SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ ' '[ વિષષ્ટિ શલાકા પુરૂ શાસનદેવની સાનિધ્ધવાળા ભગવાન એક વખત ભરૂચ નગર સમવસર્યો. ભગવાન સમવસર્યાના સમાચાર સાંભળી તે નગરને જિતશત્રુ રાજા અશ્વ ઉપર ચઢી વંદન કરવા આવ્યું. દેશનાને અંતે ગણધર ભગવંતે ભગવાનને પૂછયું, “આ સમવસરણમાં કાણું ધર્મને પામ્યુ?” પ્રભુ બોલ્યા “જિતશત્રુ રાજાના અશ્વ સિવાય કોઈ ધર્મ પામ્યુ નથી.' જિતશત્રુ રાજાએ ભગવાનને આશ્ચર્યથી પૂછયું : “ભગવાન ! આ અશ્વ કેણુ છે?' . ' ' - પશ્વિની ખંડ નામના નગરમાં જિનધર્મ નામે એક શેઠ હતું. તેને સાગરદન નામે મિત્ર હતું. તે ભકિપણાથી જિનધર્મની સાથે ચૈત્યમાં દર્શન કરવા અને ગુરૂવદન કરવા જતો હતો. એક વખતે મુનિની દેશનામાં તેણે એવું સાંભળ્યું કે “જે અરિહંત પ્રભુનું બિન કરાવે તે જન્માન્તરમાં સંસારને દૂર કરી ભવાન્તરમાં શ્રેષ્ઠ ધર્મને પામે. અર્થાત્ જે માણસ આ ભવમાં જેવી સેવા કરે તેવી પરભવમાં તેને મળે છે. આ પછી તેણે એક સુવર્ણનું જિનબિંબ કરાવ્યું અને સાધુની પાસે પ્રતિષ્ઠા કરાવી. આ સાગરદત્ત પ્રથમ મિથ્યાત્વી હતા. તેથી તેણે નગર બહાર શિવાલય કરાવ્યું હતું. ઉત્તરાયણ પર્વને દિવસે સાગરદત્ત ત્યાં ગયે. અહિં તેણે ઘીના ઘડાની નીચે ચૂંટેલી ઉધેઈને પૂજારીઓના હાથે ઘડા લેવાથી જ્યાં ત્યાં વેરાયેલી દેખી અને આમતેમ ચાલતાં પૂજકથી ચગદાતી પણ જોઈ સાગરદત્તને દયા આવી અને તે વસ્ત્રથી ઉધેઈને દુર કરે છે તેટલામાં પૂજારીએ મશ્કરી પૂર્વક કહેવા લાગ્યા કે “આ તું જૈન સાધુઓની શિક્ષાને અમલ કરતે હઈશ” એમ કહી ઉધેઈને વધુ બળથી ચગદવા માંડી. સાગરદત્તે આ વાત પૂજારીઓના આચાર્યને કહી. પણ તેણે તેની ઉપેક્ષા કરી. સાગરદત્તને લાગ્યું કે આ લોકે દુર્ગતિમાં પડે છે અને બીજાને પાડે છે. આમ છતાં તેણે શિવ પૂજન તે કર્યું. ત્યાંથી મૃત્યુ પામી સાગરદત્ત આ જાતિવત અશ્વ થયો છે પૂર્વ જન્મમાં તેણે જિનપ્રતિમા કરાવેલી હતી તેથી અમારે ધર્મોપદેશ સાંભળી થોડીવારમાં પ્રતિબંધ પામ્યું છે. ભગવંતના આ વચન સાંભળી રાજાએ અશ્વને ખમાવ્યો અને ત્યાર પછી ભરૂચ અશ્વાવબોધ તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામ્યું. ભગવાન મુનિસુવ્રત સ્વામિ એક વખત હસ્તિનાપુર નગરમાં પધાર્યા. આ નગરમાં ગરિકનામે એક તાપસ હતું. ત્યારે રાજા તાપસ ભક્ત હોવાથી તેને જમવાનું આમંત્રણ આપ્યું. પણ તાપસે કહ્યું. “મને કાર્તિક શેઠ પીરસે તે હું જમવા આવું. રાજાના આગ્રહથ કેતિક શેઠે તેને ભોજન પીરસ્યું પણ મનમાં વિચાર્યું કે જે મેં પહેલાં દીક્ષા ગ્રહણ કરી હેત તે મારે આ પરાભવ સહન કર ન પડત. આમ વિચારી ભગવાન પાસે’ હજાર શ્રાવકે સાથે તેણે દીક્ષા ગ્રહણ કરી. ચારિત્ર પાળી કાર્તિક શેઠ સૌધર્મ દેવલોકમાં ઈપણ ઉત્પન્ન થયે અને ગરિક તેનું વાહન રાવણ હાથી રૂપે ઉત્પન્ન થયો. ઈન્દ્રને દેખી તેને પૂર્વર તાજુ થયું. અને તેણે બે મસ્તક કર્યો. ઇ બે રૂપ કર્યો. આમ છતાં પલાયન કરતા તેને ઈન્દ્ર વજપ્રહાર કરી વશ કર્યો. - " ' ' ' ભગવાન મુનિસુવ્રત સ્વામિને ત્રીસ હજાર સાધુ, પચાસ હજાર- સાધ્વી, પોચસો ચૌદ પૂર્વધારી, અઢારસો અવધિજ્ઞાની, પંદરસો મન:પર્યવજ્ઞાની, અઢારસો કેવળરામ, બ
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy