SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસાહ-પ્રથમદાર ભાગતાં એક હજાર આવે તે લાખની અપેક્ષાએ અસંખ્યાત ભાગ છે તેમજ અસંખ્યાતગુણહીન કહેવાય અને તે જ લાખની સંખ્યાને હજાર રૂપ અનંત સંધ્યાએ ભાગતાં સો આવે તે લાખની અપેક્ષાએ અનતભાગ છે તેને જ અનતગુણહીન કહેવાય. પ્ર-૩૫ કેઈક વ્યક્તિએ “ગાય” શબ્દ સાંભળે અને કેઈક વ્યક્તિએ ઘટ' પદાર્થ છે અહિં આ બંને વ્યક્તિઓને કયું જ્ઞાન થયું કહેવાય? ઉ. “ગાય” શબ્દ સાંભળવા છતાં અને “ઘટ’ પદાર્થ જેવા છતાં અનુક્રમે “ગાય” શબ્દ થી અમુક પ્રકારને “ગાય” પદાર્થ વાય છે અને “ઘટ' પદાર્થથી એને વાચક અમુક શબ્દ છે આવો બાધ ન થાય ત્યાં સુધી મતિજ્ઞાન અને ઉપરોક્ત બંધ થાય ત્યારે શ્રુતજ્ઞાન થયું કહેવાય. પ્ર-૩૬ યથાપ્રવૃત્તાદિક ત્રણ કરણમાંથી અભવ્ય જીવ કેટલાં કરણ કરે? ઉ. અભવ્યજી માત્ર થથાપ્રવૃત્તકરણ કરે. પ્ર-૩૭ સામાયિક કેટલા પ્રકારનાં છે? ઉ૦ શ્રત, સમ્યકત્વ, દેશવિરતિ અને સર્વવિરતિ એમ ચાર પ્રકાર છે. પ્ર-૩૮ અભય ચારમાંથી કયું સામાયિક પાસે, તેનાથી તેમને શું લાભ થાય? ઉ. અભચે ચારમાંથી માત્ર શ્રત સામાયિક પ્રાપ્ત કરે, તેનાથી સાડા નવ પૂર્વ સુધીનો અભ્યાસ કરી શકે. પ્ર-૩૯ અભવ્ય નવે તવે માને કે નહિ? ઉ. અભવ્ય મેક્ષ સિવાય વધુમાં વધુ આઠ તો માને. પ્ર-૪૦ અભવ્ય જીવે જે મેક્ષને ન માને તે પછી ચારિત્ર શા માટે સ્વીકારે? અને તેથી શું લાભ થાય? ઉ. અભવ્ય તીર્થંકર પરમાત્માની ઋદ્ધિ તેમજ તેઓશ્રી પાસે આવતા મહર્તિક દેવે તેમજ ઈન્દ્રાદિકને જોઈને શ્રી તીર્થંકર પરમાત્માની પ્રાદ્ધિ અથવા દેવ-ઈન્દ્રાદિક પણે પ્રાપ્ત કરવા દ્રવ્ય ચારિત્રને સ્વીકાર કરે છે, પણ ભાવચારિત્રને નહિ, અને તેથી નવ વેયક સુધીનાં સુખ મેળવી શકે છે. પ્ર-૪૧ બંધાયેલ બધાં જ કર્મ ગવવાં પડે કે ભગવ્યા વિના પણ ક્ષય થાય? ઉ. બંધાયેલ બધાં જ કર્મ પ્રદેશથી અવશ્ય ભોગવવાં જ પડે પણ રસથી ગવે પણ ખરા અને ભગવ્યા વિના પણ ક્ષય થાય. પ્ર-૪ર એવું કર્યું કર્મ છે કે જે આખા ભવમાં એક જ વાર બંધાય? ઉ૦ આયુષ્ય કમ પ્ર-૪૩ સ્તિબૂકયક્રમ અને પ્રદેશદયમાં શું ફેર છે? ઉ૦ કંઈ પણ ફેર નથી, અને એક જ છે. પ્ર-૪૪ મહાવિદેહ ક્ષેત્રમાં પાંચમાંથી કેટલાં અને કયા કયા ચારિત્ર હેય. - ઉ. થાવસ્કથિક સામાયિક, સૂમપરાય અને થથાખ્યાત એ ત્રણ ચારિત્ર હેય.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy