SearchBrowseAboutContactDonate
Page Preview
Page 807
Loading...
Download File
Download File
Page Text
________________ -પંસહ-પાંચમું દ્વાર 103 આ પ્રમાણે સ્પદ્ધકનું લક્ષણ કર્યું. હવે જે પહેલા કહ્યું છે કે આવલિકાના સમય સમાન તે પ્રકૃતિઓના સ્પદ્ધકે હેચ છે, તે તે કઈ કઈ પ્રકૃતિએના હોય છે તેઓના નામના કથનમૂર્વક ઉત્કૃષ્ટ રૂદ્ધક કહે છે– आवलिमेनुक्कोसं फड्डुग मोहस्स सम्वघाईणं । . तेरसनामतिनिदाणं जाव नो आवली गलइ ॥१७४|| आवलिकामात्रमुत्कृष्टं सर्द्धक मोहस्य सर्वधाविनीनाम् । नामत्रयोदशत्रिनिद्राणां यावत्र आवलिगलति ॥१७॥ અર્થ–મહનીયની સર્વઘાતિ પ્રકૃતિઓ, નામકમની તેર પ્રકૃતિઓ અને ત્રણ નિદ્રાની ચરમાવલિકા જ્યાં સુધી અન્યત્ર પ્રક્ષેપ થવાથી ક્ષય ન થાય ત્યાં સુધી તેઓને -સમય ન્યૂત આવલિકા પ્રમાણુ ઉત્કૃષ્ટ પદ્ધક ઘટે છે. ટીકા – મોહનીયકર્મની-મિથ્યાત્વ મેહનીય અને પહેલા બાર કષાય એમ સર્વઘાતિની તેર પ્રકૃતિઓ તથા નરકટિક, તિર્યકિ , એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌરિન્દ્રિયજાતિ, સ્થાવર, આતપ, ઉલોત, સૂક્ષ્મ અને સાધારણ એમ નામકર્મની તેર પ્રકૃતિએ તથા દ્ધિ નિદ્રાનિદ્રા અને પ્રચલપ્રચલા એમ થીણદ્વિત્રિક-સઘળી મળી ઓગણત્રીસ પ્રવૃતિઓની સત્તામાં રહેલી છેલી આલિકાને અન્ય પ્રકૃતિઓમાં સ્તિષુકસંક્રમ વડે સંક્રમ થવાથી ક્ષય ન થાય ત્યાં સુધી તેનું સમય ન્યૂત આવલિકા પ્રમાણુ સ્પર્ધક ઘટે છે. તે આવલિકામાં સમય સ્તિબુકસંક્રમ વડે સંક્રમી જવાથી દૂર થાય ત્યારે બે સમય ન્યૂન આવલિકા પ્રમાણ સ્પર્ધક થાય છે. એ પ્રમાણે જેમ જેમ સમય સમય મસ્તિષુકસંક્રમ વડે દૂર થાય, તેમ તેમ સમય સમય ન્યૂન આવલિકા પ્રમાણ મધ્યમ પદ્ધ થાય છે. એમ યાવત્ સ્વરૂપસત્તાએ એક સમય સ્થિતિ શેષ રહે ત્યારે તે એક સમય પ્રમાણ જઘન્ય પદ્ધક થાય છે. આ પ્રમાણે અનુદયવતી ઉપરોક્ત મિથ્યાત્વાદિ ઓગણત્રીશ પ્રકૃતિઓના ચરમા-વલિકાના સમય ન્યૂન આવલિકા પ્રમાણુ સ્પદ્ધ છે અને શેષ આખી સ્થિતિનું એક સ્પર્ધકે મળી સરવાળે આવલિકાના સમય પ્રમાણુ સ્પદ્ધ થાય છે. ૧ ઉદયવતી પ્રકૃતિઓની ક્ષય થતા થતા જ્યારે સત્તામાં માત્ર એક આવલિકા પ્રમાણુ રિસ્થતિ રહે છે, ત્યારે અનુક્યવતી-પ્રદેશદયવતી પ્રવૃતિઓની સવરૂપસતા સમયજૂન આવલિકા શેષ રહે છે. તેથી જ ઉદયવતી પ્રકૃતિના છેલ્લા સમયે અનુલવતી પ્રવૃતિઓની સવરપ સતા હોતી નથી તે હેતુથી જ ઉદયુવતી પ્રવૃત્તિઓની ઉદયાલાલિકા અને અનુદયવતી પ્રવૃતિઓની સ્વરૂપ સત્તાએ સમય ન્યૂન આવલિકા -શવ રહે અને તેમાં એક પણ સમય અન્યત્ર સંક્રમ વડે ક્ષય ન થાય, ત્યાં સુધી સમય ન્યૂઝ આવનલિકા પ્રમાણુ ઉત્કૃષ્ટ પહક ઉપરોક્ત પ્રકૃતિનું થાય છે અને શેપ આખી સ્થિતિનું એક સ્પર્વક થાય છે. એટલે જ ઉપરોક્ત પ્રકૃતિઓના સરવાળે આવલિકા પ્રમાણુ સ્પી થાય છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy