SearchBrowseAboutContactDonate
Page Preview
Page 848
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૪’ પશ્ચસત્ર-પાંચમું, હીર સારસગ્રહ અસંશિ–પંચેન્દ્રિો ઉપર જણાવેલ એકસે સાત પ્રકૃતિઓ ઉપરાંત વૈકિયષક પણ બાંધે છે અને તેને પ્રથમ બતાવેલ જઘન્ય સ્થિતિબંધ પલ્યોપમના અસંખ્યાતમા. ભાગથી યુક્ત કરતાં તેમ જ ફાતકદ્દીપણુના મતે પલ્યોપમને સંખ્યાતમ ભાગ અધિક કરતાં એટલે થાય તેટલું ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે. ' . સરિ–પંચેન્દ્રિય પાંત્રીશ પ્રકૃતિમાંથી વૈક્રિયક સિવાય શેષ ઓગણત્રીશ પ્રકૃતિઓને પ્રથમ બતાવ્યું તે પ્રમાણે અને વૈક્રિયષક તથા શેષ પંચાશી પ્રકૃતિએને. અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ જઘન્ય સ્થિતિબંધ અને ઉત્કૃષ્ટથી તે તે પ્રકૃતિઓને પ્રથમ જેટલા ઉ&ણ સ્થિતિબંધ કર્યો છે તેટલો કરે છે. જધન્ય સ્થિતિ બંધમાં અબાધાકાળ સર્વત્ર અતિમુહૂર્ત પ્રમાણ છે. . (૩) નિષેક વિચાર જે સમયે કર્મ બંધાય છે તે જ સમયે તેના અખાધાકાળના સમયે છોડી પછીના સમામાં દલિકની રચના થાય છે. એ વાત પ્રથમ સમજાવેલ છે. અહિં તે દલિક રચનાને (૧) અનંતપનિધા અને પરંપરે પનિધા એમ બે પ્રકારે વિચાર કરેલ છે. * (૧) પૂર્વ પૂર્વના સમયની અપેક્ષાએ અનેતર પછી-પછીના સમયમાં કેટલી દલિક રચના કરે છે? એમ વિચારવું તે અનંતરે પનિધા. (૨) પહેલા સ્થાનની અપેક્ષાએ કેટલા સ્થાને પછી દલિકરચના અધ અર્થી થાય છે એમ વિચારવું તે પરંપરપનિધા. ત્યાં અનોપનિધાથી વિચાર કરતાં અબાધાકાળ પછીના પ્રથમ સમયમાં સવથી વધારે અને તેની પછીના સમયથી તે સમયે બંધાયેલ સ્થિતિના ચરમસમય સુધી અનુક્રમે પછી પછીના સમયમાં વિશેષહીન-વિશેષહીન દલિક રચના થાય છે. પરંપરપનિધાથી વિચારતાં અબાધાકાળ પછીના પહેલા સમયમાં જે દલિક રચના થાય છે તેની અપેક્ષાએ ત્યાંથી પાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સમયે ઓળગી પછીના સમયમાં અર્ધ દૃલિકની રચના થાય છે અને તેની અપેક્ષાએ ત્યાંથી પુનઃ પાપમના અસંખ્યાતમા ભાગના સમયે ઓળંગી પછીના સમયમાં અર્ધ દલિકની રચના થાય છે. એમ જ્યાં અર્થ હાનિ થાય છે તે તે સમયની અપેક્ષાએ પાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સમયે ઓળગી પછી-પછીના સમયમાં અર્ધ-અર્ધ દલિક રચના તે સમયે બંધાયેલ કર્મસ્થિતિના, ચરમસમય સુધી થાય છે. * * * * કોઈપણ કમના ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં આવી અર્ધ-અ હાનિ કુલ પાપમના પ્રથમ વર્ગમૂળની અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ થાય છે અને સર્વ અર્ધ અધે હાનિઓથી બે હાનિ વચ્ચે રહેલ નિષેક સ્થાને અસંvયાર્તગુણું છે... “
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy