SearchBrowseAboutContactDonate
Page Preview
Page 841
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસગહ પાંચમું દ્વાર સારસંગ્રહ ૮૦૭ નીયમના બંધની સાદિ નથી. તેથી આ ગુણસ્થાનક નહિ પામેલાઓને અનાદિ, અમોને ધ્રુવ અને ભાગ્યેને અધુવ–એમ વેદનીયકર્મને બંધ સાદિ વિના ત્રણ પ્રકારે છે. અવધી સુડતાલીશ પ્રકૃતિએને પ્રકૃતિબંધ સાવાદિ ચાર પ્રકારે છે. ત્યાં મિથ્યાત્વ મોહનીય, થીણુદ્વિત્રિક તથા ચાર અનંતાનુબંધી એ આઠને ત્રીજા આદિ ગુણસ્થાને, અપ્રત્યાખ્યાનીય ચારને દેશવિરતિ આદિમાં, પ્રત્યાખ્યાનીય ચારને પ્રમત્તાદિમાં, નિદ્રા, પ્રચલા, નામકર્મની ધ્રુવMધી નવ, ભય તથા જુગુપ્સાને અનિવૃત્તિ બાદર સંપરાયાદિમાં, ચાર સંજવલનને સૂમસં પરાયાદિમાં, પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદને ઉપશાંતહાદિમાં અબંધ હોય છે, વળી તે તે ગુણસ્થા-નકથી પડતાં તે તે પ્રકૃતિબંધની સાદિ, અબંધસ્થાનરૂપ ગુણસ્થાનક નહિ પામેલાઓને અનાદિ, અભને ધ્રુવ અને ભજોને અપ્રુવ છે. તહેર અધુવબંધી પ્રકૃતિઓને બંધ અથવા હેવાથી સાદિ અને અધવ એમ એ જ પ્રકારે છે. પ્રકૃતિબંધિના સ્વામી પંચેન્દ્રિય તિય જિનનામ અને આહારકઝિક સિવાય એકસે સત્તર, એકેન્દ્રિ તથા વિકસેન્દ્રિય એ ત્રણ તથા દેવત્રિક, નરકત્રિક અને વૈક્રિયદ્ધિક-એમ અગિયાર વિના શેષ એક નવ, તેમ જ તેઉકાય તથા વાઉકાય ઉપરોક્ત અગિયાર તથા મનુષ્યત્રિક અને ઉચ્ચત્ર એમ પંદર વિના સામાન્યથી એક પાંચ પ્રકૃતિએ બાંધે છે. દેવતાઓ વૈક્રિય અષ્ટક, આહરકસ્ટિક, વિલત્રિક અને સહમત્રિક એ સેલ વિના એક ચાર અને નારકે પૂર્વોક્ત સોલ તથા એકેન્દ્રિય, સ્થાવર અને આતપ એમ એગણીશ વિના સામાન્યથી એક એક પ્રકૃતિઓ બાંધે છે, મનુષ્ય સામાન્યથી સર્વ એકસો વીશ) પ્રકૃતિઓ બાંધે છે. સ્થિતિબંધ અહિં અગિયાર અનુચરાગદ્વાર છે. (૧) ઉત્કૃષ્ટ જઘન્ય સ્થિતિબંધ પ્રમાણ (૨) એકેન્દ્રિયાદિ આશ્રયી ઉત્કૃષ્ટ–જઘન્ય સ્થિતિન ધ પ્રમાણ, (૩) નિષેક, (૪) અબાધાકંડક, (૫) સ્થિતિસ્થાન, (૬) સફલેશ સ્થાન, (૭) વિશુદ્ધિ સ્થાન, (૮) સ્થિતિબંધ અધ્યવસાય સ્થાન પ્રમાણ, (૯) સાદ્યાદિ, (૧૦) સ્વામિત્વ, (૧૧) શુભાશુભત્વ, આ અગિયાર દ્વારની ક્રમશઃ વિચારણા છે. (૧) સ્થિતિબંધ પ્રમાણ-અવસ્થાનકાલ અને ભાગ્યકાલ એમ કર્મની સ્થિતિ બે પ્રકારે છે. ત્યાં વિવણિત સમયે બંધાયેલ કર્મલતા (જે બંધ પછી તેમાં કોઈ કરણ ન લાગે તે) ચરમસમચે ગોઠવાયેલ દલિકની અપેક્ષાએ આત્મા સાથે જેટલે સમય રહે તે તેને અવસ્થાન કાળ અને વિવક્ષિત સમયે બંધાયેલ કમલતાના દલિકાની રચના જેટલા સમયમાં થાય તે ભાગ્યકાળ અથવા નિષેક કહેવાય છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy