SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ પંચસપ્રહ-દ્વિતીયકાર તેથી પંદર કર્મભૂમિમાં પ્રમત્તસંવત મુનિએ જઘન્યથી પણ બે હજાર ક્રેડથી અધિક હોય છે, અને ઉત્કૃષ્ટથી નવહજાર કેડ હેય છે. તથા અપ્રમત્ત સંવત મુનિઓ પ્રમત્ત સંય. તથી અત્યંત અલ્પ છે. ૨૨ एगाइ चउप्पण्णा समगं उवसामगा य उवसंता । अद्धं पडुच्च सेढीए होति सव्वेवि संखेजा ॥२३॥ एकात् चतुःपञ्चाशत् समकमुपशमकाचोपशान्ताः । अद्धां प्रतीत्य श्रेण्याः भवन्ति सर्वेऽपि संख्येयाः ॥२३॥ અર્થ_એકથી આરંભી ચાપન પર્યત એક સાથે ઉપશમક અને ઉપશાંતહી છે હોય છે, અને શ્રેણિના કાલ આશ્રયી સઘળા મળીને પણ સંખ્યાતાજ હોય છે. ટીકાનુ——ઉપશમક એટલે ઉપશમ કિયા કરનારા આઠમા નવમા અને દશમા ગુણસથાનવર્તિ છે, અને ઉપશાંત એટલે જેઓએ મેહને સર્વથા શાંત કર્યો છે, તે ઉપશાંતહ. ગુણસ્થાનકવર્તિ છે. આ બંને પ્રકારના છ કેઈ વખતે હોય છે, કેઈ વખતે નથી પણ હતા. કારણ કે ઉપશમણિનું અંતર પડે છે. કેટલું અંતર પડે છે તે આગળ ઉપર અંતરદ્વારમાં કહેશે. તેથી ઉપશમક-અપૂર્વકરણ અનિવૃત્તિબાહરસપરાયવરિ જી તથા ઉપશાંત–ઉપશાંતમાહ ગુણસ્થાનકવર્તિ છે જ્યારે હોય છે, ત્યારે જઘન્યથી એક છે કે ત્રણ હેય છે, અને ઉત્કૃષ્ટથી ચેપન છે હોય છે. આ પ્રમાણે પ્રવેશ કરનાર આશ્રયી કહ્યું છે. એટલે કે આટલા જ એક સમયે એક સાથે ઉપશમ શ્રેણિમાં અપૂર્વકરણાદિ ગુણસ્થાનકાની અંદર પ્રવેશ કરતા હોય છે. ઉપશમશ્રેણિના સંપૂર્ણ કાલ આશ્રયિ વિચારીએ તે સઘળા મળીને પણ સંખ્યાતા જ હોય છે. તાત્પર્ય એ કે-ઉપશમણિને કાળ અંતમુહૂર્ત પ્રમાણ છે. તે અંતમુહૂર્ત પ્રમાણ ઉપ શમશ્રેણિના સઘળા કાળમાં ઉત્તરોત્તર સમયે અન્ય અન્ય છ પ્રવેશ કરે તે પણ સંખ્યાતા. જીવોજ હેય છે. પ્રશ્ન-ઉપશમણિના અંતમુહૂર્ત પ્રમાણુ કાળના અસંખ્યાતા સમય થાય છે. તે કાળમાં એક એક સમયે એક એક જીવ પ્રવેશ કરે તે પણ શ્રેણિના સંપૂર્ણ કાળમાં અસંખ્યાતા સંભવે છે, તે પછી બે ત્રણથી આરંભી ઉઠ્ઠણથી ચાપન સુધીની સંખ્યા પ્રવેશ કરે તો અસંખ્યાતા કેમ ન થાય? થાય જ, પછી એમ કેમ કહે છે કે ઉપશમ શ્રેણિના. સઘળા કાળ આશ્રયી પણ સંખ્યાતાજ જી હાથ છે? ઉત્તર–તમારી આ કલ્પના ત્યારેજ થાય કે જ્યારે શ્રેણિના અતિમુહત કાળમાં દરેક સમયે જ પ્રવેશ કરતા હોય. પરંતુ પ્રત્યેક સમયે જ પ્રવેશ જ કરતા નથી પરંતુ કેટલાક સમયમાં જ કરે છે, તેથી જ ઉપરોક્ત સંખ્યા ઘટી શકે છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy