SearchBrowseAboutContactDonate
Page Preview
Page 891
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસંગ્રહ–પાંચમું દ્વાર સારસંગ્રહ : સ્પ૭ કોઈ ક્ષપિતકમશ જીવ અનંતાનુબંધિની વિસાજના કરી જઘન્ય સ્થિતિવાળા દેવમાં ઉત્પન્ન થાય, ત્યાં અનતમુહૂર્ત બાકી રહે છતે મિથ્યાત્વ પામી અતિસક્લિષ્ટ પરિણામ દ્વારા એકેન્દ્રિય પ્રાગ્ય પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે, ત્યારબાદ આયુ પૂર્ણ કરી અન્તર્મુહૂર્તના આયુષ્યવાળા અતિસંક્લિષ્ટ પરિણમી પર્યાપ્ત એકેજિયમાં ઉત્પન્ન થાય, ત્યાંથી કાળ કરી અન્ય અસંણિ પર્યાપ્તાઓ કરતાં અત્યંત અલ્પ આયુષ્યવાળા અસંશિ પર્યાપ્તમાં ઉત્પન્ન થઈ શીધ્ર સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ કરી શકાય તેટલા જલદી નરકગતિને બંધ કરી મૃત્યુ પામી નરકમાં ઉત્પન્ન થાય. ત્યાં શીધ્ર સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ કરનાર તે જીવને નરકગતિને જઘન્ય પ્રદેશદય હોય છે. અનંતાનુબંધિની વિસ ચાજના કરતાં સત્તામાં રહેલ નરકગતિ વગેરે શેષ સઘળાં કર્મના પણ ઘણાં દલિકને ક્ષય થાય છે. માટે “અનંતાનુબંધિની વિસના કરવાનું જણાવેલ છે. એકેન્દ્રિય પ્રાય પ્રકૃતિને ઉત્કૃષ્ટ સ્થિતિમાં અતિસંકિaષ્ટ પરિણામી મિથ્યાત્વ જ કરી શકે–માટે “દેવભવનું અત્તમુહૂર્ત બાકી રહ્યું છતે મિથ્યા જવાનું વગેરે જણાવેલ છે. દેવ સીધે પર્યાપ્ત અસંગ્નિમાં જઈ શક્તો નથી માટે “એકેન્દ્રિયમાં જવાનું” અને નામકર્મની અન્ય પ્રકૃતિઓ બંધાદિથી વધુ પુષ્ટ ન થાય માટે “જઘન્ય-તમુહૂર્ત આયુષ્યવાળા એકેન્દ્રિયમાં ઉત્પન્ન થવાનું કહેલ છે. સંસિ કરતાં અસંસિને રોગ અત્યંત ઓછો હોય છે. વળી વારંવાર બાંધવાથી અંધાદિ દ્વારા દરેક ગતિ ઘણું પુષ્ટ થાય છે. માટે “અસંસિ-પર્યાપ્તને શક્ય તેટલે જલદી નરકગતિને બંધ કરી, મૃત્યુ પામી નરકગતિમાં ઉત્પન્ન થવાનું જણાવેલ છે. જે પ્રકૃતિએને વિપાકેદય પર્યાપ્તાવસ્થામાં જ થવાનું છે તે પ્રકૃતિનું દલિક પણ તિબુકમથી અપર્યાપ્તાવસ્થામાં નરકગતિ આદિમાં પડે છે તેથી અપર્યાપ્તાવસ્થામાં જઘન્ય પ્રદેશેાદય ન કહેતાં “પર્યાપ્તાવસ્થામાં જ નરકગતિને જઘન્ય પ્રદેશદય થાય” એમ કહેલ છે. ગતિઓની જેમ જ આનુપૂર્વીઓને પણ જઘન્ય પ્રદેશદય થાય છે. પરંતુ આનુ. પૂર્વીઓને ઉદય વિગ્રહગતિમાં જ વધુમાં વધુ ત્રણ સમય સુધી જ હોય છે. માટે તે તે ગતિના પ્રથમ સમયે જ તે તે આનુપૂર્વીઓને જઘન્ય પ્રદેશદય હોય છે. કઈ પિતકમીશ ચૌદ પૂર્વધર મુનિ દેશના પૂર્વ કેડ વર્ષ સુધી સંયમનું પાલન કરી ઘણાં કમને ક્ષય કરે, ત્યારબાદ અનિમકાળે આહારક શરીર બનાવે ત્યારે ઉદ્યોત સહિત ત્રીશના ઉદયે વર્તતા તેમને આહારકસપ્તકને જઘન્ય પ્રદેશદય હોય છે. ક્ષપિતકમશ આત્માને પોતાના ઉદયના પ્રથમ સમયે તીર્થંકર નામકર્મને પ્રદેશોદય હોય છે. ૧૧૦
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy