SearchBrowseAboutContactDonate
Page Preview
Page 906
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭ર પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ નરકમાંથી નીકળી અંતર્મુહૂર્ત આયુષ્યવાળા તિર્યંચમાં જઈ સંvયાત વર્ષના આયુ ગવાળા મનુષ્યમાં ઉત્પન્ન થવાનું કહેલ છે. સાતમી નરકમાંથી નીકળેલ ગુણિતકમશ આત્મા પચેન્દ્રિય તિચમાં આવી. ત્યાંથી કાળ કરી ઈશાન દેવલોકમાં ઉત્પન્ન થાય. ત્યાં અતિસકિલષ્ટ પરિણામે એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરતાં વારંવાર નપુંસકદ, એકેન્દ્રિયજાતિ, સ્થાવર, આતપ તથા ઉત નામકર્મ. એ પાંચને બંધ કરી, બંધ તથા સંક્રમ દ્વારા ઘણા પ્રદેશ વધારી મરણાન્ત સમયે વર્તમાન તે ઈશાનદેવ નપુંસકવેદ આદિ આ પાંચ પ્રકૃતિની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાને સ્વામી છે. નપુંસકવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળો ઈશાનદેવ કાળ કરી સંખ્યાત વર્ષના આયુગવાળામાં ઉત્પન્ન થઈ ત્યાંથી મૃત્યુ પામી યુગલિકમાં ઉત્પન્ન થાય ત્યાં પાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ સુધી અતિસંક્ષિણ પરિણામ વડે સીવેદને બંધ કરી બંધ તથા સંક્રમ દ્વારા તેના ઘણા પ્રદેશો એકત્ર કરી પલ્યોપમના અસંખ્યાતમા ભાગના ચરમસમયે વર્તમાન તે ગુગલિક સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી છે. દેવ મૃત્યુ પામી યુગલિકમાં ઉત્પન્ન થતા ન હોવાથી “સંખ્યાત વર્ષના આયુષ્યવાળામાં ઉત્પન્ન થવાનું કહેલ છે. ગુણિતકમાંશ ક્ષેપક જે સમયે સીવેદને સર્વસંક્રમ વડે પુરષદમાં સમાવે તે સમયે પુરુષવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાને સ્વામી થાય છે. જે સમયે પુરુષવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળે આત્મા પુરુષદને સર્વસંક્રમ વડે સવિલન ફેધમાં સંક્રમાવે તે સમયે સંજવલન બની, સંજવલન કેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળો આત્મા જે સમયે સંજવલન કેલને સર્વસંક્રમ દ્વારા સંજવલન માનમાં સંક્રમાવે તે સમયે સંજ્વલન માનની, સંજવલન માનની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળો આત્મા જે સમયે સંજવલન માનને સર્વસંક્રમ વડે સંજવલન માયામાં સંકમાવે તે સમયે સંજ્વલન માયાની અને સંજવલન માયાની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળો આત્મા જે સમયે સંજવલન માયાને સર્વસંક્રમ વડે સંજવલન લેભમાં સંક્રમાવે તે સમયે સંજવલન લાભની ઉહૃષ્ટ પ્રદેશસત્તાને સ્વામી થાય છે. જે ગુણિતકમીશ આહ્મા ચાર વાર મોહનીયને ઉપશમ કરી શીવ્ર ક્ષપકશ્રેણિને આરંભ કરે છે. તે આત્મા સૂક્ષમપરાય ગુણસ્થાનકના ચરમસમયે સાતવેદનીય, યશકીર્તિ અને ઉચ્ચગોત્રની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. કારણ કે આવા આત્માને ગુણસંક્રમ દ્વારા અશુભ પ્રકૃતિનાં ઘણાં દલિકે પ્રાપ્ત થાય છે. વધારેમાં વધારે જેટલા ઉહૃષ્ટ ચોગ વડે અને વધારેમાં વધારે જેટલા મોટા અન્તર્મુહૂત સુધી આયુષ્ય બાંધી શકાય તેટલા ઉત્કૃષ્ટ અંધકાળ વડે તેત્રીશ સાગરેપમ પ્રમાણ દેવ અને નરકાયુષ્યને જે આત્મા બંધ કરે તે આત્મા બંધના અતિમ
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy