SearchBrowseAboutContactDonate
Page Preview
Page 800
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૬ પંચસંગ્રહ-પાંચમુંકાર હવે જઘન્ય પ્રદેશસત્તાના સંબંધમાં જે વિશેષ છે તેને વિચાર કરે છે– उठवलमाणीणेगट्टिई उव्वलए जया दुसामगा । . थोवद्धमजियाणं चिरकालं पालिया अंते. ॥१६॥ उद्वलनानामेकस्थितिरुद्वलनायां यदा द्विसामयिकी । स्तोकाद्धामर्जितानां. चिरकालं परिपाल्यान्ते ॥१६९॥ અર્થ—અલ્પકાળ પર્યરત બંધ વડે પુષ્ટ થયેલી ઉકેલનોગ્ય પ્રકૃતિઓની જ્યારે ઉકલના થાય ત્યારે બે સમય પ્રમાણે જે એક સ્થિતિ તે જઘન્ય પ્રદેશસત્તા છે. એટલું વિશેષ છે કે ચિરકાળ પર્યત સમ્યકત્વનું પાલન કર્યા બાદ છેવટે હોય છે. ટીકાનું –અલ્પકાળ પયત બંધ વડે ઉપચિત–સંચિત કરેલી જે કર્મપ્રકૃતિઓની ઉ&લના થાય છે તે–આહારકસપ્તક, ક્રિયસપ્તક, દેવદ્રિક, મનુજકિક, નરકહિક, સમ્યફવાહનીય, મિશ્રમેહનીય, ઉચ્ચત્ર અને અનંતાનુબંધિચતુષ્કરૂપ સત્તાવીશ પ્રકૃતિઓની જ્યારે પિતપોતાની ઉદ્ધલના થાય ત્યારે સ્વ અને પર બનેની અપેક્ષાએ બે સમય સ્થિતિ અને સવરૂપની અપેક્ષાએ સમયમાત્ર એક સ્થિતિ શેષ રહે ત્યારે તેઓની જઘન્ય પ્રદેશસતા હોય છે. સામાન્ય સ્વરૂપે કહેલી આ હકીકતને વિશેષથી કહે છે-અલ્પકાળ પયત બંધ વડે પુષ્ટ કરેલા અને તાનુબંધિ ચતુષ્કની ચિરકાળ પર્યત સમ્યકત્વનું પાલન કરી ઉદ્ધલના કરતા અને જઘન્ય પ્રદેશસત્તા હોય છે. તાત્પર્ય આ પ્રમાણે – સમ્યગદષ્ટિ કોઈ ક્ષયિતકર્માશ આત્માએ સમ્યગ્રષ્ટિ છતાં અનંતાનુબંધિ ચતુકચ્છની ઉકલના કરી સત્તામાંથી નિમૂળ કરી નાખ્યા. ત્યારપછી સમ્યક્ત્વથી પડી મિથ્યાત્વગુણઠાણે જઈ મિથ્યાત્વરૂપ હેતુ વડે અંતમુહૂતકાળ પર્યત અનંતાનુબધિ ચતુષ્ક બાંધી ફરી ક્ષાપશમિક સમ્યકત્વ પ્રાપ્ત કરે તે સમ્યક્ત્વનું બે વાર છાસઠ એટલે એકસો બત્રીસ સાગરોપમ પર્યત પાલન કરીને છેવટે તે ખપાવવા માટે પ્રયત્નવંત થાય તે અનંતાનુબંધિ ચતુને ખપાવતા ખપાવતા જ્યારે સઘળા બંને ક્ષય થાય અને ઉદયાવલિકાને સ્તિબુકસંક્રમ વડે સંકમાવતા જ્યારે સ્વરૂપની અપેક્ષાએ સમયમાત્ર સ્થિતિ અને સામાન્યતઃ કર્મપણાની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે તેઓની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. ૧ અહિં પર્વના અનતાનુબધિ ચતુષ્ઠની ઉર્દુલના કરવાનું કહ્યું. કારણ કે ઘણા કાળના બંધાચેલા હોવાથી તેઓની વધારે પ્રદેશની સત્તા હેય. અહિં જધન્ય પ્રદેશસતાં કહેવાની છે. તેથી જ મિથ્યાત્વગુણઠાણે જઈ ત્યાં માત્ર અંતમુહૂર્ત પયત બાધી સમ્યફતવ પ્રાપ્ત કરવાનું કહ્યું અને તેને એકસો બત્રીસ સાગરોપમ પાલન કરવાનું કહ્યું, તેટલા કાળમાં સંક્રમકરણ અને સ્તિબુકસમ વડે ઘણી સત્તા ઓછી કરે છેવટે ઉદલના કરતા અને જઘન્ય પ્રદેશસત્તા ઘટી શકે છે. ૨ અહિં જે બે સમય પ્રમાણુ સ્થિતિ કહી. તે ઉદયાલિકાને રવરૂપ સતાની અપેક્ષાએ રહેલો
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy