SearchBrowseAboutContactDonate
Page Preview
Page 900
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ ઉકલના થાય છે તે-સમ્યફત્વ મોહનીય, મિશ્રમેહનીય, મનુષ્યદ્રિક, ઉચ્ચગેત્ર, વૈક્રિય સપ્તક, દેવદ્રિક અને નરકકિ આ સોલ પ્રકૃતિએની એકેન્દ્રિયાદિ છે અને આહારકસપ્તકની અવિરતિપણામાં ઉકલના થતી હોવાથી તે સાતના અવિરતિ છે પણ જઘન્ય સ્થિતિસત્તાના સ્વામી ઘટી શકે. મનુષ્યગતિ, સમ્યકત્વ મોહનીય અને ઉચ્ચ ગોત્ર એ ત્રણ પ્રકૃતિએ પ્રથમ ગુણસ્થાને ઉદલના કરનાર છેઆથી ઉદયવતી ન હોવાથી સ્વરૂપ સત્તાની અપેક્ષાએ એક સમય પ્રમાણ સ્થિતિ હોવા છતાં સામાન્ય કર્મપણાની અપેક્ષાએ બે સમય પ્રમાણ જઘન્ય સ્થિતિસત્તા હોય છે અને સમ્યકત્વને પિતાના ક્ષયના અન્ય સમયે સમ્યક્ત્વ મેહનીયની તેમ જ શેષ બેની ચૌદમાં ગુણસ્થાનકનાં ચરમસમયે--એમ ત્રણેની એક જ સમયની સ્થિતિસત્તા હોવાથી કદાચ પહેલા ગુણસ્થાને જઘન્ય સ્થિતિસત્તા ન પણ ઘટે છતાં શેષ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિસત્તાના સ્વામી યથાસંભવ પહેલા તથા ચોથા ગુણસ્થાને રહેલ છો પિોતપોતાના ક્ષયના ચરમસમયે પણ હોઈ શકે એમ લાગે છે. પરંતુ ટીકામાં આ હકીક્તની વિવક્ષા કરી નથી એમ લાગે છે. સ્થિતિસ્થાને , સ્થિતિસ્થાને એટલે સ્થિતિના ભેદે, તે “બંધથી થયેલ સ્થિતિસ્થા” અને સત્તાગત સ્થિતિસ્થાને” એમ બે પ્રકારે છે. અહિ માત્ર સાગત સ્થિતિને જ વિચાર કરવાનો છે. કોઇપણ એક જીવને એક સમયે સત્તામાં જેટલી સ્થિતિ હોય તે સત્તાગત એક સ્થિતિસ્થાન કહેવાય. જેમ-કોઈ જીવને ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય તે પ્રથમ સ્થિતિસ્થાન કહેવાય. સમયજૂન ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય તે બીજું. આ રીતે બે સમય જૈન, ત્રણ સમય ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતસિત્તા હોય તે અનુક્રમે ત્રીજું, ચોથું સત્તાસ્થાન કહેવાય. એમ એક–એક સમયહીન કરતાં એક કાળે એકેન્દ્રિય પ્રાગ્ય જઘન્ય સ્થિતિસત્તા હેય ત્યાં સુધીનાં સત્તાગત સ્થિતિસ્થાને પંચેન્દ્રિયથી એકેન્દ્રિય સુધીના ભિન્ન ભિન્ન જીવોને નિરંતરપણે પ્રાપ્ત થાય. • • એકેન્દ્રિય પ્રાગ્ય જઘન્ય સ્થિતિસત્તાની નીચેનાં સત્તાસ્થાને લપકણિમાં અને કેટલીક પ્રકૃતિનાં ઉદ્દલના કરતી વખતે સાન્તર અને નિરંતર એમ બન્ને પ્રકારે પ્રાપ્ત થાય છે. એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તાના ઉપરના ભાગથી પોપમના અસંસ્થા? તમા ભાંગ પ્રમાણ સ્થિતિસત્તાને અનમુહૂર્તમાં એકી સાથે નાશ કરે ત્યારે અન્ય મુહુર્તના પહેલા સમયથી જ ઉદયવતી પ્રકૃતિની એક-એક સ્થિતિને અનુભવવા ' દ્વારા અને અનુદયવતી પ્રકૃતિની એક-એક સ્થિતિને તિબુકસક્રમ દ્વારા પ્રતિસમયે
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy