SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ પચસંગ્રહ-ચતુર્થ દ્વાર इत्येषामेकग्रहणे तत्संरख्या मङ्गकास्तु कायानाम् । युगलस्य युगं चत्वारः सदा स्थापयेत् कपायाणाम् ॥ ८॥ અથ–એક સમયે અનેક જીવ આશ્રયી ભાંગાની સંખ્યા લાવવા માટે તે મિથ્યાત્વાદિના એક એક લોદનું ગ્રહણ કરતા તેના ભેદની સંખ્યા મૂકવી, કાયના ભાંગાએ મૂકવા, યુગલના સ્થાને બે મૂકવા, અને કપાયના સ્થાને ચારની સંખ્યા મૂકવી. ટકાનુ–પૂર્વની ગાથામાં કહ્યું એ રીતે એક સમયે એક જીવને મિથ્યાત્વાદિા–મિથ્યાત્વ, કાયને ઘાત, ઇન્દ્રિયને અસંયમ, યુગલ, વેદ, કષાય અને વેગેના એક એક શેઠને ગ્રહણ કરતાં દશ બંધહેતુઓ થાય તે આ પ્રમાણે પાંચ મિથ્યાત્વમાંથી કેઈપણ એક મિથ્યાત્વ, છ કાયમાંથી કોઈપણ એક કાયને ઘાત, પાંચ ઈન્દ્રિયના અસયમમાંથી કેઈપણ એક ઈન્દ્રિયને અસંયમ, બે યુગલમાથી કોઈપણ એક યુગલ, ત્રણ વેદમાંથી કેઈપણ એક વેદ, ધાદિ ચાર કષાયમાંથી કોઈપણ એક કૈધાદિ કષાય, અને દશ વેગમાંથી કોઈપણ એક ગ. આ પ્રમાણે મિથ્યાત્વાદિને એક એક ભેટ ગ્રહણ કરતાં ઓછામાં ઓછા દશ હેતુઓ એક સમયે એક જીવને હેય છે. હવે એક સમયે અનેક જીવ આશ્રયી ભાંગાની સંખ્યા લાવવી હોય ત્યારે મિથ્યાવાદિના -લેહની સંખ્યા મૂકવી. કારણકે એક સાથે એક જીવને મિથ્યાત્વના સઘળા ભેદને ઉદય હેતે નથી, કોઈને કોઈ હોય છે, તે કોઈ જીવને કેઈ હોય છે. તથા ઉગ પૂર્વક જે ઈન્દ્રિથની અવિરતિમાં પ્રવર્તે તે લેવાની હેવાથી કેઈ જીવને કેઈ ઇન્દ્રિયને અસંયમ હેય, કેઈ જીવને કેઈ હોય, એ પ્રમાણે કોઈને કોઈ કાર્યને ઘાત, અને વેદ આદિ હોય કેઈને કઈ રહેવા માટે મિથ્યાવ આદિના સ્થાને તેના ભેદની સંખ્યા મૂકવી, તે આ પ્રમાણે – મિથ્યાત્વ પાંચ પ્રકારે છે માટે પહેલાં તેના સ્થાને પાંચને અક મૂકો. તેની પછી પૃથ્વીકાયાદિના વાતને આશ્રયી એકત્રિકાદિના સાગથી ઉત્પન્ન થતા ભાંગાની પૂર્વે કહેલી સંખ્યા મૂકવી. ત્યારપછી ઈન્દ્રિથના અસંયમના પાંચ ભેદ છે માટે તેના સ્થાને પાચ મૂકવા, અહિ મ કા થાય કે પાંચ ઈન્દ્રિય અને મને એમ છ ઈન્દ્રિયને અસંયમ હોવાથી ઈન્દ્રિય-મનના સ્થાને છની સંખ્યા મૂકવી જોઈએ, પાંચની કેમ મૂકે છો? તેના ઉત્તરમાં કહે છે કે મનની અનિયતિ છે છતાં વિપક્ષી નથી, કારણ કે પાંચ ઈન્દ્રિયની અવિરતિની અગતજ મનની અવિરતિની વિરક્ષા કરી છે. પાંચ ઇન્દ્રિયની પ્રવૃત્તિ છતાં મન દરેકમાં પ્રવર્તે છે માટે, તેની ઉપર હાસ્ય-રતિ, શાક--અરતિ એ યુગુલના સ્થાને બે મૂકવા. કારણકે એ છે ચુગલને ઉદય કમપૂર્વક હેય છે, સાથે હેતે નથી. હાસ્યને ઉદય હેાય ત્યારે રતિને ઉદય અવશ્ય હોય છે, એ પ્રમાણે શોકને ઉદય હોય ત્યારે અરતિને ઉદય અવશ્ય હોય છે, માટે હાસ્ય અને રતિ તથા શોક અને અરતિને સાથે જ લીધા છે. ત્યારપછી ત્રણ વેદનો ક્રમપૂર્વક ઉદય થતું હોવાથી વેદના સ્થાને ત્રણ મૂકવા. ધ માન માયા અને લોભને ક્રમપૂર્વક ઉદય થતો હોવાથી કષાયના સ્થાને ચાર મૂકવા.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy