SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૪ પંચસંગ્રહ-પાંચમું દ્વાર વેદ એ એકતાલીસ પ્રકૃતિની ઉદય છતાં પણ ઉદીરણું ભજનીય હોય છે. એટલે કે અમુક ટાઈમ એકલે ઉદય જ હોય છે ઉદીરણા નથી પણ હતી તે આ પ્રમાણે પાંચ નિદ્રાને શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછીથી આરંભી જ્યાં સુધી ઈન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી કેવળ ઉદય જ હોય છે, ઉદીરણ હોતી નથી. શેષ કાળ ઉદય અને ઉદીરણા બંને સાથે જ હોય છે. તથા ચારે આયુની પોતપોતાના ભવની છેલ્લી આવલિકા શેષ રહે ત્યારે કેવળ ઉદય હોય છે ઉદીરણ હોતી નથી. જ્ઞાનાવરણપંચક, અંતરાયપંચક અને દર્શનાવરણ ચતુષ્કની ક્ષય થતા થતા સત્તામાં એક આવલિકા શેપ રહે ત્યારે બારમાં ગુણસ્થાનકની છેલ્લી આવલિકામાં કેવળ ઉદય હોય છે, ઉદીરણ હોતી નથી. ક્ષપકશ્રેણિમાં સૂકમ સં૫રાય ગુણસ્થાનકે સંવલન લેભની એક આવલિકા શેષ રહે ત્યારે ઉદીરણા હતી નથી કેવળ ઉદય જ હોય છે. ક્ષાયિક સમ્યકત્વ ઉપાર્જન કરતાં શરમાવલિકા શેષ રહે ત્યારે સમ્યફ મેહનીયની ઉદીરણ થતી નથી. ઉદયજ માત્ર હોય છે. ' ઉપશમસમ્યકત્વ ઉપાર્જન કરતાં અનિવૃત્તિકરણે પ્રથમ સ્થિતિની એક આવલિકા શેષ રહે ત્યારે મિથ્યાત્વમેહનીયને કેવળ ઉદય હોય છે ઉદીરણા હેતી નથી. ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશકીર્તિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, તીર્થકર, અને ઉચ્ચત્ર એ દશ પ્રકૃતિની અગિ અવસ્થામાં ચાગના અભાવે ઉદીરણા થતી નથી, ફક્ત ઉદય જ હોય છે. સાત-અસાત વેદનીયની અપ્રમત્ત ગુણસ્થાનકથી તથાવિધ અધ્યવસાયના અભાવે ઉદીરણા હતી નથી કેવળ ઉદય પ્રવર્તે છે. જીવેદના ઉદયે ક્ષપકણિ આરંભનારને સ્ત્રીવેદની, નપુંસકવેદના ઉદયે આરભનારને નપુંસકઢની અને પુરૂષદના ઉદયે આરંભનારને પુરૂષદની પિતાપિતાની ૧ કેઈણ કર્મપ્રકૃતિની સત્તામાં એક આવલિકા બાકી રહે ત્યારે ઉપરથી ખેંચવા લાયક કોઈ દલિક નહિ હોવાથી ઉદીરણ થતી નથી. જેમ કે-જ્ઞાનાવરણ પંચક, તથા પાંચ નિદ્રામાં સત્તામાં તેની વધારે સ્થિનિ કેવા છનાં શરીર પર્વાખિ પૂર્ણ થયા પછી અને ઇન્દ્રિય પર્યાનિ પૂર્ણ થતા પહેલા વચન વાગાળામાં ઇવભાવે ઉદીચ્છા થતી નથી મૂળ ટીકામાં ઇષપર્વાખિ પૂર્ણ થતાં સુધી નિદાને વળ ઉદય હોય છે એમ સામાન્ય કહ્યું છે. “દ્રિ પર્યાનિથી આરબી” એમ કહ્યું નથી. એ અભિમારા વિગ્રહગતિથી આરંભી છદ્રિય પર્યાખિ પૂર્ણ થતા સુધી નિધને કેવળ ઉદય હોય એમ સંભવે છે. તેને પાઠ આ પ્રમાણે “વિત્ર સુનીવહિં ચાવીરાર્થનાનુમહુવા .' મતાંતર હોય તેમ લાગે છે. તત્વ કેરળી મહારાજ જાણે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy