SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુવિધિનાથ ચરિત્ર. ] 4 - - - 5 v - શ્રી સુવિધિનાથ ચરિત્ર પર્વભવ વર્ણન પ્રથમ દ્વિતીય ભવ-મહાપદ્મ રાજા અને વૈજયના વિમાનમાં દેવ. પુષ્કરવર નામે દ્વીપના પુલાવતી નામે વિજયમાં પુંડરિકિણું નામે નગરી હતી. ત્યાં મહાપમ નામને રાજા રાજ્ય કરતે હતો કે જે પહમહદ જે ગંભીર અને ધર્મમાં દઢ હતેઆ રાજા હરહંમેશ નવીન નવીન કાંઈને કાંઈ વ્રતનો સ્વીકાર કરતો હતો. તેણે પાચ અવ્રતો, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતને સ્વીકાર કર્યો હતો. આ ઉપરાંત પરિમાણેના પણ તેણે અનેક નિયમો રાખ્યા હતા. કેટલાક વર્ષ રાજ્ય કર્યા બાદ જગતચંદ્ર (જગન્નન્દ) ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા બાદ એકાવલી વિગેરે અનેક તપ કરી તીર્થરનામ કમ ઉપાર્જન કર્યું. અને પ્રાંતે સમાધિપૂર્વક મૃત્યુ પામી મહાપદ્મ રાજર્ષિ વૈજયન્ત નામના વિમાનમાં મહર્ધિક દેવતાપણે ઉત્પન્ન થયા. -- તૃતીયભવ–શ્રીસુવિધિનાથ ભગવાન આ ભરતક્ષેત્રમાં કાકબ્દી નામે નગરીને વિષે સુગ્રીવ નામે રાજા અને રામા નામે રાણુ હતાં મહાપમ રાજર્ષિને જીવ દેવલોકના સુખ અનુભવી ફાગણ વદ૯ના દિવસે મૂલનક્ષત્રમાં ચંદ્રમાનો ચોગ હતો ત્યારે રામાદેવીની કુશિમાં અવતર્યો. રામાં માતાએ તે તે રાત્રીએ ચૌદ સ્વમ દેખ્યાં. દેવોએ વ્યવન કલ્યાણકનો મહત્સવ કર્યો. ગર્ભ સમયપૂર્ણ થયા બાદ માગશર વદ ૫ના દિવસે મૂલનક્ષત્રમાં ચંદ્રમાનો રોગ હતું ત્યારે રામાં માતાએ મગરના ચિહ્નવાળા, શ્વેતવર્ણવાળા પુત્રને જન્મ આપ્યો. ઈન્દ્રોએ જન્મ મહોત્સવ કર્યો. અને રાજાએ પુત્રને બાર દિવસ સુધી જન્મોત્સવ ઉજવ્યો. ઋષભદેવ ભગવાનના ૧૩ પૂર્વભવ, નેમીનાથ ભગવાનના ૯ શાંતિનાથ ભગવાનના ૧૨ વર્ધમાન સ્વામિના ૨૭, પાર્શ્વનાથ ભગવાનના ૧૦ ચદ્રપ્રભુ સ્વામિને સાત અને બાકીના તીર્થકરાના ૩. श्री वर्मा ! अवनिपालिक १ सुरवर २ सौधर्म कल्पे तत, सखातोऽजितसेन चक्रि नृपति ३ कल्पेतिमे वालव ४। यः श्रीपद्मधरापतिः ५ समजनि श्रीवैजयन्ते सुरः ६ स श्रेयः प्रतनोतु वः प्रतिदिन चंद्रप्रभस्तीर्थपः ॥ १ ॥ પતરમતાતરમ્ : અર્થ–પહેલા ભવમાં શ્રીવર્મરાજા, બીજા ભવમાં સૌધર્મ કલ્પમાં દેવ, ત્રીજા ભવમાં અજિતસેન ચકી, ચોથા ભવમાં દેવ, પાંચમા ભવમાં યમરાજા, છઠ્ઠા ભાવમાં વૈજયન્તમાં દેવ, અને સાતમા ભવમાં ચન્દ્રપ્રભુ સ્વામિ થયા. આ પ્રમાણે મતાન્તર અંતે લઘુ ત્રિષષ્ટિ દાખલ કરેલ છે.
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy