SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ સારણગ્રાહ જે કર્મના ઉદયથી છવ ઈચ્છાનુસાર ગતિ કરી શકે તે ત્રસનામકર્મ. જેના ઉદયથી એક જીવતું એક કે છેવટે સંસ્થા શરીરો ભેગાં થાય ત્યારે દષ્ટિગોચર થઈ શકે એવા સ્થૂલ પરિણામવાળા જીવ થાય તે બાદરનામકર્મ. જેના ઉદયથી જીવ સ્વરોગ્ય પત્તઓ પૂરી કરીને જ મરે તે પર્યાપ્ત નામકર્મ.. જેના ઉદયથી એક એક જીવને ભિન્ન ભિન્ન શરીર મળે તે પ્રત્યેકનામક પ્રશ્ન કઠ–પીપળો-પીલુ આદિ વૃક્ષના મૂળ, સકંધ, છાલ, મેટી ડાળી વગેરે દરેક અવળે અસંખ્ય જીવવાળા કહ્યા છે અને શાસ્ત્રમાં તેને પ્રત્યેક શરીરવાળા કહ્યા છે અને તે ઠેઠ આદિ વ્યવહારથી દેવદત્તની જેમ અખઠ એક શરીર લાગે છે તે એક શરીરમાં અસંખ્ય છે હેવા છતા તે પ્રત્યેક કેમ કહેવાય ? ઉત્તરા-ઉપરોક્ત મળાદિ દરેક અવયવે માં અસંખ્ય કહ્યા છે પરંતુ તે દરેકનું શરીર ભિન્ન ભિન્ન હોય છે. છતા તેવા પ્રકારના વિચિત્ર રાગદ્ધવના પરિણામથી બંધાયેલ પ્રત્યેક નામકર્મના ઉદયથી તે બધા શરીર એવી રીતે પરસ્પર એકાકાર શરીરવાળા બની ગયાં હેય છે કે જેથી તે એક અખંડ શરીર રૂપે લાગે છે. પરંતુ વાસ્તવિક રીતે તે દરેક જીવેનું શરીર ભિન્ન ભિન્ન હોય છે અને તેથી જ તે પ્રત્યેક શરીર નામકર્મના ઉદયવાળા જ શ સ્ત્રમાં કહ્યા છે. જેના ઉધ્યથી દાંત-હાડકાં આદિ અવયમાં સ્થિરતા થાય તે સ્થિર નામકર્મ, જેના ઉદયથી નાભિની ઉપરના અવય શુભ થાય તે શુભનામકર્મ જેને હદયથી જીવને સ્વર મધુર અને સાંભળનારને પ્રીતિનું કારણ બને તે સુરનામકમજેના ઉદયથી છવ અને પ્રિય લાગે તે સૌભાગ્યનામકમ. જેના ઉદયથી વ્યક્તિનું વચન આદર કરવા યોગ્ય થાય તે આદેયનામકર્મ, જેના ઉદયથી છવ યશા અને કીર્તિ પામે અથવા યશ વડે જે ધ્યાતિ મેળવે તે થશ: દ્વિતિનામકર્મ. સર્વ દિશાઓમાં પ્રસરનાર પરાક્રમથી ઉત્પન્ન થયેલ અને સર્વ મનુષ્યો વડે પ્રશંસનીય જે ખ્યાતિ તે યશ ––એક દિશામાં પ્રસરનારી, દાન-પુથી ઉત્પન્ન થયેલ જે ખ્યાતિ તે કીર્તિ કહેવાય છે જેને હદયથી છવ ઈચ્છાનુસાર ગતિ ન કરી શકે અથવા ગતિજ ન કરી શકે તે સ્થાવર નામકર્મ. જેના ઉદયથી જીવને તે સૂક્ષમ પરિણામ થાય કે અસંખશરીર એકત્ર થવા છતાં દષ્ટિગેશર ન થઈ શકે તે સૂક્ષમનામકર્મ જેના ઉદયથી જીવ ચોગ્ય પર્યાપ્તિએ પૂર્ણ કર્યા વિના જ મરે તે અપર્યાપ્ત નામકમ.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy