SearchBrowseAboutContactDonate
Page Preview
Page 818
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ પાસમૂહ-પાંચમાં હારતે બંધાવલિકા ગયા બાદ આવલિકામાત્ર કાળે અન્ય પ્રકૃતિરૂપે કરતાં કરતાં સંક્રમવલિકાના ચરમસમયે સ્વરૂપ સત્તાની અપેક્ષાએ તે કર્મલિકને નાશ કરે છે, દ્વિચરમસમયે ક્રોધાદિને વેદતાં જે કર્મ બાંધ્યું તેને પણ બંધાવલિકા ગયા બાદ આવલિકામાત્ર કાળ વડે સંક્રમ કરતાં કરતાં સંક્રમાવલિકાના ચરમસમયે સ્વરૂપસત્તાની અપેક્ષાએ આ પ્રમાણે જે કર્મ જે સમયે બંધાયુ તે કર્મ તે સમયથી આરંભી બીજી આવલિકાના ચરમસમયે સ્વરૂપની સત્તાની અપેક્ષાએ દૂર થાય છે એમ સિદ્ધ થયું. આ પ્રમાણે હવાથી અંધવિચ્છેદ સમયથી સમય ન્યૂન બે આવલિકાકાળે બંધાયેલા કમલિકની સત્તાને બંધાભાવના પહેલા સમયે નાશ થાય છે. તેથી બંધાદિના અભાર વના પ્રથમ સમયે બે સમય જૂન છે આવલિકાકાળમાં બંધાયેલા કર્મલિકની જ સત્તા સંભવે છે, અન્ય કેઈપણ સમયના બંધાયેલા કર્મલિકની સત્તા સંભવતી નથી એમ કહ્યું છે. આ જ હકીકતને મંદબુદ્ધિવાળા જીવાને સ્પષ્ટ બોધ થવા માટે કંઈક અસત કહ૫નાએ દષ્ટાંત આપી સમજાવે છે અહિં વાસ્તવિક રીતે અસખ્યાતા સમય પ્રમાણ આવલિકા હોવા છતાં પણ તેને ચાર સમયપ્રમાણુ કપીએ. હવે જે સમયે અંધાદિને વિચછેદ થાય છે તે સમયથી આરંભી પહેલાના આઠમા સમયે જે કર્મ બાંધ્યું, તે કમ તે સમયથી માંડી ચાર સમય પ્રમાણુ બંધાવલિકા ગયા બાદ ચાર સમયપ્રમાણુ બીજી આવલિકા વડે અન્ય પ્રકૃતિમાં સંક્રમનું સંક્રમનું સંક્રમાવલિકાના ચરમસમયે કે જે સમયે બંધાદિને વિચ્છેદ થાય છે તે સમયેં સર્વથા સ્વસ્વરૂપે સત્તામાં રહેતું નથી કારણ કે સઘળું પરમાં સંકમી જાય છે. તેથી જે સમયે છેલ્લો બંધ થાય છે તે સમયે સમયગૂન બે આવલિકાકાળમાં બંધાયેલું કર્મઠળ સત્તામાં હોય છે. બંવિદ સમયથી સાતમા સમયે જે કર્મ બાંધ્યું તે કર્મ ચાર સમયપ્રમાણ આવલિકા અતિક્રમી ગયા બાદ ચાર સમયપ્રમાણ અન્ય આવલિકા વડે અન્ય પ્રકૃતિ રૂપે થતાં થતાં જે સમયે બંધાદિને વિચ્છેદ થયો તે પછીના અર્થાત અબંધના પહેલા સમયે રવસ્વરૂપે સત્તામાં હોતું નથી, કારણ કે સઘળું પરપ્રકૃતિરૂપે થઈ ગયુ છે. એટલે અખંધના પહેલા સમયે બંધવિચ્છેદ સમયથી છઠ્ઠા આદિ સમયનુ બંધાયેલું કમળ સત્તામાં હોય છે. અહિં આવલિકાના ચાર સમય કપ્યા હોવાથી છ સમય એટલે બે આવલિકામાં બે સમય ન્યૂન કાળ થાય છે. માટે જ એમ કહેવામાં આવ્યું છે કે બંધાદિને વિચ્છેદ થયા બાદ અનન્તર સમયે બે સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલું કર્મ જ સત્તામાં હોય છે તે ઉપરાંત વધારે સમયનું બંધાયેલું સત્તામાં હોતું નથી. તેમાં બંધાદિના વિચ્છેદ સમયે જઘન્યયોગે જે કર્મ બાંધ્યું તે કમને તેની
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy