SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ ટીકાનુવાદ સહિત આ ગતિ આદિ પિંડ પ્રકૃતિઓના સઘળા ઉત્તર ભેદે પહેલા ગતિ આદિના સ્વરૂપને કહેવાના અવસરે કમયુર્વક વિસ્તારથી કહ્યા છે, માટે અહિં ફરીથી કહેતા નથી. સઘળા મળી ચૌદ કિંઠ પ્રકૃતિના પાંસડ ઉત્તર ભેદ થાય છે. અને પ્રત્યેક પ્રકૃતિ સઘળી મળી અઠાવીસ થાય છે. તે બંનેને સરવાળો કરતાં નામકર્મની ત્રાણુ ઉત્તર પ્રકતિઓ થાય છે. આ આચાર્ય મહારાજ બંધન નામકર્મના પાંચ ભેજ માને છે, એટલે ઉક્ત સંખ્યા જ થાય છે અહિં મધમાં એકસો વીશ ઉત્તર પ્રકૃતિએને અધિકાર છે, ઉદયમાં એક બાવીશ, અને સત્તામાં એક અડતાલીસ, અથવા એકસો અઠ્ઠાવન પ્રકૃતિએને અધિકાર છે. તેથી જે વિવક્ષાએ કે કારણે બંધાદિમાં આવું વિચિત્ર્ય જણાય છે તેના પ્રતિપાદન માટે કહે છે– ससरीरंतरभूया बंधण संघायणा उ बंधुदए । aurફ વિનદાર ટુ પે જો મમીસારું ના स्वशरीरान्तर्भूतानि बन्धनसंघावनानि तु बन्धोदये । वर्णादिविकल्पा अपि हु बन्धे नो सम्यक्त्वमित्रे ॥१०॥ અથ–બંધ અને ઉદયમાં બંધન અને સંઘાતનને પિતાના શરીરની અંતર્ગત વિવસ્થા છે, અને વણદિના ઉત્તર ભેદ પણ બંધ અને ઉદયમાં વિવથા નથી તથા સમ્યકત્વ મેહનીચ અને મિશ્રમેહનીય બ થમાં હતી જ નથી. ટીકાનુ–સંધ અને ઉદયને જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે બંધન નામના પાંચ ભેદની અને સંઘાતન નામના પાચ ભેદની તિપિતાના શરીરની અંતર્ગત વિવા કરી છે એમ સમજવું. જે કે પાંચે બંધન અને સંઘાતનને બંધ છે અને ઉદય પણ છે છતાં જે શરીર નામકર્મને બંધ કે ઉદય હેય તે સાથે તે શરીર ચગ્ય બંધન અને સંઘાતન અવશ્ય બધ અને ઉદય હોય જ છે તેથી બંધ અને ઉદયમા જુદા વિસ્થા નથી. સત્તામાં જુદાજુદા બતાવ્યા છે, અને તે બતાવવા જ જોઈએ. જે સત્તામાં પણ ન બતા. વવામાં આવે તે મૂળ વતુજ ઉડી જાય, ધન અને સંઘતન નામનું કેઈ કમજ નથી એમ થાય એટલે સત્તામાં બતાવ્યા છે. જ્યા કયા બંધન અને સંઘાતનની કયા કયા શરીરની અંતર્ગત વિરક્ષા કરી છે તે કહે છે-દારિક બંધન અને સંઘાતન નામકર્મની ઔદાયિક શરીર નામકર્મની અંતર્ગત, વેકિય બંધન અને સંધાતન નામકર્મની વૈદિય શરીર નામકર્મની અંતર્ગત, આહારકબંધન, અને સંઘાતન નામની આહારક શરીર નામની અંતર્ગત, તેજસ બંધન અને સંધાતન તેજસ શરીર નામની અતર્ગત, અને કાર્મ બંધન અને કાર્યણ સંધાતન નામકર્મની, કામણ શરીર નામકર્મની અંતર્ગત વિવક્ષા કરી છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy