SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ પચસપ્રહ-qતીયદ્વાર વિપાક આશ્રયી હતુવિષાકી અને રવિપદી એમ બે પ્રકારે પ્રકૃતિઓ છે આ બે પ્રકાર દ્વારગાથામાં સાક્ષાત બતાવ્યા નથી પરંતુ ગાથામાં “જા ચ' એ પદમાં રહેલ જ શબ્દથી જણાવેલ છે. જે પ્રકૃતિઓ હેતુને પ્રાપ્ત કરી વિપાકેદયને પ્રાપ્ત થાય છે તે પ્રકૃતિએ હેતુવિપાકી કહેવાય છે. તે પુદગલવિપાકી, ભવવિપાકી, ક્ષેત્રવિપાકી અને રવિપાકી એમ ચાર પ્રકારે છે. જે પ્રકૃતિએ પુદગલરૂપ હેતુને પ્રાપ્ત કરી વિપાકને બતાવે છે તે પુદગલવિપાકી છત્રીસ પ્રકતિઓ છે. જેમ શરીરનામકર્મ અને સંસ્થાનનામકર્માદિ પ્રવૃતિઓ દારિકાદિ પુદ્ગલેને પ્રાપ્ત કરી તેમાં તેવા તેવા પરિણામ અને આકૃતિઓ આદિ કરવા દ્વારા વિપાકેદયમાં આવે છે તેથી તે સઘળી પ્રકૃતિએ પુદગલવિપાકી છે. જે પ્રકૃતિએ દેવભવ આદિ હેતુને પ્રાપ્ત કરી પિતાના વિપાકને બતાવે તે ચાર આયુષ્ય ભવવિપાકી કહેવાય છે. જે પ્રકૃતિએ વિગ્રહગતિરૂપ ક્ષેત્ર હેતુને પ્રાપ્ત કરી પોતાના વિપાકને બતાવે તે ચાર આનુપૂવ ક્ષેત્રવિપાકી છે. જે પ્રકૃતિએ જ્ઞાનાદિગુણેને ઉપઘાતાદિ કરવા દ્વારા સાક્ષાત છત્રને જ પિતાને વિપાક દેખાડે તે મતિજ્ઞાનાવરણીયાદિ ૭૬ અને ઉદયની અપેક્ષાએ સમ્યફવાહનીય તથા મિશ્ર મેહનીય સહિત ૭૮ પ્રકૃતિએ જીવવિપાકી છે. જેમ-જ્ઞાનાવરણીય જ્ઞાન ગુણને ઘાત કરવા દ્વારા, સાતા-અસતાવેદનીય સુખ-દુખ ઉત્પન્ન કરવા દ્વારા અને દેવગતિનામકર્મ દેવાવ પર્યાય પ્રાપ્ત કરવા દ્વારા અને દાના-નારાયાદિ દાનાદિ લબ્ધિને હવા દ્વારા સાક્ષાત્ જીવને જ પિતાનો વિપાક બતાવે છે માટે આ પ્રકૃતિએ છવાવપાકી જ છે. પ્રશ્ન–રતિ-અરતિ મેહનીય છવિપાકી કહી હોવા છતા કુલની માળા અને ચંદનાદિના વિલેપન દ્વારા રતિ મેહનીયને અને કંટક તથા અગ્નિ સ્પર્શ આદિથી અરતિ મેહનીયનો પણ ઉદય થાય છે, તે જ પ્રમાણે કર્કશ અને કઠોર શબ્દ રૂ૫ ભાષાના પુદ્ગલેને પામી ક્રોધ મોહનીયને, વાઘ આદિ શિકારી પશુઓને જોઈ ભય મેહનીયાદિને પણ ઉથ થાય છે તેથી આ રતિ મેહનીયાદિ પ્રકૃતિએ પણ પુદગલવિપાકી કેમ ન કહેવાય? ઉત્તર–રતિ મેહનીયાદિ પ્રકૃતિએ તમાએ કહ્યા મુજબ જુગલને પ્રાપ્ત કરી પિતાને વિપાક બતાવે છે એ વાત ખરી છે, પરંતુ પુદગલ રૂપ નિમિત્ત વિના પણ મારા પ્રિય અપ્રિયના દર્શન-મરણ શ્રવણાદિ દ્વારા રતિ અને અરતિ મેહનીયને અને તે જ પ્રમાણે પિતાની તરફના પહેલાંના પ્રતિકૂળ વનદિના સ્મરણથી બને અને કેવળ મનની કલ્પ નાથી પણ ભયમહનીયનો ઉદય થાય છે, માટે પુદગલ રૂપ હેતને પામીને જ પિતાને વિપાક બતાવે છે એ નિયમ ન હોવાથી રતિ મેહનીય વગેરે પ્રકૃતિઓ છવવિપાકી છે પણ પુદગલવિપાકી નથી.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy