SearchBrowseAboutContactDonate
Page Preview
Page 741
Loading...
Download File
Download File
Page Text
________________ વચસહ-પાંચમું દ્વાર ૭૦૭ ૪ અપ્રમત્ત ગુણસ્થાનકે અનંતાનુબંધિની વિસાજના કરતા અપૂર્વ અનિવૃત્તિકરણે જે ગુણશ્રેણિ થાય છે તે ચોથી ગુણશ્રેણિ ૫ તથા સાતમે ગુણસ્થાનકે સમ્યક્ત્વ, મિશ્ર અને મિથ્યાત્વ એ ત્રણ દર્શનમહનીય ક્ષય કરતા અપૂર્વ અનિવૃત્તિકરણે જે ગુણશ્રેણિ થાય તે પાંચમી ગુણશ્રેણિ. ૬ ચારિત્ર ઉપશમાવતા જે ગુણશ્રેણિ થાય તે છઠ્ઠી ગુણશ્રેણિ. (આ વિષયમાં પાંચમા કર્મગ્રંથની ગાથા ૮૨ ની ટીકામાં કહ્યું છે કે મેહનીયકમને ઉપશમ કરનાર ઉપશમણિ પર ચડેલ અનુવૃત્તિ બાદરપરાય અને સૂકમપરાયવર્તિ આત્મા કહેવાય છે. તેને માહ ઉપશમાવતા જે ગુણણિ થાય છે તે છઠ્ઠી ગુણશ્રેણિક ) ૭ તથા ઉપશાંત મેહ ગુણસ્થાનકે જે ગુણશ્રેણિ થાય છે, તે સાતમી ગુણશ્રેણિ ૮ ચારિત્રમેહનીય ક્ષય કરતા જે ગુણશ્રેણિ થાય છે તે આઠમી ગુણશ્રેણિ (અહિં પણ તે જ ૮૨ મી ગાથાની ટીકામાં લખ્યું છે કે મેહનીય ક્ષય કરનાર ક્ષપકશ્રેણિ પર ચડલ અનિવૃત્તિ બાદરભંપરાય અને સૂક્ષમસં પરાયવર્તિ આમા કહેવાય છે ત્યાં ક્ષય કરતા જે ગુણશ્રેણિ થાય તે આઠમી ગુણશ્રેણિ. ) ૯ તથા ક્ષીણમાહગુણસ્થાનકે જે ગુણશ્રેણિ થાય તે નવમી ગુણશ્રેણિ ૧૦ સગિ કેવળીગુણસ્થાનકે થતી જે ગુણશ્રેણિ તે દશમી ગુણશ્રેણિ. ૧૧ તથા અગિકેવળી સંબધે જે ગુણશ્રેણિ થાય તે અગીઆરમી ગુણએણિ. આ સમ્યકત્વાદિ સંબંધિ અગીઆર ગુણશ્રેણિઓમાં જે દળરચના થાય છે તે અનુક્રમે અસંખ્યાત અસંખ્યાત ગુણ થાય છે. તે આ પ્રમાણે –સમ્યફળ ઉત્પન્ન થતા જે ગુણશ્રેણિ થાય અને તેમાં જે દળરચના થાય તે પરિણામની મંદતા હોવાથી અલ્પ પ્રમાણમાં થાય છે, તેનાથી દેશવિરતિ નિમિત્ત થતી ગુણિમાં અસંખ્યાતગુણ દળરચના થાય છે. કારણ કે ત્યાં પરિણામ અનંતગુણ વિશુદ્ધ છે. તેનાથી પણ સર્વવિરતિ નિમિત્તે થતી ગુણશ્રેણિમાં અસંખ્યાતગુણ દળરચના થાય છે. એ પ્રમાણે ૧ અનતાનુબધિની વિસાજના જે કે ચોથાથી સાતમા પત થાય છે, પરંતુ સાતમા ગુણસ્થાનકવાળે આત્મા અનતગુણ વિશુદ્ધ પરિણામવાળે હેવાથી અને સર્વવિરતિ નિમિતે થતી ગુણશ્રેણિથી અસંખ્યાતગુણ નિરા અનતાનુબધિની વિસયેજના કરનાર કરે છે એમ કહ્યું હોવાથી અપમાન ગુણસ્થાનકે અનંતાનુબધિની વિસાજના કરતા જે ગુણણિ થાય છે તે અહિં ગ્રહણ કરવી. એ પ્રમાણે દશમેહનીયની ક્ષપણાદિ નિમિત્તે સાતમે ગુણસ્થાનકે થતી ગુણશ્રેણિ જ ગ્રહણ કરવી. . ૨ સગિના અતે જે અગિ નિમિત્તે ગુણણિ થાય છે, તે અગિની ગુણણિ લેવાની છે. કારણ કે અગિ ગુણસ્થાનકેગના અભાવે ઉપરના સ્થાનમાંથી દળ ઉતારવા અને નીચેના રથાનકામાં ગોઠવવા એ કોઈપણ પ્રકારની યિા થતી નથી. પરંતુ' સગિને અંતે જે પ્રમાણે ગોઠવી રાખ્યા છે તેને તે જ પ્રમાણે એક પણ દળ ઊંચું નીચું કર્યા વિના ભેગવે છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy