ્યએ પ્રાણુ સુદ્ધાં અમ્ય છે), પરંતુ જનસમાજે પણ ધર્મખાતર અસંખ્ય વિટંબણાઓ વેઠી છે. ધર્મખાતર પારસીઓએ પિતાનું વતન ત્યરૂં, યાહુદી પ્રજા પૃથ્વી ઉપર ભટકતી થઈ ગઈ, અને હિન્દુઓએ કેસરીયાં કર્યો છે ! મનુષ્ય શું કરે છે તે ઉપરથી શું કરવું જોઈએ, એનો નિર્ણય ફલિત થતો નથી એમ કહેવાય છે ખરું; પણ વિવિધ સ્થળનાં મનુષ્યો શુદ્ધ ભાવે જે કૃત્ય કરે છે તથા સારાં માને છે, તે મનુષ્યની નીતિ પરત્વે સામાન્ય સમજણ સૂચવે છે એમાં સંશય નથી. તથાપિ મનુષ્ય શું કરવું જોઈએ, અર્થાત મનુષ્યનું કર્તવ્ય શું છે, એ પ્રશ્નને ઉત્તર ભાગીશું તે પણ એટલું સ્પષ્ટ જ છે કે સુખની સાધના એ જ એનું કર્તવ્ય નથી. વ્યક્તિમાં એ ઉદેશ સ્વાથપણ તરીકે નિષિદ્ધ છે એટલું જ નહિ પણ જનસમાજમાં તે એ ભાવના અત્યન્ત હાનિકર નીવડી છે. ધર્મનું શથિલ્ય અને સુખની લાલસા એ દરેક
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy