SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ પરછ જચસંગ્રહ-પાંચમું દ્વાર આવે તે ઉક્ત સંખ્યાથી પણ ઘણા ભૂયસ્કાર થાય. તે આ પ્રમાણે-કઈ વખતે અઠ્ઠાવીસના બંધથી એકત્રીસના બધે જાય, એ રીતે કોઈ વખત ઓગણત્રીસના બંધથી, કેઈ વખત ત્રીસના બંધથી, તેમજ કઈ વખત એક પ્રકૃતિના બંધથી એકત્રીસના બધે જાય. તથા કોઈ વખત તેવીસના બંધથી અઠ્ઠાવીસના બધે જાય એ રીતે કે વખત પચ્ચીસ આદિના બંધથી અઠ્ઠાવીસના અધે જાય આ પ્રમાણે અવધિના ભેદ ભિન્ન ભૂયસ્કારની વિવિક્ષા કરવામાં આવે તો સાતથી પણ ઘણું વધારે ભૂયસ્કાર થાય. એ વસ્તુ તે ઈદ નથી તેથી અવધિના ભેદે ભૂયસ્કારને ભેદ નથી, માટે છ જ ભૂયસ્કાર થાય છે. તથા અવસ્થિતબંધ જેટલા બંધસ્થાનકો છે તેટલાજ છે એ પહેલાં જ કહ્યું છે. આ પ્રમાણે ભૂસ્કારાદિની સંખ્યા કહી. ૧૬ હવે અવક્તવ્ય બંધ કહે છે चउ छ विश्ए नामंमि एग गुणतीस तीस अश्वत्ता । इग सत्तरस य मोहे एकेको तइयवज्जाणं ॥१७॥ चत्वारः पडू द्वितीये नाम्नि एक एकोनत्रिंशत् त्रिशदवक्तव्याः। एका सप्तदश च मोहे एकैकस्तृतीयवर्जानाम् ॥१७॥ અથ–બીજા દશનાવરણીય કર્મમાં ચાર અને છ એ બે અવક્તવ્ય બંધ છે. નામકર્મમાં એક, ઓગણત્રીસ અને ત્રીસના બધિરૂપ ત્રણ અવક્તવ્ય બંધ છે અને મેહતીયકર્મમાં એક અને સત્તરના બંધરૂપ બે અવક્તવ્ય બંધ છે. તથા વેદનીયકર્મ સિવાય શષ કર્મમાં એક એક જ અવક્તવ્ય બંધ છે. ટકાતુ –બીજા દર્શનાવરણીયકર્મમાં ચાર પ્રકૃતિના બંધરૂપ અને છ પ્રકૃતિના બંધરૂપ બે અવફતવ્ય બંધ છે. તે આ પ્રમાણે-જ્યારે સઘળી કમપ્રકૃતિઓને બંધ વિચ્છેદ થયા પછી ફરી બંધ થાય ત્યારે પહેલા સમયે અવક્તવ્યબંધને સંભવ છે એ પહેલાં કહ્યું છે. દશનાવરણીયકર્મની સઘળી પ્રકૃતિએને અંધવિચ્છેદ ઉપશાંતહાદિ ગુણસ્થાનકોમાં સંભવે છે, અન્યત્ર સંભવ નથી. ઉપશાંતમૂહ ગુણસ્થાનકેથી બે પ્રકારે પ્રતિપાત થાય છે. ૧ અદ્ધાક્ષ, ૨ ભવક્ષયે. તેમાં અદ્ધાક્ષયે એટલે ઉપશાંતમૂહ ગુણસ્થાનકને કાળ પૂર્ણ થાય અને પડે છે. અને ભાવક્ષયે એટલે મરણ થાય અને પડે તે. જે જીવ ઉપશાંતમૂહ ગુણસ્થાનકને કાળ પૂર્ણ કરી પડે તે જે કમે ચડશે હતો તે જ ક્રમે પડે છે. એટલે કે અગીઆરમાંથી દશમા, નવમા, આઠમા આદિ ગુણ સ્થાનકોને સ્પર્શ કરતા કરતી પડે છે... ૭૦ - ,
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy