SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પચર अन्नाणतिगं नाणाणि पंच इइ अट्ठहा उ सागारो। अचक्खुदंसणाइ चउहुवओगो अणागारो ॥५॥ आज्ञानत्रिकं ज्ञानानि पञ्च इत्यष्टयां तु साकारः । अचक्षुदर्शनादिकः चतुर्होपयोगोऽनाकार' ॥५॥ અથ–ત્રણ અજ્ઞાન અને પાંચ જ્ઞાન એમ આઠ પ્રકારે સાકાર ઉપયોગ છે, અને અચસુઈશનાદિ ચાર પ્રકારે નિરાકાર ઉપગ છે. ટીકાનુ– જે જાણી શકાય તે જ્ઞાન. સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારે વસ્તુનું સ્વરૂપ છે, તેમાં જે વડે વિશેષ-નામ જાતિ ગુણ અને લિંગાદિ યુક્ત વિશેષરૂપ ધ થાય તે જ્ઞાન કહેવાય. અવિપરીત જ્ઞાન તે અજ્ઞાન. અજ્ઞાન શબ્દની અંદરનો અ મિથ્યા-વિપરીત અને વાચક હોવાથી મિથ્યા-વિપરીત જે જ્ઞાન તે અજ્ઞાન એ અર્થ થાય છે. તેના ત્રણ ભેદ છે–૧ મતિજ્ઞાન. ૨ શ્રુતજ્ઞાન અને ૩ વિભાગજ્ઞાનતેઓનું સ્વરૂપ આગળ કહેવાશે. વસ્તુના યથાર્થ બોધને જ્ઞાન કહે છે. તેના ૧ મતિજ્ઞાન ૨ સુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન પર્વવજ્ઞાન અને ૫ કેવળજ્ઞાન-એમ પાંચ લે છે. તેમાં પ્રથમ મતિજ્ઞાનને અર્થ - કહે છે મન ધાતુ જાણવાના અર્થમાં છે. મનન કરવું-જાણવું તે- મતિ અથવા પાંચ ઈન્દ્રિય અને મનદ્વારા જે વડે નિયત વસ્તુનો બંધ થાય તે મતિ. એટલે કે જે સ્થળે રહેલા વિષયને ઈન્દ્રિય જાણી શકે તે સ્થળે રહેલા વિષયને પાંચ ઈન્દ્રિય અને મનરૂપ સાધન દ્વારા જે બંધ થાય તે મતિજ્ઞાન. “ જાણે શુર શ્રવણ કરવું તે શ્રુત, વાગ્યવાચકભાવના સંબંધપૂર્વક શબ્દ સંબંધી અને જાણવામાં હેતુભૂત જ્ઞાનવિશેષ કૃતજ્ઞાન કહેવાય છે. જળધારણ આદિ અર્થહિયા કરવામાં સમર્થ અમુક પ્રકારની આકૃતિવાળી વસ્તુ એ ઘટ શબ્દ વડે વાચ્ય છે ઈત્યાદિ સ્વરૂપે જેમાં સમાન પરિણામ પ્રધાનરૂપે છે એ શબ્દ અને અથની વિચારણને અનુસરીને થયેલે ઈન્દ્રિય અને માનનિમિત્તક બેઘતે શ્રુતજ્ઞાન. પોષણ કિ વહુ ધીરે રિષ્ટિ એ નીચે નીચે વિસ્તાર વાળી વસ્તુ ઈન્દ્રિય અને મનની સહાયતા વિના જે જ્ઞાન દ્વારા જાણી શકાય તે અવધિજ્ઞાન અથવા અવધિ એટલે મર્યાદા રૂપી દ્વાજ જાણવા રૂપ મર્યાદાવાળું આત્માને પ્રત્યક્ષ જે જ્ઞાન તે અવધિજ્ઞાન, આજ ત્રણ જ્ઞાને જ્યારે મિથ્યાત્વમહિના ઉદયથી કલુષિત થાય છે ત્યારે વધુ સ્વરૂપને યથાર્થ રૂપે જાણતા નહિ હોવાથી તેઓ અનુક્રમે મતિજ્ઞાન, શુતઅજ્ઞાન અને વિસંગજ્ઞાનરૂપે કહેવાય છે. કહ્યું છે કે-આદિના ૧ પ્રથમ શ્રોતા ઘટ શબ્દ સાંભળે છે ત્યાર પછી ઘટ શબ્દ દ્વારા વાવ ઘટ શબ્દ અથ રમરણ થાય છે, અહિં સુધીના જ્ઞાન ને મતિજ્ઞાન કહેવાય છે. પછી વા વાચક સંબંધ વડે આવા પ્રકારને ઘટ તે ઘટ રાદ વાગ્ય અર્થ છે એ પ્રમાણે વાવાચકભાવના સંબંધ પૂર્વક જે , તાત્પર્ય બેધ થાય છે તેને શ્રુતજ્ઞાન કહેવામાં આવે છે. ૨ આ અઈ ઉમાનિક દેવની અપેક્ષાએ છે, કારણ કે તેઓ નીચે નીચે વધારે જાણે છે, ઉપર તે પિતાના વિમાનની ધજા સુધી જ જાણે છે,
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy