SearchBrowseAboutContactDonate
Page Preview
Page 843
Loading...
Download File
Download File
Page Text
________________ નવસગપાંચમું દ્વાર સારસ ગ્રહ ૮ પાંચ જ્ઞાનાવરણ, નવ દર્શનાવરણ, અસાતવેદનીય અને પાંચ અંતરાયએ વીશને ત્રીશ કોડાકોડી, સેલ કષાયને ચાલીશ કડાકોડી અને મિથ્યાત્વ મેહનીયને સિત્તેર કડકડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ રિતિબંધ છે. આયુષ્યમાં અન્યકમની જેમ અબાધાકાળ નિયત નથી, પરભવનું આયુ બાંધે ત્યારે ગવાતા ભવનું જેટલું આયુષ્ય બાકી હોય તેટલે અબાધાકાળ હોય છે. વળી ભાગવાતા ભવના આયુના છેલા તૃતીયાંશ ભાગમાં અથવા તેના ત્રીજા ત્રીજા ભાગમાં ગમે ત્યારે જઘન્ય કે ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધી શકે છે. તેથી પૂવડના આયુવાળા પિતાના ભવના બે ભાગ ગયા પછી તરત જ ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધે અને જઘન્ય આયુ બાંધે ત્યારે અનુક્રમે ઉત્કૃષ્ટ સ્થિતિ બધે ઉત્કૃષ્ટ અબાધા અને જઘન્ય સ્થિતિમાં ઉત્કૃષ્ટ અખાધા થાય, તે જ પ્રમાણે ભેગવાતું આયુષ્ય અંતમુહૂર્ત બાકી રહે ત્યારે ઉત્કૃષ્ટ અને જઘન્ય આયુષ્ય બાંધનારને અનુક્રમે ઉત્કૃષ્ટ સ્થિતિ છે જઘન્ય અબાધા અને જઘન્ય સ્થિતિબધે જઘન્ય અબાધા થાય છે. આ પ્રમાણે આયુષ્યની ચતુર્ભાગી થાય છે. તેથી જ મૂળગાથામાં આયુષ્યને માત્ર ભાગ્યકાળ કહ્યો છે જે દેવ-નરક આયુષ્યને તેત્રીશ સાગરેપમ અને મનુષ્ય-તિય ચાયુષ્યને ત્રણ પાયમ પ્રમાણ છે. કોઈપણ આયુષ્યને દેવ-નારકો અને યુગલિકે ઉત્કૃષ્ટ સ્થિતિએ બાંધતા નથી તેથી પૂર્વવર્ષના આયુષ્યવાળા જે મનુષ્ય-તિય" પિતાના આયુષ્યના બે ભાગ થયા પછી તરત જ યથાસંભવ ચારે આયુષ્ય ઉત્કૃષ્ટ સ્થિતિએ બાંધે ત્યારે તેઓને ચારે આયુષ્યમાં પૂર્વ કેડનો ત્રીજો ભાગ ઉત્કૃષ્ટ અબાધાકાળ હોય છે. વિષ, શબ આદિ નિમિત્તો દ્વારા જેઓનું આયુષ્ય ઘટે નહિ અને જેમને મરણ સમયે તેવા નિમિત્તો પણ પ્રાપ્ત ન થાય-તે નિરુપમી કહેવાય, સર્વ દે, નારકો અને યુગલિક નિરૂપક્રમી હોય છે. તે સર્વ પિતાના ભવનું આયુષ્ય છ માસ બાકી. હોય ત્યારે જ પરભવનું આયુષ્ય બાંધે છે, મતાન્તરે ચુગલિકે પલ્યોપમને અસંખ્યાત ભાગ બાકી હોય ત્યારે અને નારકે અંતમુહૂર્ણ બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય આવે છે. તેથી નિરુપક્રમી જીવે આશ્રયી તેટલે જ અબાધાકાળ ઘટે છે. સપકમી છ અનુભવાતા આયુષ્યના ત્રીજા, નવમા, સત્તાવીશમા ભાગે કે ચાવત્ અંતમુહૂત આયુષ્ય બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. તેથી જ પીડ વર્ષના આયુષ્યવાળા ત્રીજા ભાગના આરંભે પરભવનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધે ત્યારે ઉત્કૃષ્ટ અબાધા સહિત ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે. પણ અન્યથા નહિ. એકેદ્ધિ અને વિકલેક્ટિ મનુષ્પાયુ અને તિયચાયુ એમ બે જ આયુષ્ય બાંધે છે અને તેઓ આ અને આયુષ્યને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પિતાના ભવના ત્રીજા ભાગ સહિત પૂવડવર્ષ પ્રમાણ કરે છે. ત્યાં સ્વભવના આયુષ્યને ત્રીજો ભાગ અબાહાકાળ અને પૂર્વડવ ભાગ્યકાળ છે. • •
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy