SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ ६४० પંચસંગ્રહ–પાંચમું દ્વાર થાય છે અને શુભ ધ્રુવબંધિની આઠ થાય છે. વર્ણાદિને સામાન્ય ગણતાં ધ્રુવMધિની સુડતાલીસ થાય છે. ૬૮. આ રીતે શુભ પ્રવૃતિઓના ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ રસબંધના સ્વામિ કહ્યા. હવે અનંતરક્ત શુભ પ્રકૃતિઓની અંદર કેટલીએક પ્રકૃતિઓના વિશેષ નિર્ણય માટે કેટલીએક શુભ પ્રકૃતિઓના અને અશુભ સઘળી પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ રસબંધના સ્વામિકહે છે सयलासुभायवाणं उज्जोयतिरिक्खमणुयआऊणं । सन्नी करेइ मिच्छो समयं उक्कोसअणुभागं ||६९|| सकलाशुभातपानामुद्योततिर्यग्मनुजायुपाम् । सञी करोति मिथ्यादृष्टिः समयमुत्कृष्टानुभागम् ॥६९॥ અર્થ–સઘળી અશુભ પ્રકૃતિએને અને આતપ, ઉદ્યોત, તિર્યંચ અને મનુષ્યનું આયુ એ પુન્ય પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ રસબંધ સંસિ મિથ્યાષ્ટિ એક સમયમાત્ર કરે છે ટીકાનું –જ્ઞાનાવરણપંચક, દર્શનાવરણનવક, અસાતવેદનીય, મિથ્યાત્વ, સળકષાય, નવ નેકષાય, નરકત્રિક, તિર્થગૃદ્ધિક, પહેલાને છોડી શેષ પાંચ સંઘયણ, પહેલાને છેડી શેષ પાંચ સંસ્થાન, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌરિન્દ્રિયજાતિ, સ્થાવરાદિ દશક, અપ્રશસ્ત વર્ણ ગંધ રસ અને સ્પર્શ, ઉપઘાત, અપ્રશસ્ત વિહાગતિ, નીચગોત્ર અને અંતરાયપંચક એ સઘળી ખ્યાશી અશુભ પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ રસબંધ અતિસલિષ્ટ પરિણામી સંપિ મિથ્યાષ્ટિ “એક સમયમાત્ર કરે છે.. તેમાં પણ નરકત્રિક, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિયજાતિ, સૂક્ષમ, અપર્યાપ્ત અને સાધારણ એ નવ પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ અનુભાગબંધ “અતિ સંકિલષ્ટ પરિણામિ મિથ્યાદષ્ટિ સંસિ તિર્યંચ અથવા મનુષ્ય કરે છે. કેમકે દેવો કે નારકીઓ ભવમ્ભાવે જ આ પ્રવૃતિઓ બાંધતા નથી. ૧ અહિં મૂળ ગાથા તથા ટીકામાં ખ્યાશી પ્રકૃતિને ઉત્કૃષ્ટ રસબંધ એક સમયમાત્ર કરે એમ જે કહ્યું છે તે જઘન્યકાળની અપેક્ષાએ કહ્યું હોય તેમ લાગે છે. ઉત્કૃષ્ટથી તે બે સમય સુધી કરે એમ લાગે છે. ૨ અહિં નરકત્રકાદિ નવ પ્રકૃતિને ઉત્કૃષ્ટ રસમધ અતિસકિલષ્ટ પરિણામ મનુષ્ય-તિયા કરે એમ કહ્યું તે નરદિક માટે તે બરાબર છે, પરંતુ શેષ સાત પ્રકૃતિઓમાં ઘટતું નથી. કારણ કે અતિસલિઇ પરિણામે આયુષ્ય બંધાતું જ નથી. વળી અતિસ કિલષ્ટ પરિણામે મનુષ્ય તિય વિકલત્રિક અને મને બંધ ન કરતાં નરકાગ્ય પ્રકૃતિઓને જ બંધ કરે છે તેથી અતિસંકિલષ્ટ પરિ ણામીથી તે તે પ્રકૃતિના બંધ પ્રાગ્ય અધ્યવસાય સ્થાનમાં અતિસ કિલષ્ટ પરિણામી લેવાના હોય તેમ લાગે છે. કારણકે પંચમ કર્મ. ગા. ૬૬ ની ટીકામાં આ સાતે પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ રસબંધ ત~ાગ્ય સંકિલષ્ટ મનુષ્ય તિથચો કરે એમ કહ્યું છે અને તે આ રીતે જ સંગત થઈ શકે. પછી તે બહુશ્રુતે. કહે તે પ્રમાણ
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy