SearchBrowseAboutContactDonate
Page Preview
Page 834
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસંગ્રહ-વાંચમું દ્વાર સારસગ્રહ મિશ્ર કાગે વર્તતાં ઔદારિકશ્ચિક, ઉપઘાત, પ્રત્યેક, પ્રથમ સંઘયણ અને એક સંસ્થાન એ છ પ્રકૃતિ વધે ત્યારે અનુક્રમે ઓગણત્રીશ તથા ત્રીશના ઉદયરૂપ છે અને તેમને જ આઠમા સમયે ઔદારિક કાયાને વર્તતાં પરાઘાત, વિહાગતિ, ઉચ્છવાસ અને સ્વર આ ચાર પ્રકૃતિએ વધે ત્યારે અનુક્રમે તેત્રીશ અને ત્રીશ પ્રકૃતિના ઉદયરૂપ બે–એમ કેવલિના દશ ઉદયસ્થાનમાં માત્ર ચાર ભૂયસ્કાર ઘટે છે. ટીકામાં એકત્રીશ અને બત્રીશ પ્રકૃતિના ઉદય સ્વરૂપ બે ભૂયસ્કાર સહિત કુલ છ ગણાવ્યા છે. પરંતુ તે ભૂયસ્કાર શી રીતે ઘટી શકે તે અમે જાણતા નથી. પીસ્તાલીસથી ઓગણસાઠના ઉદયસ્થાન સુધીના કુલ પંદર ભૂયસ્કારે યથાસંભવ અનેક જીવો આશયી અનેક પ્રકારે ઘટી શકે છે. એથી કુલ એકવીશ ભૂસ્કાર થાય છે. ઓગણસાઠથી વધારે પ્રકૃતિઓને ઉદય ન હોવાથી ઓગણસાઠ તથા ચિત્રીને ઉદય પણ ટીકાકારના જણાવવા મુજબ વૃદ્ધિથી થતું હોવાથી આ બે વિના શેષ ચોવીશ અ૫તરાદય ઘટે છે. પરંતુ ક્ષીણમેહ ગુણસ્થાનકે રહેલ તીર્થકરના આત્માને સુડતાલીશ પ્રકૃતિએનો ઉદય હોય છે, તેમાંથી પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદને ક્ષય થવાથી અને તીર્થકર નામકર્મને ઉદય થવાથી સગિ–ગુણસ્થાનકે ચેત્રીશ પ્રકૃતિનો ઉદય હોય છે તેથી એ પણ અલ્પતર સ્વરૂપે સંભવી શકે છે. છતાં તેનું વજન કેમ કર્યું? તે બહુશ્રુતે જાણે, સત્તાસ્થાનમાં અવક્તવ્યાદિને વિચાર કેઈપણ એક કર્મની સર્વ ઉત્તરપ્રકૃતિઓની કે સર્વ કર્મની સર્વ ઉત્તરપ્રકૃતિએની સત્તાને વિચ્છેદ થયા પછી ફરીથી સત્તા થતી નથી માટે કેઈપણ કર્મમાં અવક્તવ્ય સત્કર્મ ઘટતું જ નથી. જ્ઞાનાવરણીય અને અંતરાયનું ક્ષીણમેહ ગુણસ્થાનક સુધી પાંચ-પાંચ પ્રકૃતિ સ્વરૂપ એક જ સત્તાસ્થાન હોય છે. તેથી અવસ્થિત સત્કર્મ એક થાય છે અને ભૂયસ્કાર તથા અલ્પતર સત્કર્મ નથી. વેદનીય, નેત્ર અને આયુષ્યકર્મમાં છે અને એક પ્રકૃતિ સ્વરૂપ બે બે સત્તાસ્થાને હોય છે. ત્યાં વેદનીયમાં અગિના કિચરમસમય સુધી બે અને ચરમસમયે એક પ્રકૃતિ સ્વરૂપ એમ બે સત્તાસ્થાન છે. એકનું સત્તાસ્થાન એક જ સમય રહેતું હવાથી અવસ્થિત રૂપે પ્રાપ્ત થતું નથી, માટે બે પ્રકૃતિ સ્વરૂપ એક અવસ્થિત સત્તાસ્થાન અને એક અ૫તર સત્કર્મ થાય છે. પણ એકની સત્તામાંથી બેની સત્તા થવાના સંભવ ન હોવાથી ભૂયસ્કાર સત્કર્મ નથી. - ગોત્રકમમાં ઉગેત્ર ઉવેલ ત્યારે અથવા અગિના દ્વિચરમસમએ નીચગોત્રને ક્ષય કરે ત્યારે એક પ્રકૃતિનું અન્યથા બે પ્રકૃતિનું સત્કર્મ હોય છે. અને સત્તાસ્થાને અવસ્થિત છે. ભૂયસ્કાર તથા અલપતર એક એક હોય છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy