SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ પંચસંગ્રહ–પાંચમું કાર દેવત્રિક, સૂક્ષમ અપર્યાપ્ત અને સાધારણ એ સૂમરિક, બેઈન્દ્રિય તેઈન્દ્રિય અને ચૌરિન્દ્રિય એ જાતિવિક, સઘળી મળી સોળ પ્રકૃતિએને તથાભવસ્વભાવે સઘળા દેવ બાંધતા નથી. તેથી શેષ એકસે ચાર પ્રકૃતિના બંધાધિકારી સમજવા. તથા આતપ સ્થાવર અને એકેન્દ્રિયજાતિ સાથે પૂર્વોક્ત સોળ પ્રકૃતિઓ-કલ ઓગણીશ પ્રકૃતિઓને તથાસ્વભાવે કેઇપણ નારકીઓ બાંધતા નથી, તેથી સામાન્યતઃ તેઓ એક એક પ્રકૃતિઓના બંધાધિકારી છે. ૩૦ આ પ્રમાણે પ્રકૃતિબંધ કહ્યો. હવે સ્થિતિબંધનું કથન શરૂ કરે છે–તેમાં અગીઆર અનુગકાર છે. તે આ પ્રમાણે સ્થિતિ પ્રમાણ પ્રરૂપણ, ૨ નિષેક પ્રરૂપણ, ૩ અબાધાકંડક પ્રરૂપણ, ૪ એકેન્દ્રિયાદિ આશ્રયી ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિબંધના પ્રમાણુ સંબંધે પ્રરૂપણ, ૫ સ્થિતિસ્થાન પ્રરૂપણ, ૬ અંકલેશસ્થાન પ્રરૂપણ, વિશુદ્ધિસ્થાન પ્રરૂપણા, ૮ અધ્યવસાયસ્થાનના પ્રમાણવિષયક પ્રરૂપણ, ૯ સાદ્યાદિ પ્રરૂપણા, ૧૦ રવામિત્વ પ્રરૂપણા, ૧૧ અને શુભાશુભત્વ પ્રરૂપણ. તેમાં પહેલાં સ્થિતિ પ્રમાણુ પ્રરૂપણ કહે છે. સ્થિતિ પ્રમાણુ પ્રરૂપણા એટલે મૂળ અને ઉત્તર દરેક પ્રકતિઓની ઓછામાં ઓછી અને વધારેમાં વધારે કેટલી સ્થિતિ બંધાય તેનો વિચાર આ દ્વારમાં મૂળ અને ઉત્તર પ્રવૃતિઓની જઘન્ય અને ઉકૃષ્ણ જેટલી સ્થિતિ બંધાય તે કહેશે. તેમાં પહેલાં મૂળ કર્મપ્રકૃતિએની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે– मोहे सत्तरी कोडाकोडीओ वीस नामगोयाणं । तीसियराण चउण्हं तेत्तीसयराइं आउस्स ||३१॥ मोहे सप्ततिकोटीकोटयो विंशतिर्नामगोत्रयोः । त्रिंशदितरेपां चतुणा त्रयस्त्रिंशदतराण्यायुषः ॥३१॥ અર્થ–મેહનીય કર્મની સિર કડાકોડી, નામ અને ગેત્રની વીશ કેડાડી, ઈતર-જ્ઞાનાવરણાદિ ચાર કમની ત્રીસ કેડીકેડી અને આયુની તેત્રીસ સાગરેપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય છે. ટીકાનુ–મોહનીયમની ઉત્કૃષ્ટ બંધસ્થિતિ સિત્તેર કેડાછેડી સાગરોપમ પ્રમાણ છે. અહિં સ્થિતિ બે પ્રકારે છે. તે આ પ્રમાણે –કર્મ સ્વરૂપે રહેનારી, અને અનુભવ ચોગ્ય. અહિં સ્થિતિનું જઘન્ય અને ઉત્કૃષ્ટ પ્રમાણ કર્મ સ્વરૂપે રહેનારી સ્થિતિને આશ્રચીને જ કહ્યું છે એમ સમજવું. એટલે કે જે સમયે જે કંઈ કર્મ બંધાય તે સમયથી આરંભી તેની જેટલી સ્થિતિ બંધાઈ હોય તેના ચરમસમય પર્યત તે કર્મ આત્મા ૧ સામાન્યથી કયા કયા ગુરથાનકે કેટલી બધાય છે તે અને કળા કયા દે કે નારકીએ. કેટલી બાંધે છે તે સઘળું બીજા-ત્રીજા કર્મગ્રંથમાથી જાણવુ અહિ તે દિગદર્શન માત્ર કરાવ્યું છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy