SearchBrowseAboutContactDonate
Page Preview
Page 872
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૮ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારગ્રહ મનુષ્ય–તિયચાયુને જઘન્ય પ્રદેશબંધ કરે છે અને તે જ જીવ ઉત્પત્તિના પ્રથમસમયે શષ એકસો સાત પ્રકૃતિને જઘન્ય પ્રદેશબંધ કરે છે. ત્યાં નામકમમાં નીચે જણાવ્યા મુજબ વિશેષતા જાણવી. - અપર્યાપ્ત, સૂક્ષ્મ અને સાધારણ એ ત્રણને પચીશના બધે, એકેન્દ્રિય, આતપ અને સ્થાવર એ ત્રણને છીશના બધે, મનુષ્યદિકનો મનુષ્ય પ્રાગ્ય એગણત્રીશના બધે અને શેષ પચાસ પ્રકૃતિને ઉત સહિત તે તે તિચપ્રાય ત્રિીશના અંધે યથાસંભવ ઉપરોક્ત જીવ જઘન્ય પ્રદેશબંધ કરે છે. - નિરંતર બંધકાળ જે પ્રકૃતિઓ જેટલે કાળ સતત બંધાય તેને નિરંતર બંધકાળ કહેવાય છે. ત્યાં ધ્રુવબંધી સુડતાલીશ પ્રકૃતિઓમાં સાદિ-અનંત વછે શેષ ત્રણ પ્રકારને કાળ હોય છે. (૧) અભવ્યને બંધ અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાને છે. માટે અનાદિ અનંત, (૨) ભળ્યાને અનાદિકાળથી બંધ હોવા છતાં ભવિષ્યમાં વિચ્છેદ થવાને છે માટે અનાદિ સાન અને (૩) તે તે પ્રકૃતિઓના અબંધસ્થાનથી પડી પુનઃ અંધ શરૂ કરે ત્યારે સાદિ અને કાલાન્તરે મોક્ષે જતાં બંધ વિછેર થશે તેથી સાન્ત. આ સાદિ-સાત ભાંગાને કાળ જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી દેશના પુદગલ પરાવર્તન છે. ચાર આયુષ્ય અને જિનનામકર્મને જઘન્યથી નિરંતર અંધકાળ અંતમુહૂર્ત છે. શેષ અડસઠ પ્રકૃતિમાંથી આહારદ્ધિકને સાતમા અથવા આઠમાં ગુણસ્થાને જઈ એક સમય આહારદ્રિક બાંધી બીજે સમયે કાળ કરે તેથી બંધ અટકી જવાથી અને શેષ છાસઠ પ્રકૃતિએને જ્યાં તેમની પ્રતિપક્ષ પ્રકૃતિએને બંધ થઈ શકતું હોય તે ગુણસ્થાને અથવા તેવા છને જઘન્યથી એક સમય તે તે પ્રકૃતિને બંધ કરી અધ્યવસાયના પરાવર્તનથી બીજા સમયે તેની પ્રતિપક્ષ પ્રકૃતિએને બંધ કરે ત્યારે. એમ આ અડસઠ પ્રકૃતિઓને નિરંતર અકાળ જઘન્યથી એક સમય ઘટે છે. દેવકુરુ તથા ઉત્તરકના ચુગલિયાઓ ત્રણ પલ્યોપમ સુધી નિરંતર દેવાયેગ્ય જ બંધ કરતા હોવાથી દેવદ્રિક અને ક્રિયદ્ધિકને ઉત્કૃષ્ટ નિરતર અંધકાળ ત્રણ પત્યેપમ પ્રમાણ આ ગ્રંથમાં તથા પંચમ કર્મગ્રંથમાં કહેલ છે. પરંતુ પૂર્વવર્ષના આયુવાળે મનુષ્ય પૂર્વ ક્રેડના ત્રીજા ભાગના પહેલા અંતમુહૂર્તમાં ત્રણ પલ્યોપમ પ્રમાણ સુગલિકનું આયુષ્ય બાંધી અંતમુહૂર્ત બાદ ક્ષચોપશમ સમ્યકત્વ પામી ત્યારબાદ તરત જ ક્ષાયિક સમ્યકત્વ પામે તે અન્તર્મુહૂર્ત ન્યૂન પૂર્વકડના ત્રીજા ભાગ સુધી અહિં મનુષ્યભવમાં અને ત્રણ પલ્યોપમ સુધી ચુગલિકમાં પણ નિરંતર આ જ ચાર પ્રકૃતિએ બાંધે, એ અપેક્ષાએ અંતમુહૂર્ણ ન્યૂન પૂર્વકેટિના ત્રીજા ભાગે અધિક ત્રણ
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy